________________
[ ૩૪૬ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થે :
ફળ છે, તે સર્વ ચિરકાળે (પૂર્વ કાળે ) કરેલા દુષ્કૃત્યેનું કહુકપણું તું જાણ.” આ પ્રમાણે કેવળીએ વસ્તુને પરમાર્થ કહ્યો ત્યારે પિતાના મસ્તક ઉપર બે હાથ સ્થાપન કરીને પૂર્વે કહેલા સંશયને પૂછવાની ઈચ્છાવાળા ભદ્રયશ રાજપુત્રે કહ્યું કે-“હે ભગવાન! આ વિદ્યાધરના ભાઈ વિદ્યાધરે મારણાંતિક અનર્થ ઉત્પન્ન કરવાવડે આવા પ્રકારનું અનુચિત કેમ કર્યું?” ત્યારે કેવળીએ કહ્યું કે “પૂર્વ જન્મમાં નિકાચિત કરેલા વેરને દેષ અહીં અપરાધી છે.” રાજપુત્રે કહ્યું કે “આણે અપરાધ કર્યો હતે ?” ત્યારે કેવળીએ કહ્યું કે-“સાંભળ.–આ ભવની પૂર્વના ત્રીજા ભવે કનકખલ નામના ગામમાં વસિષ્ઠ ગોત્રવાળા અગ્નિસિંહ નામના બ્રાહ્મણને બે પુત્ર શંકર અને કેશવ નામે હતા. તેમાં પહેલે પ્રકૃતિથી ભદ્ર હતો અને બીજો સ્વભાવથી જ કુટિલ હૃદયવાળે હતો. તે બને વૃદ્ધિ પામ્યા અને ગૃહનાં કાર્ય ચિંતવવા લાગ્યા. કાળના ક્રમે કરીને તેમના માતાપિતા સ્વર્ગે ગયા. ત્યારે તેમના મરણકાર્યને કરીને શંકર અને કેશવ પરસ્પર એકચિત્તપણુએ કરીને ગૃહના કાર્યમાં ઉદ્યમ કરતા અને લેકની સ્થિતિને સમ્યક્ પ્રકારે પાલન કરતા હતા તેથી લોકોને સંમત થયા. પરંતુ કુટિલ ચિત્તપણાએ કરીને વર્તતા કેશવને શંકરે કહ્યું કે-“હે વત્સ! કુટિલ હદયવાળા મનુષ્ય સારા શીલવાળા હોય તે પણ સર્ષ જેવા તેના ઉપર લેકો કંઈ પણ પ્રકારે વિશ્વાસ કરતા નથી, તેથી હિતના અથી જનેએ તેનો ત્યાગ કરવો છે. ત્રાજુ (સરલ) પ્રકૃતિવાળાને જે કાર્ય સિદ્ધ થાય છે, તે કુટિલ પ્રકૃતિવાળાને સિદ્ધ થતું નથી. કેમકે તેઓ ગુણને કરતાં છતાં પણ બીજાને દેશની શંકા ઉત્પન્ન કરે છે.” આ પ્રમાણે મોટા ભાઈએ સ્કુટ અક્ષરથી તેને તેના હિતને માટે કહ્યું, તે પણ તે કપ પામ્યો. કેમકે મૂઢ જન શીરીતે હિતને પામે ? તે પણ તે આકારનો સંવર કરીને હૃદયને વિષે પશ્ચાત્તાપને ધારણ કરતા છતાં પણ બાહ્ય વૃત્તિવડે પૂર્વના પ્રવાહથી (પૂર્વની જેમ) વ્યવહાર કરવા લાગ્યો. એક દિવસ પશ્ય (કરીયાણા)ની ગાડી ભરીને શંકરે તેને વેપાર કરવા માટે દેશાંતરમાં મોકલ્યો. ત્યાં તે કયવિક્રય કરીને ઘણું દ્રવ્યને સમૂહ ઉપાર્જન કરીને કેટલાક લાંબા કાળે પાછા ફરીને પિતાને ઘેર આવ્યું પરંતુ મૂળ દ્રવ્યના પણ મધ્યમાંથી કેટલુંક દ્રવ્ય ગુપ્ત કરીને મોટા ભાઈને છેડે અર્થને સમૂહ દેખાડ.
ત્યારે કેપ પામેલા તેણે કહ્યું કે–“અરે ! તે આ મૂળ વિત્તને પણ હાનિ કેમ પમાડયું? અહા ! તારું કળામાં કુશળપણું! અહ! તારા લાભને ઉદયને પ્રકર્ષ ? તું આ પ્રમાણે કેવી રીતે કુટુંબને નિર્વાહ કરીશ ?” ત્યારે કેશવે કહ્યું કે –“ શું કરું? આય અને વ્યયથી શુદ્ધ આટલું જ દ્રવ્ય મેં ઉપાર્જન કર્યું છે. ” તે સાંભળીને શંકર મૌન રહ્યો. કેશવે પિતાના સેવકવર્ગને નિષેધ કર્યો કે—“ મોટા ભાઈએ પૂછ્યા છતાં પણ તમારે કેઈએ તેને દેશાંતરમાં ઉપાર્જન કરેલા વિત્તનું સ્વરૂપ કહેવું નહીં.” ત્યાર પછી કેઈક દિવસ કેશવને એક કર્મકરની સાથે યુદ્ધ થયું. દુર્વચન અને હાથના ચપેટાના