SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ત્યાં ગયા પછી તેણીને પૂછતાં તે કહે છે કે-મારા પુત્રને જોઈ તરત જ રાજા ચાલ્યા ગયા છે. આપને ત્યાં નહિ જોવાથી સર્વ શેકાધિન થયા. દરમ્યાન ત્યાં એક ચૂડામણિ શાસ્ત્રનો જાણ એક પુરુષ ત્યાં આવ્યું. તેને પૂછતાં ગંભીરક ગામમાં છે તે જાણી અમો અહિ આવ્યા છીએ. પછી કુલપુત્રની પૂજા કરી, અશ્વ ઉપર સવાર થઈને તેનાં શહેરમાં આવે છે તે જાણી સપત્ની માતા ત્યાંથી નાસી જાય છે, તેનો પુત્ર જયશેખર ત્યાં જ રહે છે. હવે માતાના આ જાતના દુષ્ટ વિલાસો જાણી તેનું મન વૈરાગ્ય તરફ વળે છે. દરમ્યાન પ્રતિહારી આવી જણાવે છે કે ભગવાન પૂજય સમંતભદ્રસૂરિ મહારાજ સદસામ્ર વનને વિષે પધાર્યા છે, તે જાણી રાજા સૂરિમહારાજ પાસે આવી સૂરિમહારાજને ભક્તિપૂર્વક વાંદે છે સૂરિમહારાજ રાજાને કહે છે કે-શું તારા મનમાં સંસારની અનિત્યતા કાંઈ રાયમાન થઈ છે? રાજા કહે છે કે-હે પ્રભુ! મારા જેવા ભવાભિનંદિને આવી પ્રવૃત્તિ કેમ સંભવે ? માટે ધર્મોપદેશ આપવાવડે મારા ઉપર કૃપા કરો. સૂરિમહારાજ ત્યાં મેક્ષરૂપ મહાફળને આપનાર સાધુધર્મ તેને જણાવે છે. વિષય, કષાય, વગેરેથી આસન થયેલાન અનંત શથિતપણું કેવું છે વગેરે બધું સાંભળી ત્યાં રાજાનું મન વૈરાગ્ય પામે છે. પછી જય.. * શેખરને ગાદી ઉપર બેસારી સર્વની સંમતિ લઈ ખમાવી, સૂરિમહારાજ પાસે જયમંગલ રાજા દીક્ષા ગ્રહણ કરે છે. સંજમને રૂડી રીતે પાળતાં, વિહાર કરતાં તે મુનિ ગજનપુર આવી ત્યાંના ચંપક નામના ઉદ્યાનમાં આવે છેજયાં કવલયચંદ્ર રાજા ત્યાં આવી વિધિપૂર્વક વંદના કરી વિનંતિ કરતાં જણાવે છે કે હે ભગવાન! આપને શું અયોગ્ય હતું કે–મને ત્યાગ કરીને પ્રવજયા અંગીકાર કરીને આ પ્રમાણે વિચારવા લાગ્યા. આપે મને પ્રથમથી જ કહ્યું હોત તે સાથે જ દીક્ષા ગ્રહણ કરીને સુગુરુ પાસે રહીને નિર્મળ ધર્મ કરત જેથી અમે હવે કોને શરણે જઈએ. હાલ અમને મેટું ચારિત્રાવરણ કર્મ છે. હવે મને મૂકીને પ્રવજ્યા આપ્યા વિના તમે જશે નહિ. વગેરે પ્રકારે વિનંતિ કર્યા પછી મંગળ રાજર્ષિએ કહ્યું કેહવે તું પણ ઉદ્યમ કર. એમ સાંભળી વાંદી રાજા પિતાના ઘેર આવી તેના જમાલી નામના મોટા પત્રને રાજય આપી જયમંગલ મુનિ પાસે પ્રવજ્યા ગ્રહણ કરે છે. બને મુનિયો વિહાર કરતાં કરતાં હસ્તિનાપુરમાં આવે છે. જ્યાં વેદની કર્મના ઉદયને લીધે કુવલયચંદ્રને એક વખતે નવરાદિક રોગો ઉત્પન્ન થવાથી અને આવળ્યાદિક નિત્ય કર્મ કરવામાં અસમર્થ થાય છે, તેથી વિચારે છે કે આ શરીર ક્ષણભંગુર છે અને સંયમ યોગની વૃદ્ધિ માટે આ શરીરનું પિષણ કરાય છે પણ જો તેનાથી ધમરૂપી અર્થ ન સધાતું હોય તે શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે તેને ત્યાગ કરવો જોઈએ એમ વિચારી શ્રી સંધ સમસ્ત સિકોને નમસ્કાર કરી ચારે પ્રકારના આહારને ત્યાગ કરે છે અને પંચ નમસ્કાર મંત્રનું આરાધન કરતા, કાળ કરી અચુત દેવલેકમાં દેવ થાય છે. પછી જયમંગલ મુનિ ઉગ્ર તપસ્યા કરતાએકાંતમાં દુષ્કર પ્રતિમાને ધારણ કરે છે, જ્યાં તે તેમની ઓરમાન માતા જે ત્યાંથી ભાગી તાપસી થયેલી તે મરણ પામી યંતરી થયેલી છે ત્યાં વિલંગ જ્ઞાનવડે પ્રતિમાને ધારણ કરી રહેલા તે જયમંગલ મુનિને જાણી અનેક પ્રકારના ઉપસર્ગો કરે છે. જયમંગલ મુનિને આ યુતિકર જાણી કુવલયચંદ્ર દેવ અયુત કલ્પથી ત્યાં આવી તે દુષ્ટ વ્યંતરીને કાઢી મૂકે છે અને ત્રણ પ્રદક્ષિણા કરવાપૂર્વક તે મુનિના ચરણકમલને વિષે પડે છે. મુનિ પણ સવાર થયે કાર્યોત્સર્ગ પારી ઉચિત સ્થાને બેસે છે. તેને સાધુ કહે છે કે-હે ભદ્ર ! તમે કોણ છો અથવા મેં પૂર્વભવે કરેલાં દુષ્કતને ખપાવવામાં ખરેખર સહાયકારી હતી તેને તેં કેમ કાઢો મૂકી?” દેવ કહે છે કે-હે ગુરુદેવ! ઉત્તમ ચારિત્રવડે ત્રણ ભુવનને પવિત્ર કરનારા, શત્રુ મિત્રને સરખા ગણનારા તમારા જેવાને આવા પ્રકારના ઉપસર્ગો કરવાથી તે બિચારી દુરંત સંસારરૂપી ભયંકર મેટા તીર્ણ દુઃખનું સ્થાનરૂપ ન
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy