SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ તિલકસુંદરીની ક્ષમાપના અને મૃત્યુ. [૩પપ ] તેમ કર. વિશિષ્ટ તપ, ચારિત્ર અને જ્ઞાનવાળા સાધુઓને તથા દીન અને દુઃખો માણસોને ધર્મને માટે ધન આપ, અને બીજું પણ ધર્મકાર્ય કર. તે આ રાધાવેધ જેવા પ્રસ્તાવને સત્વ રહિત મનુષ્ય આરાધવાને શક્તિમાન નથી, તેથી હે દેવી! તું તેમાં ઉદ્યમવાળી થા.” આ પ્રમાણે રાજાએ કહ્યું ત્યારે તિલકસુંદરીએ સર્વે અંતઃપુરની સ્ત્રીઓને (દાસીએને) અને સૌભાગ્યસુંદરીને બોલાવી. પછી પિતાના કપાળ પટ્ટ ઉપર હાથરૂપી કમળના કેશને સ્થાપન કરીને (હાથ જોડીને) તેઓને કહ્યું કે –“અહીં મેં મદવડે, ક્રોધવડે, ભવડે અથવા છેતરવાના પ્રયત્નવડે (માયાવડે ) તમારું જે કાંઈ અનુચિત આચરણ કર્યું હોય, તે સર્વ તમારે ખમવું. હદયમાં થોડો પણ ખેદ ધારણ ન કરે.” તથા સૌભાગ્યસુંદરીને પણ પિતાના અલંકાર આપવાપૂર્વક પ્રેમ સહિત કહ્યું કે“હે બહેન ! હાસ્ય અને દ્વેષ વિગેરેવડે જે કાંઈ મેં અપરાધ કર્યો હોય, તે સર્વ મારા અપરાધ તું ક્ષમા કરજે, અને આ વિજયચંદ્ર રાજપુત્રને પદ્દમદેવ રાજપુત્રની જેમ જે. ઘણું શું કહું? તારા ઉસંગમાં જ મેં તેને નાંખે છે. જેમ ઉચિત લાગે, તેમ તું કરજે.” પછી તેણીએ વિજયચંદ્ર કુમારને પણ કહ્યું કે “હે પુત્ર! હવેથી આ તારી માતા છે, તેને મારાથી પણ અધિક ગૌરવવડે તારે જેવી (જાણવી). અને હે વત્સ ! આજ કે કાલ અકલ્યાણને ભજનારી હું મરણને શરણ થઈશ.” પછી સૌભાગ્યસુંદરીએ કહ્યું કે-“હે દેવી! હવે તું પુત્રની ચિંતા ન કરીશ. વિજયચંદ્ર મારો પહેલો પુત્ર છે અને ત્યાર પછી (બીજો) પદમદેવ છે.” આ પ્રમાણે અંતઃપુરની સ્ત્રીઓ મોટા ચિત્તના સંતાપને ધારણ કરતી તાવિચ્છ(તમાલ પત્ર)ને ગુચ્છ જેવી (શ્યામ)મુખની કાંતિવાળી “ આવા અંતવાળે આ જીવલોક છે.” એમ બોલતી તે સ્ત્રીઓ તિલકસુંદરીને સારી રીતે ખમાવીને જેમ આવી હતી તેમ ગઈ. સૌભાગ્યસુંદરી - દેવી પણ વિજયચંદ્ર રાજપુત્રને આદર સહિત ગ્રહણ કરીને સંસારના અસારપણાને વિચારતી પ્રતિચારિકા(દાસી)પણાને અંગીકાર કરીને તેણીની પાસે જ રહી. નિરંતર નેત્રમાંથી પડતા અશ્રના પ્રવાહવાળા અને શોક કરતા એવા રાજાને પણ તિલકસુંદરીએ કહ્યું કે“હે દેવ! બીજા મનુષ્યની જેમ તમે આ પ્રમાણે શક કેમ કરે ? શું આ જગતમાં નિત્ય રહેનારા કેઈ જનને તમે જે કે સાંભળે છે કે જેથી કરીને આ પ્રમાણે ઘણી રીતે તમે પીડા પામે છે, ખેદ પામે છે અને સંતાપ પામે છે?—જ્યાં સુધી આ જીવને સમૂહ છે અને જ્યાં સુધી ચાર ગતિવાળો આ સંસાર છે, ત્યાં સુધી જન્મ, જરા અને મરણ વિગેરેને સંભવ રહેલે જ છે. ” આ પ્રમાણે રાજાને શાંતિ આપીને તથા સર્વ સંગને ત્યાગ કરીને પરમેષ્ઠીનું સમરણ કરતી દેવી દેવક( વર્ગ)ની લક્ષમીને પામી. પછી રાજા પણ તિલકસુંદરી પરલોકમાં ગઈ ત્યારે તેનું પરક સંબંધી કાર્ય કરીને કાળના ક્રમે કરીને તેના પ્રેમને પુત્ર ઉપર આરોપણ કરીને અલ્પ શેકવાળો થયે. તથા બને પુત્રને વ્યાકરણ, કાવ્ય, છંદ અને કથા વિગેરે શાસ્ત્રના
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy