SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૬૬] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ? પ્રસ્તાવ છે ? કરીને શું?” આ પ્રમાણે ઉપદેશ આપેલે રાજા કાંઈક સંતાપની શાંતિને પામ્ય, અને કહેવા લાગે કે-“હે મંત્રીએ! આ કોણ નથી જાણતું ? કે શેક વિગેરે કરવાથી પિતાના શરીરની હાનિ સિવાય બીજે કઈ પણ ઉપકાર થતું નથી. કેવળ અત્યારે અમે પરિણત (વૃદ્ધ) વયવાળા થયા છીએ, અને પુત્રની આવી ગતિ થઈ છે. પ્રથમ તે પહેલે પુત્ર તેવા કોઈ સ્થાને ગયા છે કે જ્યાં નામ પણ જણાતું નથી, અને બીજો પુત્ર ભવાંતરમાં ગયે. આ પ્રમાણે થવાથી પૂર્વના રાજાઓએ પાળેલી આ પૃથ્વી હું સંતાન રહિત થવાથી કેવી થશે? આ મારે માટે ચિત્તને સંતાપ શરીરને ઉપદ્રવ કરે છે.” ત્યારે મંત્રી ઓએ કહ્યું કે-“હે દેવ! કેદખાનાના અધિકારમાં નીમેલે બંધુમિત્ર નામને પુરુષ હમણાં જ આવ્યો છે. તેણે કહ્યું કે “લષ્ટપુષ્ટ શરીરવાળા વિજયચંદ્રને મેં સાક્ષાત જે છે, અને પદ્દમખંડ નગરમાં પુત્ર રહિત રાજા મરણ પામવાથી પાંચ દિવ્યાએ રાજાને સ્થાને સ્થાપન કરેલ તથા મંત્રી અને સામંતાદિકે આદર સહિત સ્થાપન કરેલો તે રાજલક્ષમીને ભોગવે છે.” આ પ્રમાણે સાંભળીને હૃદયની અંદર કાંઈક ઉછળતા સંતોષવાળા રાજાએ કહ્યું કે-“હે મંત્રીઓ ! જો આ સાચું હોય તે ફરીથી પ્રધાન પુરુષને મેકલવાવડે તેને નિશ્ચય કરીને મને કહે.” એમ કહીને વિસર્જન કરેલા મંત્રીઓ પોતાને સ્થાને ગયા. રાજા પણ પુત્રના વિયાગરૂપી વાવડે જર્જરિત હદયવાળી અને ત્યાગ કરેલા પાનભજનવાળી સૌભાગ્યસુંદરીને આશ્વાસન આપવા માટે અંતઃપુરમાં ગયે. ત્યાં દાસીએ આપેલા આસન ઉપર બેઠો અને કહેવા લાગ્યું કે “હે દેવી ! આ પ્રમાણે એકદમ જ સર્વ આહારના ત્યાગને અંગીકાર કરીને મોટા શેકના સમૂહથી ભરપૂર થયેલી તું કેમ વર્તે છે? શું આ પ્રમાણે કરવાથી કોઈ પણ રક્ષણ થશે ? અથવા પરલેકમાં ગયેલે પુત્ર પાછો આવશે? તેથી હવે તે શરીરની સ્થિરતા કર, નેહની ગ્રંથિને શિથિલ કર અને હૃદયને મજબૂત કર કેમકે દેવ, મનુષ્ય અને અસુર સહિત આ લેકમાં આવી જ ભવસ્થિતિ છે, કે જન્મેલા જીવનું અવશ્ય મરણ થવું જ જોઈએ.” ત્યારે વિશ્વના છેડાવડે મુખને ઢાંકીને પૂર્વે કરેલા દુષ્કર્મના સમરણવડે હજારગુણા ઉત્પન્ન થયેલા શોકના સમૂહને હૃદયમાં ધારણ કરવાને અશક્તિમાન થયેલી તે દેવી કંઠ મૂકીને રડવા લાગી. તેને રાજાએ કઈ પણ પ્રકારે ધારણ કરી અને કહ્યું કે-“હે દેવી! આ મારી શિખામણવડે આ વિશેષ શો થયા? કે આ પ્રમાણે અત્યંત કઠોર રૂદન કરવાને તું પ્રવતી છે?” ત્યારે દુઃખ સહિત સૌભાગ્યસુંદરીએ કહ્યું કે-“હે દેવ! મારી સંકથાએ કરીને સર્યું. હું મોટા પાપને કરનારી અને ધર્મની વેરી છું કે જેથી અગ્ય કર્મનું આચરણ કરતી મેં અપયશને ગયે નથી, અસંખ્ય દુઃખની પ્રાપ્તિ જાણી નથી, થવાને કટુ વિપાક વિચાર્યો નથી, અને પરલકને વિરુદ્ધ વ્યવહાર જે નથી.” રાજાએ કહ્યું કે “હે સુતનુ! આમાં તારો શ ષ છે? ૧ સારા શરીરવાળી.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy