________________
હાજી
. સૌભાગ્યસુંદરીએ કરેલ પિતાના દુષ્કર્મનું વર્ણન અને થયેલ પશ્ચાત્તાપ.
[૩૬૭ ]
'કેમ આત્માને વારંવાર નિંદે છે? પિતાના કર્મને વશ થયેલા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે
અને વિનાશ પામે છે. તેમાં માતાપિતાને શો દેષ છે?” ત્યારે સૌભાગ્યસુંદરીએ કહ્યું કે–“હે દેવ! અનાર્ય એવી મેં તેવું કાંઈ પણ પાપવાળું દુષ્કર્મ કર્યું છે, કે જે કર્મ કહેવાને, સહન કરવાને અને ગુપ્ત રાખવાને હું શક્તિમાન નથી. તે કર્મનું આ સમગ્ર દુર્વિલસિત આવી પડયું છે. ઉછેદને પામ્યા છતાં પણ તે કાળની પ્રાપ્તિ વિના પણ ફળવાળું થયું છે. ” ત્યારે રાજાએ કહ્યું કે –“હું કાંઈ પણ કાર્યના તત્વને જાણતા નથી, તેથી આના પરમાર્થને વિસ્તારથી ફુટ વાણીવડે તું કહે ” ત્યારે ગુપ્ત વાતને હૃદયમાં ધારણ કરવાને અશક્ત થયેલી તેણીએ રાજ પુત્રના વિષયવાળો સર્વ કાર્મણને વૃત્તાંત કહ્યો. તે સાંભળીને રાજા દ્રઢ રીતે અત્યંત કલુષિત (મલિન) મનવાળે થયે, તે પણ ગંભીરપણાને લીધે તેણે પિતાના મુખની શોભા અન્યથા ( જુદા પ્રકારની) કરી નહીં. ફરીથી દેવીએ કહ્યું કે–“હે દેવ ! હું મોટા પાપને કરનારી છું, કેમકે તિલકસુંદરીએ પિતાનું સર્વસ્વ આપવાપૂર્વક પોતાના પુત્રને લાવીને “આ પુત્ર મેં તને આપે, તે તું સારી રીતે જે ” એમ પ્રીતિપૂર્વક બોલતી તેણીના વચનને મેં અનાર્યાએ મનમાં સ્થાપન કર્યું નહીં. અરે રે! અકૃતજ્ઞ લોકમાં હું પહેલી થઈ. તેથી હે દેવ! તે આ અનીતિરૂપી વૃક્ષ પુત્રના મરણરૂપી પુષ્પની સંપત્તિવાળો થયો છે અને હજુ પણ પરભવમાં વિવિધ પ્રકારના દુઃખના સમૂહરૂપી ફળવાળે થશે. તેથી કરીને હે દેવી પુત્રના વિચગારપી તીવ્ર વાશિ વડે બળતા આ શરીરને સરનદી ગંગા )માં નાખવાવડે બુઝાવવાને હું ઈચ્છું છું.” ત્યારે રાજાએ કહ્યું કે-“અવશ્ય થવાના ભાવે (પદાર્થોનું તું માત્ર મોટું નિમિત્ત થઈ છે તેથી હવે ખેદને મૂકી દે, અને સમયને ઉચિત કાર્ય કર.”
ત્યારે સૌભાગ્યસુંદરીએ કહ્યું કે–“હે રાજા ! જે પ્રકારે તમારી સંતતિના વિચ્છેદના વિષયવાળું હદયનું કલુષપણું મારા મનને દુઃખી કરે છે, તે પ્રકારે પુત્રના વિયોગનું દુઃખ મારા મનને દુઃખી કરતું નથી. મેં અનાર્યાએ કેવળ મારો આત્મા જ અનર્થમાં પાડયે નથી, પરંતુ મોટા પુત્રના નાશવડે હે નરનાથ ! તમને પણ મોટા અર્થમાં પાડયા છે.” આ પ્રમાણે મોટા ચિત્તના સંતાપની ઉપેક્ષા કરતા રાજાએ તેણીને વિજય અને રાજ્યના લાજવાળે વિજયચંદ્રને વૃત્તાંત કહ્યો. તે સાંભળવાવડે જેમ ઘી નાંખવાવડે અગ્નિની જવાળાની શ્રેણિ દેદીપ્યમાન થાય તેમ સૌભાગ્યસુંદરી હદયની અંદર અત્યંત દેદીપ્યમાન થઈ. ત્યાર પછી મોટા કણથી દેવીને જોજન કરાવીને તથા મનહર વાણવડે શિખામણ આપીને રાજા પિતાના ભવનમાં ગયે, અને વિચાર કરવા લાગે કે-“અહો ! સ્ત્રીઓનું ચરિત્ર દુર્લક્ષય (દુઃખે કરીને જાણી શકાય તેવું) છે. જે કદાચ કેવળજ્ઞાનરૂપી લેશનવાળા કેઈક જાણતા હોય તે તે સંભવે છે. તે આ પ્રમાણે
જીએ બીજું (જૂK) બેલે છે, બીજું કરે છે, હૃદયમાં બીજું ધારણ કરે છે, - બીજાને લઈ જાય છે, હઠવડે બીજાને કાર્યમાં જોડે છે. તથા કેમળ, મધુર અને મનોહર