SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ જ • કાર્પેટિક કુમારના કામણની કરેલ શાંતિ અને પ્રાપ્ત થયેલું રાજ્ય. [૩૫] ઓળંગીને લંકાપુરીને ચોતરફ વીંટી લેશે ? એમ કેણ જાણે છે કે રાક્ષસને નાયક (રાવણ) નેહી થશે ? અથવા તે એમ કે જાણે છે કે સુવર્ણના મુગવડે રામ પિતે હરણ કરાશે ? અહો ! એવું આ જગતમાં શું છે કે જે ન સંભવે?” ત્યારે કાર્પટિકે કહ્યું કે “હે મહાનુભાવ! તે સારું કહ્યું. આવા પ્રકારનું સારું કહેનારા તારા પિતાના (મારા) શરીરને ત્યાગ કરવાવડે પણ કાંઈક ઉપકાર થાય તે બહુ સારું થાય. માત્ર એ જ વિશેષ છે કે તું આ ઈછે છે કે નહીં? તે હું બરાબર જાણતા નથી.” રાજપુત્રે કહ્યું કે-“હે મહાભાગ્યવાન ! આરોગ્યની સંપદાને કેણ ન ઈચ્છે? કેણ સુખને ન ઈ છે? કમળના પત્ર જેવા નેત્રવાળી આવતી લક્ષમીને કણ ન ઈચ્છે? દુખી અવસ્થાને પામેલે પણ કેણ જીવિતને ન ઈછે? આ પ્રમાણે હોવાથી તું નિઃશંક મનવાળો થઈને જે ઉચિત લાગે તે કર.” આ પ્રમાણે રાજપુત્રે કહ્યું ત્યારે તે કાર્પેટિક કપટને ત્યાગ કરીને છિદ્રવાળા વેણુ દંડના મધ્યમાંથી મટી ઔષધિથી સિદ્ધ કરેલી એક ગુટિકા કાઢીને તેને ત્રણ વર્ષની છાશની સાથે ચૂર્ણ કરીને રાજપુત્રને આપી. તે ખાવાથી તેને વમન (ઊલટી) અને વિરેચન થયું અને વિકાળ સમયે (સાંજે) તેને ખીરનું ભેજન કરાવ્યું. પછી બીજે ત્રીજે દિવસે પણ ફરીથી પૂર્વ કહેલા વિધિ પ્રમાણે ગુટિકા આપી. તેથી તેને સર્વ કણ દોષ નાશ પામ્યું. અને તે રાજપુત્ર ફરીથી નવા શરીરવાળો થયો. પછી આ મારો મેટો ઉપકારક છે એમ જાણીને તે કાર્પેટિકને શેષ શંબલ(ભાતા) વડે પૂજીને તે કહેવા લાગ્યા કે –“હે મહાનુભાવ! આ પ્રકારના મોટા ઉપકાર કરનારા તમને ત્રણે લોકનું દાન આપવું તે પણ થોડું છે, તો પછી બીજા પદાર્થો આપવા તે શું કામના છે? જેથી તમને શું આપું ? અથવા શું કરું? આવા પ્રકારની અવસ્થાને પામેલા મારે સંપત્તિ કઈ હોય? માત્ર જે કદાચ વિજયચંદ્ર નામનો રાજપુત્ર 'સમૃદ્ધિ પામેલે છે એમ કેઈની પાસેથી સાંભળે, તે સર્વથા ફરીથી પણ દર્શન કરો.” એમ કહીને તે રાજપુત્ર પૂર્વ દેશ તરફ ચાલે. ક્રમે કરીને જતે તે પાટલીખંડ નામના નગરને પ્રાપ્ત થયે. માર્ગના અત્યંત પરિશ્રમથી શરીરની કિલામના (કષ્ટને) પામેલે તે નગરને પાસે રહેલા રક્ત અશોક વૃક્ષની નીચે મણિપીઠિકા ઉપર વિશ્રાંતિને પામ્યું અને તે પ્રદેશના રમણીયપણાએ કરીને પણ વિશ્રાંતિને પામ્ય, શીતળ વાયુના સ્પર્શ વડે સુખ નિદ્રાને પામેલે તે અત્યંત સૂત. તે વખતે તેણે સ્વપ્ન જોયું કે –“મારા ઉદરમાંથી નીકળેલા અત્યંત વિસ્તારને પામેલા આંતરડાઓ વડે પાટલીખંડ નગર ચતરફથી વીંટળાઈ ગયું.” આ વન જેઈને જાગૃત થયેલ તે વિચારવા લાગ્યું કે પૂર્વે કદાપિ નહીં જોયેલા આ સ્વપ્નનું શું ફળ હું માનું ? - હવે આ તરફ તે નગરમાં કીર્તિશેખર નામને રાજા એક વખત રાત્રિએ નિવૃત્તિ ન પામી શકે તેવાં મોટા વ્યાધિની વેદનાથી વ્યાપ્ત થયે. ઓષધાદિકના સંગ કર્યા છતાં પણ, દેવતાના સમૂહને પૂજ્યા છતાં પણ, નવ શહેને તૃપ્ત કર્યા છતાં અને પુરોહિતે
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy