SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયચંદ્રને તેની અપરમાતાએ કરેલ કામણ. [ ૩૫૭ ] ત્યારપછી કઈ દિવસે ધારણ કરેલા વેત છત્રવાળા, હાથણના સકંધ ઉપર ચડેલા, પાસે ચાલતા મજબુત અશ્વના સમૂહવડે રાજમાર્ગને રૂંધતા, માર્ગણના સમૂહવડે ગવાતા ગુણના સમૂહવાળા, ઘણા કેવડે જેવાતા, આનંદ કરનારી રાજલક્ષમીના વિસ્તારવાળા અને રાજપાટીએ નીકળેલા તે રાજપુત્રને જોઈને ગવાક્ષ(બારી)માં રહેલી સૌભાગ્યસુંદરી તેની મોટી સમૃદ્ધિ જેવાને અસમર્થ થવાથી મોટા ચિત્તના સંતાપને પામી, અને વિચાર કરવા લાગી કે-“હવે શું કરવું યોગ્ય છે? આ સપત્નીના પુત્રને મારા પ્રણયના ભંગની અપેક્ષા રાખ્યા વિના રાજાએ આવી પદવીએ સ્થાપન કર્યો. હવે કદાચ રાજ્યલક્ષમીને પણ પામશે, તેથી હજુ જ્યાં સુધી આ રાજ્યને પામે નથી ત્યાં સુધીમાં કોઈપણ પ્રગવડે આના પ્રાણુને નાશ કરે ગ્ય છે.” આ પ્રમાણે નિશ્ચય કરીને તેણીએ કાર્પણ કર્યું, પાણીની સાથે તેને સંચાર કર્યો (પાણીથી મિશ્ર કર્યું). તે પાણીને ઉપભેગા કર્યા પછી તરત જ તે વિજયચંદ્ર દેહને દાહ વિગેરે દવડે ગ્રહણ કરાયે. તેણે આ વૃત્તાંત રાજાને જણાવ્યું. તેણે પણ ઉત્પન્ન થયેલા મોટા દુઃખથી મંત્ર, તંત્ર વિગેરે જાણનારાને જણાવ્યું. તેઓએ વ્યાધિને વિનાશ કરનાર વિવિધ પ્રકારનો ઉપક્રમ (ઉપાય) આરંભ્યો પરંતુ કોઈ પણ વિશેષ થયે નહીં (ગુણ થયો નહીં). ત્યારે તેને પ્રતિકાર નહીં થવાથી વિલખા મુખવાળા મંત્રાદિકને જાણનારા તેઓ જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. રાજપુત્ર પણ દરેક દિવસે દુર્જનની જેમ અવકાશ પામેલા વ્યાધિવડે અત્યંત પરાભવ પામે. તેના બન્ને હાથ કૃશ થયા, શરીરનું સામર્થ્ય ક્ષીણ થયું, તથા મુખ, નેત્ર અને નાસિકાના વિભાગ સંકેચ પામ્યા, તેથી લજજાવડે કોઈને પિતાનું શરીર નહીં દેખાડતે તથા અત્યંત દુર્દશનપણીવડે પોતે પણ પોતાના આત્માને સંદેહ કરતે તે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા, કે – મેટા રેગથી વ્યાસ થયેલા અને સાથે ધૂળની કીડા કરનારા મિત્રને પણ ઉદ્વેગ કરનારા મારે હવે અહીં રહેવું યોગ્ય નથી. જ્યાં પિતા પણ પ્રેમની પ્રધાનતાવડે પ્રતિપત્તિવાળ અને મેટા નેહવાળો હોવા છતાં પણ અવળા મુખને કરે છે, અને પૂર્વના બહમાનનું ખંડન કરે છે તેવા સ્થાને પણ કટાક્ષ સહિત જેનારા શુદ્ર લેકના કાંઈક હાસ્ય વડે જોવાયેલા બુદ્ધિમાન પુરુષે રહેવાની બુદ્ધિ કરવી યોગ્ય નથી, પરંતુ આપત્તિમાં પડેલા અને બીજાના પરાભવને નહીં સહન કરનારા અભિમાની પુરુષને પિતાનું અદર્શન ઉચિત છે. તે શું હવે અગ્નિનું સાધન, જળમાં પ્રવેશ કે ગિરિના શિખર ઉપરથી ભગુપાત કરીને આત્માનું મૂકવું (મરણ) ગ્ય છે? આ સર્વને મધ્ય કાંઈ પણ પ્રાપ્ત થયેલું જણાતું નથી, તેથી શાસ્ત્રને જાણનારા મુનિને પૂછીને અહીં જે કોઈ યોગ્ય હોય, તે હું કર.” પછી તેને બાલ મિત્ર શુભંકર નામને છે, તેને તેણે કહ્યું કે–“ તું અહીંથી જઈને કઈક કુશળ મુનિને આ પ્રમાણે પૂછ, કે –“જે માણસ મરવાને જ અહીં ઇચ્છતે હાય, તે ગિરિપાત વગેરેની મધ્યેથી કર્યું મરણ અંગીકાર કરે ? શાસ્ત્રને વિષે કયું મરણ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy