________________
() .
પલદેવ રાજપુત્રનું મૃત્યુ અને વિજયબળ રાજાને શોક
[ ૩૬૫ ]
આવી, અને કહેવા લાગી કે-“હે દેવી સૌભાગ્યસુંદરી ! આ પ્રમાણે વ્યાકુળતા રહિત તું કેમ રહે છે? પદ્યદેવ પુત્ર પર્યંતદશાને પામ્યો છે, તે તું શું નથી જાણતી? તેની ચેતના નાશ પામી છે, દષ્ટિનું બળ ગળી ગયું છે, ફરીથી પાછા ન વળે તે માટે (દીર્ધ–લાબ) ઉશ્વાસ અત્યંત વૃદ્ધિ પામ્યો છે, વાચા બંધ થઈ છે, મહાનિદ્રા વિસ્તાર પામી છે અને શરીર દ્રવિત (શિથિલ) થયું છે. ” આ પ્રમાણે સાંભળીને જાણે કે અકસ્માત પડેલા વજીવડે (વીજળીવડે) તાડન કરાઈ હોય તેમ મૂછવડે મીંચાયેલા નેત્રવાળી સૌભાગ્યસુંદરી પૃથ્વી પીઠ ઉપર પડી ગઈ. ત્યારે તે કાળને ઉચિત એવા શીતળ ઉપચાર વિગેરે પ્રતિકારના વશથી તે ચેતનાને પામી, અને દુઃખના સમૂહવડે ભરાયેલા અંગવાળી તે રોવા લાગી કે-“હે વત્સ ! મંદ ભાગ્યવાળી મને મૂકીને તું ક્યાં ચાલ્યો ગયે છે? હે વત્સ! ફરી તને ક્યાં ?વિગેરે વિલાપ કરતી અને ઉરળ (છાતી) તથા મસ્તકને તાડન કરતી તે પદમદેવ રાજપુત્રની પાસે ગઈ. ત્યાં નાસિકાના નિ:શ્વાસ માત્રથી જ અનુમાન કરવા લાયક છવિતવાળા કુમારને છે. તે વખતે નિ:સહ પૃથ્વી ઉપર સર્વ અંગને નાંખીને હાહાર વડે અત્યંત રોતી તે કહેવા લાગી કે-“હે વત્સ! તું આમ કેમ રહે છે? મંદ ભાગ્યવાળી મને જવાબ કેમ આપતે નથી? અથવા ચક્ષુ નાખવા માત્ર વડે પણ કેમ આનંદ આપતું નથી ?” આ અવસરે વિજયબળ રાજા ત્યાં આવ્યું, અને તેવા પ્રકારની અવસ્થાવાળા રાજપુત્રને જોઈને અંત:કરણમાં મોટા શકને વેગ પ્રસરવાથી કહેવા લાગે કે-“હે દેવી ! આપણે મંદ ભાગ્યવાળા લેકસમૂહના ઉપલા ભાગે (પ્રથમ) વતીએ છીએ, કે જે આપણે એક પુત્ર દેશાંતરના અતિથિપણાને પામે, અને બીજો પુત્ર આવી દશાને પામે.” આ વિગેરે શેકના વચનેને તેઓ બોલતા હતા તેવામાં અત્યંત દુસહ વ્યાધિથી વ્યાપ્ત અંગવાળે તે રાજપુત્ર પવનથી હણાયેલા દીવાની જેમ બુઝાઈ ગયો. તે વખતે મોટા દુઃખના સમૂહથી વ્યાપ્ત થયેલા અંતઃપુરની સાથે રાજા સામાન્ય માણસની જેમ ધીરજનો ત્યાગ કરીને રવા લાગ્યો. ત્યારપછી આઠંદ શદના સમૂહવડે આકાશતળને ભરી દેતા પરિજનોએ તત્કાળ તે રાજ પુત્રનું સમગ્ર મૃતકાર્ય કર્યું. રાજા પણ તે પ્રકારે કોઈ પણ રીતે મોટા શકરૂપી પર્વતવડે દબાયે, કે જે પ્રકારે તેને માટે ઉચ્છવાસ પણ મહા કષ્ટ કરીને નીકળવા લાગ્યું. તેણે સમગ્ર રાજ્યકાર્યને ત્યાગ કર્યો, અને સમગ્ર કાયાને વ્યાપાર રૂંધીને યોગીની જેમ વર્તવા લાગ્યા. ત્યારે તેને મંત્રીઓએ આ પ્રમાણે કહ્યું, કે-“હે દેવ! તમારે આ પ્રમાણે વિરામ રહિત (નિરંતર) શોક કરે એગ્ય નથી, કે જેથી તમારા વિપરીત ચિત્તપણાએ કરીને આખું જગત સીદાય છે. હે નરેંદ્ર! ત્રણ જગતમાં ઉત્પન્ન થયેલ જે કોઈ ચર અને અચર વસ્તુ છે, તે સર્વ ઉત્પત્તિ અને નાશ કરીને સહિત જ છે તેથી અહીં શેક કરવાવડે શું ફળ છે? હે દેવ! આ શેક કરવાથી કે શેડો પણ ગુણ નથી, પરંતુ માત્ર અર્થને વિનાશ અને પ્રજનની હાનિ થાય છે. હે દેવી! પરલેકમાં ગયેલા જીવને રૂદનાદિકમાંથી કોઈએ પણ કદાપિ પાછો વાળે નથી, તેથી નિષ્ફળ શોકે