SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Yo આળાટતા ત્યાં આવેલા ખીા લેાકા સાથે જુએ છે. ત્યાં આવેલા લોકો દ્રોણને પેાતાને ઘેર લઇ જઇ તેની સારવાર કરી તેને સાજો કરે છે. તે વખતે દ્રોણું વૈરાગ્ય પામે છે અને વિધિના ખેલને વિચાર કરે છે કે મનુષ્ય ધારે છે કાંઇ, દૈવ કરે છે ખીજી'. મેં પ્રથમ તે રાજાને વશ કરી હવાના વિચાર કરેશે! પરંતુ તે મારા ઉપર જ આવી પડયુ. જેથી ઘેાડા પિવતને માટે પરના દ્રોહ કરવા તે મેટું પાપ છે. અર્થના નાશ થાય, અગ્નિમાં પ્રવેશ કરવા, પર્વતના શિખરેથી પડવુ, સર્પના રાકુડા પાસે રહેવુ, અને દુ:સહુ વિષનું ભક્ષણ કરવુ, શત્રુના ધેર વસવું તથા અતિ ઉગ્ર કેસરીસિ’હુના બાલકરૂપી શય્યા વિષે સુલુ' એ બધું સારું; પરંતુ પ્રત્યક્ષ અને પરોક્ષ મેાટા અનના અને ધણા દુઃખના કારણરૂપ બીજાને મારવાના સકલ્પ કરવા તે સારું નથી. આવું જેણે જીવનમાં ન કર્યું" હાય તેનુ જીવન ધન્ય છે. બીજાને દુઃખ આપવાથી આપણુને દુ: ખ, બીજાને સુખ આપવાથી આપણને સુખ પ્રાપ્ત થાય છે. એમ શાસ્ત્રો કહે છે. મનુષ્યાએ વિચારવાનું છે કે ‘ખાડે ખોદે તે પડે? તે કહેવત પ્રમાણે ક્રાઇનું મન, વાણી અને કાયાથી ખરાબ ચિતવતા પોતાનુ' જ ખરાબ થાય છે તે આ દ્રોણના દૃષ્ટાંત અને વર્તમાન વ્યવહારમાં પણ આપણે તેવા જ વિધિના વિચિત્ર ખેલ જોઇએ છીએ, માટે કાર્દનું ખરાબ કરતા કે ચિતવતા, મેહ તથા લાભને વશ ન થતા, કનું સ્વરૂપ સમજી, વિચારી, ધર્મદ્રષ્ટિ ઉપર નજર કરવી. પછી દ્રોગ્ કાપાલિક પાસે રજા માગતાં કાપાલિકે કેટલેક સુધી પોતાની સાથે આવવા જણાવે છે પણ લાભના ઉત્કૃષ્ટપણાએ કરી, હજી પણ વેદનીય કતુ કાંઈ ઉદયપણું હાવાથી, તથા કાઈ પ્રકારના ભવી અનથ થવાનો હાવાથી અને કાપાલિકના દુષ્ટ અભિપ્રાયને નહિં જાણુતે તે કાપાલિકની સાથે દ્રોણુ જાય છે. એક યેાજન ગયા બાદ એક ઉદ્યાનમાં ચંડિકાનું મંદિર જુએ છે, ત્યાં વિશ્રાંતિ કરી દ્રોણને કહે છે કે-આ નજીકમાં દેખાતા સાલીક્ષની સમિપે ત્રણ હાથ નીચે પાંચ લાખ દિનાર નિધાન છે તે લઈ પછી તું તારે ઘેર જા ત્યાં દિગ્દેવતાનું પૂજન, બલિદાન કરવામાં આવે છે. કાપાલિક ચડિકા દેવીનું સ્મરણ કરી દ્રોણુને ખાડામાં ઉતારે છે પછી તેમાંથી દ્રોચ્ બહાર નીકળવા જાય છે ત્યાં તેને મારવા માટે ધૂળના સમૂહવડે કાપાલિક દાટી દેવા પ્રયત્ન કરે છે. પોતાના મરણના નિશ્ચય જાણી દ્રોણુ માટેથી રૂદન કરે છે, દરમ્યાન ત્યાં ભાગ્યેાદયે એક શિવાદિત્ય નામને સાવાહ આવી ચડે છે. અને રુદન સાંભળતા ખડ્ગ સાથે પેાતાના માસે ત્યાં મોકલે છે, તે જોઈ કાપાલિક ત્યાંથી નાસી જાય છે. દ્રોણુને પૂછતાં તે સાર્થવાહને પૂર્વ વૃત્તાંત જણાવે છે. પછી સાવાડ દ્રોપુને તું કયાં જાય છે તેમ પૂછતાં દ્રોણુ સ* સાચી હકીકત જણાવે છે. સા'વાહ કહે છે કે–જો તારે પ્રિયનું કામ હોય તે બીજા જીવતુ' પેતાના જીવિતની જેમ રક્ષણ કરવુ. આ ભમાં જે અશુભ થાય છે તે જીવહિંસાથી ઉત્પન્ન થયેલ પાપના દુવિલાસ છે. હવે મારી સાથે ચાલ. તેથી તે સા`વાહ સાથે કાંચીપુરી તરફ જાય છે. રસ્તામાં દિવ્યયેાગે રાજપુર નગરના રાજા સમુદ્રદત્ત દીક્ષા લીધેલી હતી તે પોતાના સાધુસમુદાયથી છૂટા પડીને ચાલતાં માર્મોંમાં તૃષા અને ક્ષુધાથા ખેદ પામતાં, નિર્દેષ અન્ન, પાણી નહિં મળવાથી પંચ નમસ્કારનું મરણ કરતાં મૂર્છાવડે બંધ થયેલા નેત્રવાળા તે વટવૃક્ષ નીચે પડી ગયેલા; તે વખતે વૃદ્ધિ પામતી યાવાળા દ્રોણે તેમને જોઇ કાઈ ઠેકાણેથી પાણી લાવી તે મુનિને પાતાં તેનાં નેત્રકમળ ઉધક્યા. શરીરનેા સતાપ કાંઈક શાંત થતાં “ જળના જીવની વિરાધના આજે મારે થઇ ” એમ વિચારી મુનિ દ્રોણને કહે છે કે તે શા માટે જળને ઉપચાર કર્યાં? આવા પ્રકારના શરીર માટે આ અકાર્યું કેમ ? પાપરહિત મરણ પણ ઉત્સવરૂપ છે. પછી દ્રોણુ અહિં જીવની વિરાધના શી રીતે થઇ ? તેમ પૂછતાં પાંચ પ્રકારના એકેન્દ્રિય આદિ ધણાં પ્રકારના જીવે જિનેશ્વરે કહ્યાં છે. અહિં મુનિશ્રી જળચર, સ્થળચર વગેરે જીવાનુ` સ્વરૂપ જણાવે છે તે સર્વાંનું રક્ષણુ પેાતાના વિતની જેમ તપસ્વીએ સદાય કરવું
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy