SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ભદ્રયશકુમારને ગુણદત્ત કેવળીએ કરેલ ઉપદેશ. [ ૩૪૫ ] ', અને બીકણુ એવા મારી જેવાનું હૃદય સેા કકડાવાળું થાય તેમાં શું કહેવું ? જગતમાં જય પામતા જેઓના ઘરનું દુધરિત્ર પ્રગટ થાય, તેએની કુલીનતા અથવા કુશળતા કેવી રીતે વર્ણન કરાય ? તેા પશુ કે રાજપુત્ર ! માતાપિતાની જેવા તારી પાસે પેાતાના ઘરનું દુશ્ચરિત્ર કહ્યા છતાં પણ તેવા પ્રકારનુ લઘુપણું થતું નથી, એમ હું માનું છું. આ પ્રમાણે કહીને તે વિદ્યાધર વિરામ પામ્યા ત્યારે વિસ્મય પામેલા રાજપુત્રે ત્રિચાયું કે—“ આ સંસારનું સ્વરૂપ દુજ્ઞેય ( દુ:ખે કરીને જાણી શકાય તેવું) અને વિષમ છે, તેથી તેને ધિક્કાર છે. ગૃહવાસ, સંગતિ, રચના અને ઉલ્લાસ (વિલાસ ) આ સર્વ કાને માટે કરવા ? અથવા અત્યંત પ્રેમથી ખંધુની બુદ્ધિવડે કાને જોવા? અથવા હમણાં અર્થાવ ધ ધનના સમૂહ ) કયાં રહેલા હાય ? કે જ્યાં પેાતાના ભાઇ પણ આવુ અત્યંત વિરુદ્ધ આચરણ કરે છે? અથવા તા અહીં અન્ય ( પૂર્વ ) જન્મનુ વેર જ સ્ફુટ ( પ્રગટ ) કારણ હાવુ' જોઇએ, અન્યથા આવા પ્રકારની વિરુદ્ધ બુદ્ધિ કેમ હાય ? ” આ પ્રમાણે જેટલામાં વિસ્મયથી વ્યાકુળ મનવાળા તે રાજપુત્ર રહ્યો છે, તેટલામાં પ્રતિદ્વારે આવીને વિનંતિ કરી કે-“હે રાજપુત્ર! સમરસિંહ દેવ ( રાજા ) આજ્ઞા કરે છે કે તુ' જલ્દી આવ, કે જેથી ત્રણ જગતને પૂજ્ય યાદવ કુળરૂપી આકાશતળમાં ચંદ્ર જેવા ભગવાન અરિષ્ટનેમિના સંતાનમાં રહેલા ગુણદત્ત નામના કેવળીના પાદને વંદન કરવા માટે જઈએ. ' આ પ્રમાણે સાંભળીને હ વડે વિકવર લેાચનવાળા રાજપુત્ર વિદ્યાધરને પેાતાના હાથમાં ગ્રહણ કરીને ઊઠયા. મનેાહર શ્રૃંગાર કરીને તથા શ્રેષ્ઠ રથ ઉપર ચડીને રાજાને મળ્યા. ત્યારે તેની સાથે રાજા મેાટી ઋદ્ધિના સમુદાયવાળી સામગ્રી સહિત નગરમાંથી નીકળ્યે, અને સત્તકેાલિ નામના ઉદ્યાનમાં ગયા. તે વખતે દેવાએ બનાવેલા જાત્યકાંચનના મેાટા શતપત્ર( કમળ ) ઉપર બેઠેલા અને ભૂત, ભવિષ્ય તથા વમાનના પદાર્થને પૂછવા માટે આવેલા દેવાના સમૂહ આદર સહિત ચરણની સેવા કરાતા કેવળી ભગવાન પશુ સંસારના ભીરુ ભવ્ય પ્રાણીઓના સમૂહને ધર્મ કહેવા પ્રવત્યા હતા. તે અવસરે પરિવાર સહિત રાજા આવ્યે અને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક કેવળીને તથા બાકીના સાધુઓને વાંદીને ઉચિત સ્થાને બેઠા. ભગવાને પણ સમ્યગ્દર્શનના સારવાળા, સ'સારસમુદ્રને તારવામાં વહાણુ જેવા, જીવર્હિંસા, મૃષાવાદ અને ચારીની વિરતિવાળા, નિ:સંગપણાના આધારવાળા (બ્રહ્મચર્યવાળા અને અપરિગ્રહવાળા ), સમગ્ર મનવાંછિત પદાર્થીને આપવામાં કલ્પવૃક્ષ જેવા, તથા ભવરૂપી વૃક્ષાના વનને ખાળવામાં અગ્નિ જેવા ધર્મ માટા વિસ્તારથી કહ્યો-તથા સુરેંદ્ર અને અણુરેદ્રની વિશેષ સ`પત્તિનું અવધ્ય કારણ અને લાવણ્ય, સારી સુંદરતા અને માટા ગુણુ એ સર્વ ધર્મનું ફળ છે એમ કહ્યું'. તથા ધર્મ વિરુદ્ધ આચરણ કરવાથી આ લેાકમાં અને પરલેાકમાં તેના દારૂણ વિપાકવાળા પાપના પરિણામ ઘણા પ્રકારના હેતુના સમૂવડે કહ્યો. તથા જે કાંઇ સ્વભાવથી જ વિરસ (૨સરહિત) અને દુ:ખનુ અધ્ય કારણરૂપ દુ:ખનુ ૪૪
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy