________________
[ ૩૫૬ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ ચા :
સમૂહને ભણાવ્યા. કરવાલ, કુંત, શરાસન, ચક્ર, સેલ વિગેરે શસ્રના નાંખવાને વિષે મેટી કુશળતાને પમાડચા. હાથી, અશ્વ અને મહલના પરિશ્રમને કરાવ્યા, અને માટા યૌવનને પામેલા તે બન્નેને માટા વૈભવવડે રાજપુત્રીઓ પરણાવી. તે બન્ને પુત્રા પરસ્પર સ્નેહવડે વર્તીને કાળનુ નિમન કરવા લાગ્યા. રાજા પણ આ માતાના વિયાગવાળા છે એમ જાણીને ચાવડે વિશેષે કરીને વસ્ત્ર, અલકાર વિગેરે આપવાવડે તે વિજયચંદ્ર રાજપુત્રને ઉપચાર કરતા હતા. અને “આ તા એ પાંખ સહિત છે ” એમ જાણીને બીજા પુત્રને તેવા ઉપચાર કરતા ન હતા. પછી સ્ત્રીજનનું સારા વિચારપણું' નહીં હાવાની તથા બુદ્ધિના પ્રકનું તુચ્છ જોવામાં પ્રધાનપણે હાવાથી હૃદયની અંદર ઉત્પન્ન થયેલા ઇર્ષ્યાના સમૂહવાળી સૌભાગ્યસુંદરી વિચારવા લાગી કે—“ કાંઇ પણ કારણુવડે રાજા વિજયચંદ્ન ઉપર દાન, સન્માન વિગેરેવર્ડ અધિક પ્રેમ દેખાડે છે, પણ મારા પુત્ર ઉપર દેખાડતા નથી. આવુ કરવુ શુ રાજાને ચેાગ્ય છે ? અથવા તા મારાથી પણ વિજયચંદ્રની માતા અધિક પ્રસાદનું સ્થાન હતી. તેના સંબંધથી પુત્ર પણ તેવા જ થયા. આટલા માત્રથી પશુ કયા દોષ નથી? વળી જો મારા પુત્રને છેાડીને રાજા કોઇપણ પ્રકારે આને રાજ્ય પશુ આપશે તે ઘણું અયેાગ્ય થશે.” આ પ્રમાણે વિચારતી તે દિવસેાને નિર્ગમન કરવા લાગી. ત્યાર પછી કાઇક અવસરે કાળસેન નામના બિલપતિની સાથે અકસ્માત વિરાધ ઉત્પન્ન થયેા. ત્યારે ઉત્પન્ન થયેલા માટા કાપવાળા રાજા પોતે તેના નિગ્રહ કરવા માટે ચાલ્યે. ત્યારે તેના પગમાં પડેલા વિજયચંદ્ર કુમારે રાજાને પાછા વાળ્યા, અને કેટલાક હાથી, અશ્વ અને પદાતિવડે પરિવરેલા તે રાજપુત્ર પાંચ દિવસને યાગ્ય શંખલ( ભાતુ' ) લઈને અન્ય દિશા તરફ પ્રયાણુ દઇને ( કરીને ) વેગથી પલ્લીની સન્મુખ ચાલ્યા. એક દિવસે કરીને માર્ગોના ખાર ચેાજન ઉલ્લંઘન કરીને સૂર્ય અસ્ત પામ્યા ત્યારે, કઠણુ ખરીવડે ખાદેલી પૃથ્વીની રજના સમૂહવટે ગાયાના સમૂહે આકાશને આચ્છાદિત કર્યું ત્યારે તથા પેાતાના માળા તરફ ગમન કરવામાં પ્રવર્તે લા પક્ષીના સમૂહના કાલાહલ થતા હતા ત્યારે ગૂઢચર પુરુષાએ પણ નહીં જાણેલા, પલ્લીપતિએ મેકલેલા આરક્ષક પુરુષાએ પણ નહીં દેખેલે તથા યમરાજની જેમ જેનુ આગમન જણાયુ નથી એવા તે રાજપુત્ર કાળસેન જિલ્લપતિના ભવનમાં પેઠા. અને “રે રે દુરાચારી ! તારા ઉપર વિજયબળ રાજા કાપ પામ્યા છે, તેથી કાઈપણુ મળવાનનું શરણુ અંગીકાર કર. તારા મેાક્ષ નહીં થાય.” એ પ્રમાણે ખેલતા રાજપુત્ર ગાઢ કરની ચપેટાવડે તેને મારીને પાડ્યો અને ખાંધ્યા. પછી એક ક્ષણવારમાં સારભૂત ધન, કનક, કાંસુ અને વસ્ત્ર વિગેરે ગ્રહણ કરીને અને પલ્ટીપતિને કેદીની જેમ ગ્રહણ કરવાવડે વશ કરીને તે કુમાર પાછા વળ્યેા. માત્ર પાંચ રાત્રિવડે જ પાતાના નગરમાં પ્રાપ્ત થયા. રાજાના ચરણમાં પલ્ટીપતિને નાંખ્યું અને તે પલ્લીમાંથી ગ્રહણ કરેલું ધન, કનક વિગેરે તેની પાસે મૂકયું. તે જોઈ રાજા અતિ હર્ષ પામ્યા, તેથી કુમારને યુવરાજ પદવી આપી. તથા હાથી, અશ્વ, ખજાના અને કેાઠાર વિગેરે . આપ્યા.