SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ સુવર્ણ કળશના મુખમાંથી તીથ જળને પ્રવાહ કુંવરના મસ્તકે ઢાળે છે. રાજ્ય ક્રમ સંભાળવું' તે માટે ઉપદેશ આપી સવ"ને ખમાવી વિજયધેષ અહુદત્તગણી પાસે સજમ લે છે. નિરતિચારપણે ચારિત્ર પાળી સમાધિપૂર્ણાંક મૃત્યુ પામી સર્વાર્થંસિદ્ધિને વિષે દેવપણે ઉત્પન્ન થાય છે. અહિં જયમ ંગળ રાજ્યના વિસ્તાર કરવાપૂર્ણાંક ચલાવતા જોઇ તેની એમાન માતા પદ્માવતી પોતાના પુત્ર જયશેખરને સ્વપ્નામાં પશુ રાજ્યલક્ષ્મીને લાભ અસભવિત છે એમ વિચારતી જયમ'ગળને વિષે આપી મારી નાખવાને ઉપાય ચિતવવા લાગે છે. જયમ'ગળ પણ સ'સારની અનિત્યતા રાજ્યને દેરડારૂપી બધનવાળુ વગેરે અસ્થિર સ ંસારના ભાવને વિચારતા રાજ્ય ચલાવે છે અને જયશેખરને યુવરાજપદે સ્થાપન કરે છે, દુષ્ટ સ્ત્રીઓ શુ` શુ` નથી કરતી ? તેવા અનેક દાખલાએ કથાનુયોગમાં જોવાય છે. હવે એક દિવસ રાજા વિજયયાત્રા માટે જાય છે, તેની ઓરમાન માતા કપટવડે તેની સાથે જાય છે. રસ્તામાં યમુના નદીના કાંઠે સૈન્યે પડાવ નાખ્યો છે. ત્યાં તેની એરમાન માતા આવે છે અને પેાતાના પુત્રને મોટા વ્યાધિ થયેા છે તે સાંભળી, ભાવિ અનર્થ થવાના છે તે નહિ જાણતાં રાજા તરત જ તેના આવાસમાં આવે છે. જ્યાં તેની માતાએ તે વખતે ઉગ્ર વિષે મિશ્રિત એક પાનનુ ખીડુ રાજાને આપે છે. રાજા ખાય છે, ઘેાડીવારમાં તે અચેતન થઇ ભૂમિ ઉપર પડી જાય છે. પછી તેણી તેને પાટકામાં બાંધી મધ્ય રાત્રિને વિષે યમુતા નદીના જળના પ્રવાહમાં વહેતુ મૂકે છે. અહિં ચારિત્રકર્તો મહારાજ આવી દુષ્ટ સ્રોએ કેવી હેાય છે ? તે દુષ્ટ કામેા કેવા કેવા કરે છે, અને પાપકારી ગુણી પુરુષોને કેવી આપત્તિમાં નાખે છે. કુલ, શીલ, અપયશ કે ઉપકારને પણ ગણતી નથી વગેરેનુ યથાસ્થિત વર્ષોંન કરે છે ( પા. ૨૦૭. ) હવે જયમંગલ યસુનાના જળના મેાજા' વચ્ચે અથડાતા, જળના સિચનથી તેને વિષવિકાર નાશ પામતાં દૂર દેશના કાંઠાના પ્રદેશમાં આવે છે. ત્યાં શું આ સ્વમ છે, બુદ્ધિને ભ્રમ છે, અહિં કયાંથી ? એમ વિચારતાં એક પહેાર દિવસ થતાં તે વખતે તે નદીના કાંઠે ગંભીરક નામના ગામમાંથી પૂર્વે જણાવેલ કુલપુત્ર તે નદી ઉપર આવે છે. ત્યાં દેવગુરુનુ સ્મરણ કરી નદીમાં જેટલામાં તે પાણી પીવા આવે છે તેટલામાં પોટકામાં બાધેલી કાંઇ વસ્તુ દેખી ત્યાં પાસે જઇ પાટક છેાડી જુએ છે તેા એક મનુષ્યને જુએ છે અને તેને હાથવડે ખેંચી પાણીમાંથી બહાર કાઢી પેાતાના ઘેર લઈ જાય છે. ત્યાં સ્નાન કરાવી, વસ્ત્રો આપી, ભાજન કરાવે છે અને બીજે દિવસે તુ કાણુ છે; નદીમાં પડવું કેમ થયુ' ? એમ પૂછે છે એટલે જયમંગલ તેને એળખે છે. તે કુલપુત્ર પેાતાને આળખતા નથી, જેથી તે ઠીક છે એમ વિચારી કુલપુત્રને કહે છે કે-હું રાજસેવક છુ. એક દુષ્ટ મનવાળા માણુસે મને આ પ્રમાણે બાંધીને નદીમાં નાખ્યાં હતે. તેનું દુઃખ સાંભળી રાજા કહે છે કે-હે ભદ્ર ! વિધાતાના દુષ્ટ વિલાસના વિષયમાં ક્રાણુ નથી આગ્યે.. તે તેને સ'ભળાવતાં એક એક ઇંદ્રિયોના વિષયમાં લુબ્ધ પ્રાણીયે। અને સૂર્ય, ચંદ્ર વગેરે રાહુની પીડા વગેરે આપત્તિમાં પડે છે વગેરે સાંભળી કુલપુત્ર કહે છે કે-હું પણ એક વખત મેટા આપત્તિ–સમુદ્રમાં પડ્યો હતે; પરંતુ એક પરોપકારી રાજપુત્રે મને ઉગાર્યો હતો તેમ કહેતાં જયમગળ કહે છે કે–તે તારા ઉપમારી કાણુ હતા? તેમ પૂછતાં કુલપુત્રે કહ્યું –અનેક વખત પૂછ્યાં છતાં તેણે પાતાનુ સ્વરૂપ કશું નહિં. એથી રાજપુત્ર વિચારે છે કે હજી પણ શુભ કર્માંના લેશડે તે હજી પણ મને એળખતા નથી. આ વખતે શહેરમાં સૈન્ય આવતાં, તેના સેનાપતિ આવા સ્વરૂપવાળા પુરુષ અહિં આવ્યે છે ? એમ પૂછતાં પોતાને ઘેર આવેલા જણાવતાં ત્યાં આવતાં જયમંગલ રાજાને તે જુએ છે અને સ તેને નમે છે. પછી જયમગન્ન હું અહિં આવ્યે। અને રહ્યો છું તે શી રીતે જાણ્યું? તેમ પૂછતાં તેઓ જણાવે છે કે “ તમે રાત્રિના સહાય વગર જયશેખરને જોવા અપરમાતાને
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy