________________
[ ૩૫૪ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ છે :
દુસહ વિષવાળા સર્ષવડે હરણ કરેલા ચૈતન્યવાળી મરણ પામી, કઈ વખત સુધાવડે, કઈ વખત મોટી પિપાસા(પીવાની ઈચ્છા )વડે અને કઈ વખત અગ્નિ તથા જળ વિગેરે વડે મરણ પામી. આ રીતે અનેક પ્રકારે દુઃખની પરંપરાને અનુભવીને થાડા કર્મનું લઘુપણું થવાથી તે કઈ દારિદ્રના કુળમાં પુત્રીરૂપ ઉત્પન્ન થઈ. મોટા દુર્ભાગ્યના દોષથી દૂષણ પામેલી તેણીને કેઈએ પરણી નહીં. પછી મોટા વૈરાગ્યની વાસનાના વશથી મોટા પાપના સમૂહનું ઉપાર્જને જાણીને તેને વિનાશ કરવા માટે તે સાધુની પાસે ગઇ. તેની પાસે તેણીએ ધર્મ સાંભળ્યો. અને તે જ દિવસથી તેણીએ છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે દુષ્કર તપને વ્યાપાર આર. પછી કાળને સમયે મરીને હે મોટા રાજા! તે તારી અગ્રમહિષી(પટરાણી)પણે ઉત્પન્ન થઈ છે. અને હમણાં નિર્જરા નહીં પામેલા પૂર્વના શેષ દુષ્કર્મના ઉદયના વશથી ઉત્પન્ન થયેલા જલદરના મોટા રોગવાળી અને થોડા બાકી રહેલા આયુષ્યવાળી તે આ પ્રમાણે વર્તે છે. હવે આયુષ્યને ક્ષય પામીને તે મરી જશે.” આ પ્રમાણે સમગ્ર વૃત્તાંત જણાવીને દેવતાવડે સંક્રાંત થયેલી તે કુમારી વિરામ પામી. રાજા પણ તથા પ્રકાર નું તિલકસુંદરીનું શરીર જાણીને મોટા શોકના સમૂહને ધારણ કરતે ભેરવને વિદાય કરીને અંતઃપુરમાં ગયા. ત્યાં તિલકસુંદરીને દેખી અને કહ્યું કે –“હે સુતનુ ! જે પ્રમાણે તું કહે છે, તે પ્રમાણે દેવતાવડે આક્રાંત થયેલી કુમારીએ કહ્યું. આ વ્યાધિને ઉપશમ નથી, અને તેને આશ્રીને પાસે રહેલું મરણ પ્રાપ્ત થયું છે.” તિલકસુંદરીએ કહ્યું કે“કયા કારણે દેવતાએ આ કહ્યું?” ત્યારે રાજાએ તે દેવતાએ કહેલે પૂર્વ ભવને સર્વ વૃત્તાંત તેણીને નિવેદન કર્યો (કો), ત્યારે તે સમગ્ર પણ પિતે અનુભવેલાને વિચારતી તે જાતિસ્મરણને પામીને તથા મોટા અનિષ્ટ કણની પરંપરાને જોઈને તેણી પોતાનાં આત્માને ઘણા કાળ સુધી શેક કરવા લાગી કે –“હે પાપી જીવ ! આત્માનું અનર્થ કરનારું તેં શું કર્યું કે જેથી અયોગ્ય ભક્ત આપવાવડે તેવા પ્રકારનું પાપ ઉપાર્જન કર્યું? થોડા અર્થને માટે ઘણાને ત્યાગ કરે એ કરવાને શું યેગ્ય છે? હા ! હા! જીવ! અનાર્ય અને દુર્જન્મની જાતિમાં ઉત્પન્ન થયેલ તું દુઃખનું સ્થાન થયેલ છે. ઉગ્ર વિષવાળા આહારને કવલ (કળીયે) કરે સારો છે, ખ ઉપર સૂવું સારું છે, સિંહની દાઢાના સમૂહને ખજવાળવાનું કરવું સારું છે, અગ્નિની મોટી જ્વાળાની શ્રેણિમાં ચાલવું અથવા તેની ઉપર રહેવું સારું છે, અથવા ભાલાના અગ્રભાગ ઉપર પ્રબંધવડે આસન કરવું સારું છે; પરંતુ વિચાર કર્યા વિના સેંકડે અનર્થને ઉત્પન્ન કરનાર વસ્તુના સમૂહનું જે કરવું તે સારું નથી, માટે હવે પૂર્વે અંગીકાર કરેલા જિનધર્મનું તું સ્મરણ કર.” આ પ્રમાણે પૂર્વ ભવમાં કરેલા દુશ્ચરિત્રને વારંવાર નિંદતી અને મેટા સંવેગને પામેલી તે દેવીને રાજાએ કહ્યું, કે–“હે દેવી! કુમારીએ કહેલે આ વૃતાંત શું સત્ય છે?” તેણીએ કહ્યું
હે નરવર ! આ સર્વ સત્ય થયું છે. –તેથી હવે પરભવના પથ્ય (હિતકારક) ભાતારૂપ કાર્યને વિષે ઉદ્યમ કરે એગ્ય છે.” રાજાએ કહ્યું કે–“હે દેવી! જેમ તને ભાસે