SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૫૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪છે ? શ્રેષ્ઠ કહેવાય છે?” ત્યારે તેણે “તત્તિ (બહુ સારું)” એમ અંગીકાર કરીને ક્ષેમદત્ત નામના સાધુની પાસે જઈને વિનયથી નમીને ઉચિત મરણ પૂછ્યું. મુનિએ પણ આ પ્રમાણે કહ્યું કે “ગિરિના શિખર ઉપરથી પડવું વિગેરે મરણે અનેક જીવોના દુઃખના હેતુ (કારણ ) છે તેથી તે કરવા યોગ્ય નથી. પરંતુ તપ, નિયમ અને સંયમના ઉદ્યોગ વડે શોભતા મનુષ્યના પિતાના ક્રમે કરીને પ્રાપ્ત થયેલા મુખ્ય આરાધનાવાળા મરણને સર્વસ ભગવાન વખાણે છે.” તે સાંભળીને તેણે રાજ પુત્રને તે વાત સમ્યફપ્રકારે કહી. ત્યારે મરણથકી નિવૃત્ત થયેલા ચિત્તવાળા તેણે વિચાર્યું, કે-“તે દેશમાં હું જાઉં, કે જ્યાં ગયેલા મને કોઈ પણ જાણતા ન હોય, કેમકે અહીં રહેલો હું કાંઈપણ કરવાને શક્તિમાન નથી. દેખાતા મનોહર, સુનિલષ્ટ અને સુંદર અવયવવાળું તે મારું શરીર પણ આવી અવસ્થાને પામ્યું. અરે ! હવે હું શું કરું? અથવા તો આ પ્રમાણે સંતાપ કરવાવડે શું? પોતે કરેલા દુષ્ટ કર્મોને અનુભવ કર્યા વિના મોક્ષ કદાપિ થતું જ નથી. જેઓનું સંપત્તિમાં જેવું મન હોય, તેવું વિપત્તિમાં પણ તુલ્ય (સમાન ) હોય, તે જ ધીર પુરુષો છે. જે એમ ન હોય, તે જગતમાં કોઈ પણ અધીર નહીં કહેવાય. આ જગતને વિષે પણ કંઈ મનુષ્ય એકાંત સુખી નથી એમ હું માનું છું. તેથી હે જીવ! થોડા પણ ચિત્તના સંતાપને તું ન કર. જે ચક્રવતી અને વાસુદેવ પણ કર્મના વશથી આપત્તિને પામે છે, તે કીડા સરખે મારી જે મનુષ્ય કેમ સંતાપ કરે છે?આ પ્રમાણે ધીરજને ધારણ કરતા તે રાત્રિના બે પહોર વ્યતીત થયા ત્યારે કેઈને આ વાત કહ્યા વિના વૈષનું પરાવર્તન કરીને તથા પ્રકારનું કાંઈક શંબલ(ભાતા)ને ગ્ય વસ્તુ ગ્રહણ કરીને પિતાના ઘરમાંથી બહાર નીકળે. ધીમે ધીમે ચાલતે તે પત્રાલય(પ્રાપ્યાલય) નામના ગામને પામ્યા, અને પરદેશીને મઠને વિષે રહ્યો. ત્યાં એક કાર્પેટિકે તે કુમારના શરીરને જોઈને તથા રોગનું નિદાન જાણુને નિપુણ બુદ્ધિથી આ પ્રમાણે કહ્યું, કે-“હે મોટા પ્રભાવવાળા ! તું જ્યાં વસે છે? અને તારા આ રોગને સંભવ કયાંથી થયે?” કુમારે કહ્યું કે “હું” હસ્તિનાપુરમાં વસું છું, રોગનું ઉત્થાન (ઉત્પત્તિ) કેનાથી થયું છે, તે હું જાણતો નથી.” કાર્પેટિક કહ્યું કે “જે ઘરમાં તું રહે છે, તે ઘરમાં શું તારી પત્ની માતા કે પ્રતિકૂલ ભાર્યા? કે કઈ વિરુદ્ધ પુરુષ છે કે નથી ?” રાજપુત્રે કહ્યું કે “સપત્ની માતા છે, પરંતુ તેવા વિરુદ્ધ આચારવાળી મેં જાણ નથી. ” કાર્પટિકે કહ્યું-“પ્રથમ તે છે. તેને પુત્ર છે કે નથી?” કુમારે કહ્યું-“છે.” કાઈટિકે કહ્યું-“તે કાર્યને વિનાશ થયો. હે મહાનુભાવ! પ્રતિકૂળ થયેલી સપની માતાએ પોતાના પુત્રના ઈછિત અર્થના વિનાશની શંકા થવાથી ભેજનાદિકના મિષવડે તારા ઉપર આ કાર્મણ કર્યું છે, એમ હું સંભાવના કરું છું.” કુમારે કહ્યું કે અહીં શું ન સંભવે ? કેણ કવિજન જાણે છે કે-મોટા સમુદ્રને ૧ કાપડિએ.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy