________________
[૩૬૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪છે :
શાંતિકર્મ કર્યા છતાં પણ તે મરણને પામ્યું. તે વખતે તેવા પ્રકારના પુત્રાદિકના રહિતપણાથી ચતરફ દુષ્ટ દાયા (ભાગીદાર)ના સમૂહ પ્રાપ્ત થયા ત્યારે મંત્રી અને સામંત વિગેરે પ્રધાન લોકેએ ગુપ્ત રીતે તે રાજાનું પરક સંબંધી કાર્ય કરીને શ્રેષ્ઠ હાથી, અશ્વ વિગેરે પાંચ દિવ્ય તૈયાર કર્યા અને “ આ દિવ્ય જેને પ્રતિષ્ઠિત કરશે, તે રાજા થશે. ” એમ નિશ્ચય કરીને તે દિ નગરને વિષે ફેરવ્યા, પરંતુ રાજ્યને
ગ્ય પુરુષ જોવામાં આવ્યું નહીં, ત્યારે નગરની બહારના ભાગને જોતા જોતા તે દિવ્ય ત્યાં ગયા, કે જ્યાં તે રાજપુત્ર પવનના અર્થને વિચારતે રહેલ હતા. તે વખતે તે શ્રેષ્ઠ હાથીએ પિતાના ગળાને ગરવ કરીને પિતાની પીઠ ઉપર તેને સ્થાપન કર્યો, તે જ વખતે અવે પ્રગટ હેકારવ કર્યો, મેઘની ગર્જના જેવું ચાર પ્રકારનું વાંજિત્ર વાગવા લાગ્યું, રાજપુત્રના મસ્તક ઉપર છત્ર પોતાની જાતે જ ધારણ થયું, તેની બને બાજુએ કિકોએ ઊંચા કરેલા ચામરે વીંઝાવા લાગ્યા, તથા નમસ્કાર કરતા મંત્રી અને સામત તેની ફરતા પરિવર્યા. આ પ્રમાણે ચિર(પૂર્વ)ભવના કરેલા સુકૃતને અનુસાર રાજ્યલકમીના વિસ્તારને પામેલા તે મહાત્માએ ત્યારપછી નગરમાં પ્રવેશ કર્યો. તે વખતે નગરમાં મોટો ઉત્સવ થયે, તથા અનીતિને કરનારા, લેકેને લૂંટનારા ચાર (ધાડ પાડનાર )ના સમૂહ દૂર નાશી ગયા. ત્યારપછી તે રાજા મટી રાજ્યલક્ષમીને ભગવતે હતું ત્યારે તેને એક શૂરસેન નામને સામત તેને નમસ્કાર નહીં કરતે ગર્વ સહિત આ પ્રમાણે બે, કે–“જેની જાતિનો વિશેષ જા નથી એવા આ કોઈકને વિવેક રહિત તિર્યએ રાજાને સ્થાને સ્થાપન કર્યો છે, તેને ક કુશળ પુરુષ પ્રણામ કરે? આ જનંગમ છે કે બીજે છે? એમ જેને જાણે નથી, તેને પણ રાજ્ય ઉપર સ્થાપન કરીને અરે રે! આ મૂઢજને નમે છે. વાણીની ચતુરાઈ વિગેરે મનહર ગુણના સમૂહ દૂર રહો, પરંતુ જેને વિષે જાતિની પણ વિશુદ્ધિ નથી, તેને વિષે બીજું તે શું હોય?” આ પ્રમાણે વિનય રહિત વચનના સમૂહને બેલતા તેને સાંભળીને અત્યંત કપ પામેલા રાજાએ પ્રતિહાર પુરુષને આ પ્રમાણે કહ્યું કે –“રેરે પ્રતિહાર ! તું એક જ જઇને દંડવડે તેને અત્યંત મારીને તથા ગાઢ રીતે બાંધીને જલદી મારી પાસે લાવ.” આ પ્રમાણે રાજાએ કહેલો તે તેના માહાસ્યથી મોટા વીર્યના ઉલ્લાસને પામીને તેવા કોઈપણ પ્રકારના બળના પ્રકર્ષને પામે કે જેથી હરિ, હર વિગેરેને પણ તૃણ જેવા માનતે તે મોટા સંરંભવડે યમરાજની જેમ દંડને ઉછાળ અને પાદપની
ખલનાને નહીં પામતે તે શુરસેન સામંતની પાસે ગયા. અને તેને કહેવા લાગ્યા કે–“રે રે! તરફ મોટા શત્રુપણાને પ્રગટ કરનાર દુર સામંત ! તું હવે પિતાના કોઈ પણ શરણનું સ્મરણ કર.” આ પ્રમાણે બેલતા તેના મસ્તક ઉપર દંડવડે તડ દઈને
૧ માણસેને અનુસરવા લાયક-માનવા લાયક.