SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરનું આત્મવૃત્તાંત. [ ૩૪૧ ] છે. આ પ્રમાણે કહીને તે તેવા કોઇક માટા દુઃખના અતિરેકને પામ્યા, કે જેથી મૂર્છાવર્ડ મીંચાયેલા નેત્રવાળા તે ચેતના રહિત થયા. તે જોઇને “ મેં નામ વિગેરે પૂછીને આ મહાનુભાવને ફરીથી આવા પ્રકારની દુસ્થ અવસ્થાને કેમ પમાડવો ?”’ એ પ્રમાણે શાકને પામેલા રાજપુત્ર દુકૂળ વસ્રના છેડાના પવનવડે અને શીતળ જળના કણી નાંખવા વિગેરેવર્ડ તેના શરીરની સવાહના કરીને તેને કાંઇક સ્વસ્થ કર્યાં. ત્યારે તે પુરુષે તે જ આરામને વિષે રહેલી સરાહણી નામની ઔષધિ મંગાવી અને ત્રાને વિષે તેના રસનું સિંચન કરાવ્યું. ત્યારે મણિ, મંત્ર અને ઔષધિના અચિત્ય પ્રભાવ હાવાથી તે સગુણુ ( સારા ) શરીરવાળા થયા. રાજપુત્ર તેને પેાતાના ભવનમાં લઈ ગયા અને તેને સ્નાન, વિલેપન અને ભાજન વિગેરે કરાવ્યું. સ્વસ્થ થયેલા શરીરવાળા તેને ઉચિત સમયે રાજપુત્ર કહ્યું કે-“ તીક્ષ્ણ દુ:ખ ઉત્પન્ન થવાથી તારું ચિરકાળનું વૃત્તાંત હું જાણું છું તેથી પૂછવુ ચેાગ્ય નથી, તા પણ મારું પાપી મન પૂર્વાપરનું સ્વરૂપ સાંભળ્યા વિના કાઇ પણ રીતે રતિને પામતું નથી માટે બન્ને ઠેકાણે નિવૃત્તિને કરનાર કાઇ પણ ઉપાય નથી. શું કરીએ ?” ત્યારે તે પુરુષે તેના અભિપ્રાય જાણીને કહ્યું કે-“ જો એમ હાય, તા હે રાજપુત્ર તુ મૂળથી જ સાંભળ.— વૈતાઢ્ય પર્વતના પૂર્વ ભાગમાં ભાગપુર નામનું નગર છે. તેમાં સમર નામના વિદ્યાધર રાજાના અમાત્ય છે. તેને બે પુત્રા છે. તેમાં મેટા હું સાગર નામના છું, ખીજ રુદ્રદેવ નામના છે. તે બન્નેને શાસ્ત્ર ( અથવા શત્રુવિદ્યા ) ભણાવ્યા, અને આકાશગામિની વિગેરે વિદ્યાએ જણાવી ( શીખવી ). અનુક્રમે યુવાવસ્થાને પામ્યા અને ગૃહનાં કાર્યો ચિતવવા લાગ્યા, પરંતુ તે નાના ભાઇ પગલે પગલે મારા છિદ્ર શેાધવા (જોવા ) લાગ્યા. થાડા પણ ખૂણા( છિદ્ર )ને પામીને તેને ખમણું કરીને પિતાને કહેવા લાગ્યું. ત્યારે તે મહાનુભાવ ( પિતા ) ગાઢ પ્રેમ હાવાથી તે સાંભળીને તેની અવહીલના કરવા લાગ્યા, પરંતુ મને આશ્રીને કાંઇ પણ કહેતા નહેાતા. બે વાર, ત્રણ વાર, પાંચ વાર આલપાલ કરતા અને જેમ તેમ ખેલતા તે નાના ભાઇને જોઈને પિતાએ નિશ્ચય કર્યાં, કે ખરેખર, આ આના પૂર્વ ભવને શત્રુ હાવા જોઇએ. ' ત્યાર પછી તેણે ઘણા પ્રકાના વિરુદ્ધ વચન કહ્યા છતાં પણ પિતા મારા પ્રત્યે કાંઇ પણ અનુચિત વચન માલતા નહાતા. એ પ્રમાણે દિવસેા જવા લાગ્યા. કાઇ પણ રીતે મારી કાંઇ પણ દુસ્થ અવસ્થાને નહીં જોતા રુદ્રદેવ પેાતાના ચિત્તમાં ઘણેા દુભાવા લાગ્યા. ઘરના જનાએ તેના અભિપ્રાય જાણ્યા. પછી કાઇક દિવસ મારા શરીરનું કારણ (વ્યાધિ) થયુ. તેથી ઔષધાદિક ઉપચારો આરંભ્યા. તે વખતે વિરુદ્ધ ઔષધની સ'યેાજના કરતા રુદ્રદેવને પિતાએ જાણ્યા, તેથી તેની નિસના (તિરસ્કાર ) કરી, ત્યારે તે વિલખા મુખવાળા થઈને “હું કાંઈ કરતા નથી.” એમ કહીને તે પ્રદેશથકી દૂર થયા. ત્યારથી પતાએ તે પ્રદેશ જન રહિત કર્યો, અને પેાતે જ સર્વ આદરવડે મારા શરીરની સ્થિતિને ચિતવવા લાગ્યા. કેટલાક દિવસેાને છેડે
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy