SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૭૨] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ : પામે છે. હંમેશાં ભૂતાઈને સમર્થ કરવામાં એક સામર્થ્યવાળી, સંશયને નાશ કરનારી, અમૃત જેવી અને સદ્ધર્મના સારવાળી તમારી વાણીને સાંભળે છે, તેઓના જ જીવિતને, જન્મને, વિજ્ઞાનને, જ્ઞાનને, નિપુણતાને અને મનુષ્યપણાના લાભને હું અત્યંત મહાફળ વાળા માનું છું, કે જેઓ હે નાથ! તમારી આજ્ઞામાં વર્તનારા, ત્રણ ભુવનને પણ પૂજ્ય અને તમારા ચરણકમળની સેવામાં તત્પર થઈને સુખે કરીને દિવસો નિર્ગમન કરે છે. અને વધતા પ્રયાસવાળું અમારું જીવિત દુર્ગતિના ફળવાળું જ છે કે જેઓ તુચ્છ રાજ્યના કાર્યમાં સદા ઉઘોગી રહે છે. પરંતુ સંતાપને કરનારા પણ ઘરને અને બંધનરૂપ પણ બંધુના પ્રતિબંધને તજીને શીધ્રપણે નિરંતર તમારા પાદની સેવા કરતા નથી. આ પ્રમાણે રાજા જેટલામાં વચનવડે સ્તુતિ કરે છે, તેટલામાં શક (6) વિનય સહિત મસ્તકને નમાવી તથા કપાળતળ ઉપર બે હાથ સ્થાપન કરી મોટા વૃદ્ધિ પામતા , હર્ષથી કહેવા લાગ્યા, કે–“મેઘના જેવા ઘેર શબ્દને કરનાર, શક, અત્યંત વૃદ્ધિ પામતા શ્રેષવાળા કમકે હે નાથ ! તમારા ઉપર વેતાળના સમૂહ વિગેરેના ભયંકર ઉપસર્ગ કેમ કર્યા? તમારું દર્શન પરમ આનંદને કરનારું છે, અને સમગ્ર દેષને સંહાર કરનાર છે, તેને પ્રાકૃત જનો કેમ વખાણતા નથી કે જેથી વિના કારણે કોતક કરે છે?” ત્યારે જગદગુરુ પાર્શ્વનાથ ભગવાન ઇદ્રની સન્મુખ બોલ્યા કે–“પૂર્વ જન્મની મારી ભાર્યાનું આ કાર્ય છે. અરવિંદરાજાના રાજ્યમાં મારા ભાઈનું મેં અપમાન કર્યું, તેથી ઘણા પ્રકારે વિરનો પ્રબંધ થયે. જે ત્યાં વધ થયે, તે વળી હાથી થયો, પછી વિદ્યાધર થયે, પછી રાજપુત્ર થયે, પછી ચક્રવતી થયે, તે શ્રમણ (સાધુ) થયે, તે વખતે તેણે શુભ ધ્યાનને હર્યું. આ પ્રમાણે હે ઇ! વૈરનું નિમિત્ત હજુ સુધી તે પિતાના મનમાં ધારણ કરે છે. આવા પ્રકારના કરેલા વિવિધ ઉપસર્ગો શું શું દુખ ન કરે કે જે દુખ ઇદ્ધિને લાગેલ ન હોય? જો કે મોટા ગુણવાળી તીર્થંકર પદવીને હું પામે તે પણ વિરામ પામ્યો નહીં” આ પ્રમાણે કર્ણના વિવરમાં ઉતરેલા વેરના કારણને સાંભળીને ઇંદ્ર વિગેરે જને જ્ઞાનના નિધાનરૂપ જિનેશ્વરનું સ્મરણ કરતા તુષ્ટ મનવાળા થઈને પિતાપિતાને સ્થાને ગયા. આ પ્રમાણે વિનના સમૂહને નાશ કરનારા જગદગુરુ પાર્શ્વનાથના મોટા ક યાણના સમૂહથી ભરાયેલા આ ચરિત્રને વિષે દશ ગણધરના પૂર્વવૃત્તાંતના વિસ્તારવડે તથા તીર્થના વિસ્તારવડે યુક્ત મોટા વૃત્તાંતવાળે આ એથે પ્રસ્તાવ લેશવડે કરીને (સંક્ષેપથી)કહ્યો. ઈતિ ચતુર્થ પ્રસ્તાવ,
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy