SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જર એક દિવસ તે બન્ને જણાં રતામાં ચાલ્યા જાય છે ત્યાં અવળા ગધેડા પર બેસાડેલ રાજાના માણસા વધ માટે લઇ જતાં એક કાલિક કે જે દ્રોણનું બલીદાન દેતા હતા તેને લઈ જતા જોઈ દુષ્કર્મના વિલાસના દ્રોણ વિચાર કરે છે. કેટલાક દિવસે દ્રોણુ પેાતાને ઘેર જતાં તુવન નામના નગરમાં પ્રવેશ કરે છે. ત્યાં ગુણધર નામના સૂરિને જોઇ વંદન કરે છે. જ્યાં તે આચાર્ય મહારાજના સુપ્રભ નામના તપસ્વી શિષ્યને રાત્રિના વિષે સર્પ કરડે છે તેના મંત્ર-તત્રાદિવડે અનેક ઉપચારો કર્યા છતાં ઝેર ઉતરતું નથી ત્યાં દ્રોણ તેનું ઝેર ઉતારે છે અને શિષ્યને જાતિસ્મરણજ્ઞાન થાય છે અને જણાવે છે કે પૂર્વ ભવે આપણે બંને ભાઈઓ હતા અને ચારિત્ર લઇ પછી દેવલાક ગયા હતા. સાધુ કહે છે કે-તને દેખવાથી પૂર્વજન્મનુ' મને મરણુ થયુ છે. અત્યારે તને જોવાથી મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આ સાંભળી દ્રોણુને જાતિસ્મરણુ ઉત્પન્ન થાય છે અને મુનિશ્રીને સંયમ લેવાને પેાતાને વિચાર જણાવતાં સૂરિમહારાજ તેને સ ંસારની અસ્થિરતા, અશરણુતા, વિષય, કષાય, પ્રમાદ, રાગદ્વેષ, મેહના વિપાકનુ સ્વરૂપ તેને સાંભળાવે છે. જે સંક્ષિપ્તમાં આચાર્ય મહારાજ અહિજણાવે છે તે વાંચવા જેવુ' છે. ( પા૦ ૨૨૬) તે સાંભળી દ્રોણુ ત્યાં દીક્ષા અ'ગીકાર કરે છે. તપ વગેરે અનુષ્કાને વર્ડ ચારિત્ર પાળે છે. એક દિવસ ગુરુશ્રી વ્યાખ્યાન શરૂ કરે છે. દરમ્યાન એક પુરુષ નિભૅયપુરમાંથી ત્યાં આવે છે. વ્યાખ્યાન પૂર્ણ થયા પછી દ્રોણ તેને પૂછે છે ઃ–મારા સંસારીજનાની શી સ્થિતિ છે ? તે જણાવે છે કે-તમારી શ્રી મરણ પામી છે. માટા પુત્ર વ્યસનાદિકમાં પડવાથી રાજાએ તેને કેદખાનામાં નાખ્યા છે. અહિં' દ્રોણુ કર્મના વિપાકના વિચાર કરે છે અને ગુરુ આજ્ઞાવર્ડ કેટલાએક મુનિએ સાથે પોતાના પુત્રને પ્રતિષેધ કરવા નિયપુર આવે છે. ત્યાંના રાજા ત્યાં આવી વાંદી ઉચિત સ્થાને બેસી દ્રોણુ મુનિને પૂછતાં પ્રાર'ભથી અત્યાર સુધી શુ થયુ' તે જણાવે છે. રાજાને વૈરાગ્ય પ્રાપ્ત થતાં ક્રતુ' સ્વરૂપ સાંભળ દ્રોણ મુનિના વખાણ કરે છે. પછી તેના નાના પુત્ર ત્યાં આવે છે. તેને ઉપદેશ આપી દ્રોણુ દીક્ષા આપે છે. પછી સજમ બરાબર પાળી મૃત્યુ પામી, દ્રોણુ પ્રથમ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવી આ જંદ્રીપના ભરતક્ષેત્રમાં મગધ દેશમાં રાજગૃહી નગરીમાં રાજાના અમાત્યના પુત્રપણે જન્મે છે. ત્યાં તેનુ આયુધાષ નામ પાડે છે. ત્યાં સ્ત્રીના પરિગ્રહને નહિં કરતા કેટલાક વખત સુધી સારા સાધુઓની સેવામાં રહી હમણાં જ પ્રત્રજ્યા લેવાને ઇચ્છતા તેના મિત્ર સાથે અહિં આવી મારી પાસે દીક્ષા ગ્રહણ કરી છે. આ પ્રમાણે બીજા ગણુધરને વૃત્તાંત શ્રી પાર્શ્વનાથ ભગવતે જણાવ્યા પછી હવે દેવાધિદેવ ત્રીજા ગણધરને વૃત્તાંત કહે છે. ત્રીજા ગણધર વશિષ્ઠના પૂર્વભવતુ વર્ણન, હવે જગદ્ગુરુ જણાવે છે કેજ'ખૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં પુષ્પલાવતી વિજયમાં સામનસ નામના નગરમાં વિજયસેન નામના રાજા અને તેની નિર્વાણી નામની રાણીને જયસુંદર નામે પુત્ર છે. જેને નંદુક નામના ખાલમત્ર છે. રાજા સુમનસને જયસુંદર ઉપર પૂર્ણુ પ્રેમ હાવાથી પેાતાની બીજી રાણીઓ પાતાના પુત્રાને રાજ્યગાદી ન મળી શકે તેને લઇને કદાચ ઝેર આપી મારી ન નાખે તેવા વિચાર કરી પોતાના પુત્ર હાલ ગુપ્ત રીતે દેશાવર કરે તેમ વિચારી જયસુંદર પરત્વે ( ખાટા ) અણુગમા અને ન્હાનું બતાવી પોતાની પાસે આવવાની મના કરવાથી જયસુંદર પેાતાના મિત્ર
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy