SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪૦ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થો : અંત પર્વતની સમગ્ર આરાધનાનું વિધાન કરીને તેણે પંચ નવકારનું સ્મરણ કર્યું, સર્વ પ્રાણીઓને ખમાવ્યા, આ લેકની આશંસા વિગેરે દેષને જરા પણ નહીં કરતા તેણે ઉત્તમ અર્થ આરાધ્ય અને પ્રાણ ત્યાગ કર્યો. પછી તે મહાત્મા પ્રાણત દેવકને વિષે વીશ સાગરોપમના આયુષ્યવાળ, ઈંદ્રના જેવા વૈભવવાળો અને અતિ દિવ્ય રૂપને ધારણ કરનાર દેવ ઉત્પન્ન થયે. મને હર રૂપ અને લાવણ્યવાળે તે વિષયસુખને સારી રીતે ભેગવીને અખલિત (સંપૂર્ણ) આયુષ્યને પાળીને કાળે કરીને ચ સતે તે પતનપુર નગરને વિષે સમગ્ર ક્ષત્રિયકુળમાં પ્રધાન (મુખ્ય) શ્રી સમરસિંહ નામના રાજાની પા નામની પ્રધાન ભાર્યા(પટ્ટરાણું)ને ગર્ભને વિષે પુત્રપણે ઉત્પન્ન થયો, અને ગ્ય સમયે તેને જન્મ થયે. તે વખતે નગરમાં મેટે હર્ષ પ્રવર્યો. રાજાએ દીન અને અનાથ વિગેરેને મેટું દાન અપાવ્યું. મોટા હર્ષને પામેલા પુરુષોને નહીં દેવા લાયક શું છે? અને નહીં કરવા લાયક શું છે? હવે જ્યારથી આરંભીને તે મહાત્મા માતાના ગર્ભમાં ઉત્પન્ન થયે, તે દિવસથી જ તે માતા ભદ્ર યશવાળી થઈ, તેથી તે જ નિમિત્તને અનુસરીને કુળના વૃદ્ધ જનેએ ઉચિત સમયે તે પુત્રનું ભદ્રયશ નામ સ્થાપન કર્યું. પાંચ ધાવમાતા પાસે રહેલે તે દેહવડે વૃદ્ધિ પામે, અને કુમારપણને પામે ત્યારે તેને સમગ્ર કળાને સમૂહ ભણવ્યા. પછી સુરગુરુ(બૃહસ્પતિ)ની જેમ સર્વ શાસ્ત્રને વિષે કાળક્ષેપ વિના મોટા પ્રકર્ષને પામે સતે કઈક વખત સમાન વયવાળા રાજકુમાર સહિત ઈચ્છા પ્રમાણે ક્રીડા કરતે, કોઈપણ પ્રકારે મતકુંજર નામના ઉદ્યાનમાં ગયે. અને ત્યાં આમતેમ ફરતે તે એકલે જ કદલીની લતાને ગૃહમાં પિઠે. અને ત્યાં સર્વ અંગોને વિષે તીક્ષણ લેઢાની ખીલીઓ વડે વીંધાયેલા અને મોટા દુખના ભારથી અત્યંત ઉછળતા ગરવ શબ્દવાળા એક પુરુષને જોયે. ત્યારે વિરમય પામેલે રાજપુત્ર વિચારવા લાગે કે-“શું આ બિભીષિકા છે? દષ્ટિને વિશ્વમ છે? કે બુદ્ધિને વિપર્યાસ છે? અથવા ભલે, કાંઈ પણ છે. દુઃખથી પીડાયેલા પ્રાણીઓનું રક્ષણ કરવું તે પુરુષનો ધર્મ છે, તેથી આને પ્રતિકાર (સેવા) હું કરું” એમ વિચારીને તે તેની પાસે ગયે, લેઢાની ખીલીઓ દૂર કરી, તેથી તેની વેદના કાંઈક મંદ થઈ. ત્યારે રાજ પુત્રે તેને પૂછયું કે-“હે ભદ ! તું કેણ છે ? તારું નામ શું છે ? તથા પ્રકારની મારણાંતિક આપદાને કેમ (કેનાથી) પામે છે ? સાચે સાચું કહે,ત્યારે દીર્ધ વિશ્વાસ મૂકીને અજળવડે વ્યાપ્ત નેત્રવાળા તેણે કહ્યું કે-“હે મહાભાગ્યવાન ! હે જીવિત આપનારા ! જે કાંઈ પણ કહેવા ગ્ય હશે, તે તે હું તને નિવેદન કરીશ. પણ સર્વથા ન કહેવું તે જ સારું છે. – જેનાથી સજજનોના મનમાં સંતોષ ઉત્પન્ન થાય, તે જ કહેવા લાયક છે. અને જે તેનાથી વિપરીત હોય, તે ન કહેવું જ યંગ્ય છે. જે મારી આવી અવસ્થા તેં સાક્ષાત જોઈ, તે હું નિલ જજ પિતાનું નામ પણ તને કેમ કહું ? જેનાથી મારી આવી અવસ્થા થઈ છે, તે પણ લજજા પામેલા મારે તારી પાસે શી રીતે કહેવી ? માટે આ સર્વે અનુચિત જ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy