SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ હજી • આક્રાન્ત થયેલ કુમારીએ કહેલ તિલકસુંદરીને પૂર્વ ભવ. [ ૩૫૩]. દ્રષિત થયેલા અને અજ્ઞાનવડે વ્યાપ્ત થયેલા છે જે અનિષ્ટ ફળવાળું અશુભ કર્મ કર્યું હોય, તે કર્મ પિતાના શરીરવડે ભેગવ્યા વિના વિવિધ પ્રકારના ઓષધવડે, દેના સમૂહવડે અને દાનવડે પણ દૂર કરવાનું શક્ય નથી.” રાજાએ કહ્યું કે-“હે દેવી! આણે પૂર્વ ભવે શું કર્યું હતું? તે કહો.” કુમારીએ કહ્યું-“એણે પૂર્વભવે જે કર્યું હતું, તે સાંભળો બંગાલ દેશમાં પદમખંડ નામનું નગર છે. તેમાં અભયકુમાર નામને શ્રેણી હતું. તેને શાંતિમતી નામની ભાર્યા હતી. તે બનેના ચિત્ત જિનધર્મને પામેલા હતા, તેથી શક્તિ પ્રમાણે ધર્મમાં તત્પર થયેલા તે બને કાળને નિર્ગમન કરતા હતા. એક દિવસ શાંતિમતીએ અત્યંત પ્રયત્નવડે ભેજન નીપજાવ્યા છતાં પણ કોઈક વિષમ પ્રયાગવડે તે ભેજન વિરસપણાને પામ્યું ત્યારે તેણીએ વિચાર્યું કે શું આ ભેજનને હું ત્યાગ કરું? કે કોઈને આપું?” આ પ્રમાણે ચિંતાવડે વ્યાકુળ મનવાળી તે થઈ તે વખતે ધર્મયશ નામના સાધુ શિક્ષાને માટે ત્યાં આવ્યા, ત્યારે ભજનને ત્યાગ કરવામાં અસમર્થ થયેલી તેણીએ તે ભેજન તે સાધુને આપ્યું. તે સાધુએ પણ પિતાની બુદ્ધિથી ઉદ્દગમ અને ઉત્પાદના દોષથી વિશુદ્ધ (રહિત) નિશ્ચય કરીને તે ભેજન પ્રાપ્ત થાય તે પ્રમાણે ગ્રહણ કર્યું. કાર્ય સિદ્ધ થયું એમ જાણીને તે સાધુ પાછા ફર્યા, અને ગુરુની સમીપે આવ્યા. પછી તેનું પ્રતિક્રમણ કર્યું, ઈરિયાવહી કરી, અને ગમન તથા આગમનની અલેચનાપૂર્વક તે ભજન ગુરુને બતાવ્યું. ગુરુ પણ તે વખતે કાંઈક અકુશળ શરીરવાળા હતા, તેથી ભેજન કરવા માટે બેઠા. પછી દેવના ચરણકમળનું સ્મરણ કરીને તથા બાલ, ગ્લાન વિગેરેની ચિંતા કરીને રાગ દ્વેષ રહિત મનવાળા તે ગુરુએ ભજન કરવાનો આરંભ કર્યો. તે વખતે વિકારવાળા અને પરિપાકના દેષથી વિરસપણાને પામેલા તે ભેજનને આહાર કરતા હતા ત્યારે તે સૂરિના શરીરને વિશે અતિ દુસહ જવર અને અતિસાર વિગેરે મોટા રોગો ઉત્પન્ન થયા. ત્યારે સાધુઓએ ઔષધાદિકવડે તેને સારી રીતે ઉપચાર કર્યો. મહાસત્વ(વીર્ય)વાળા તે ગુરુ મોટા કgવડે પ્રગુણ (સારા) શરીરવાળા થયા. પછી પ્રાણીઓનું રક્ષણ કરવા માટે શાસ્ત્રના અર્થનું વ્યાખ્યાન કરીને ભવ્ય જીવોને પ્રતિબંધ કરીને, જિનકલ્પને વિષે આત્માનું પરિકર્મ કરીને તે ગુરુ દેવલોકની લક્ષમીને (સ્વર્ગને) પામ્યા. તથા મોટા પ્રભાવવાળી તે શાંતિમતી અત્યંત વિરુદ્ધ ભેજનના દાનવડે અને પર્વત જેવડા મોટા દુઃખને ઉત્પન્ન કરવાવડે પાપના સમૂહને બાંધીને પછી મૃત્યુ પામીને સાધુના શરીરને પીડા ઉત્પન્ન કરવાના ષવડે નિંદવા લાયક સર્વ જાતિઓમાં ઉત્પન્ન થઈ. ત્યાં કઈ વખત પ્રલય કાળના અગ્નિ જેવા જવરવડે તે મરણ પામી. કોઈ વખત તીવ્ર અને દુસ્સહ “વાસ અને કાશની વેદનાવડે મરણ પામી, કેઈ વખત તડતડ શબ્દ કરતી ભયંકર વિજળીથી તાડન કરાયેલી તે તરત જ મરણ પામી, કેઈ વખત - ૪૫
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy