________________
૩૬
જે બન્નેએ તે દેવલોકમાં તેના પિતાને પ્રાર્થના કરી જણાવ્યું હતું કે અહિંથી તમે ફરીથી જન્મ હશે તે પહેલાં અમે બન્નેને વીતરાગના ધર્મને બંધ કરે તેમ કબૂલ કરાવ્યું હતું. ) અહિં દેવલેકમાંથી યુવી જુદા જુદા દુર દેશમાં રાજાને ત્યાં આ બંને પુત્રપણે ઉત્પન્ન થયાં છે તેમ જાણી તેને પૂર્વ ભવનો પિતા જે દેવ થયેલ છે તે અહિ એક સુભટ થઈ તે બનેને બોધિલાભ પ્રાપ્ત કરાવવા આવે છે અને કુવલયચંદ્રને યુદ્ધ કરવા જણાવે છે. ત્યાં યુદ્ધ શરૂ થાય છે. સુભટ દેવ હોવાથી તેના પ્રભાવથી કોઈ સૈનિક કાંઈ કરી શકતું નથી. દરમ્યાન છેવટે દેવમંદિરની બહાર જયમંગલ કુવલયચંદ્રને સહાયક બની તે સુભટ સાથે યુદ્ધ કરે છે. તેથી તે વિચારે છે કે આ માણસ જીવિતની દરકાર નહિં કરતાં મારે ઉપકાર કરે છે, એ શું હશે? વગેરે ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યારે તે સુભટ યુહને ત્યાગ કરી. આ ઇષ્ટ સિદ્ધિ થઈ તેમ બેલતે તે સુભટ જયમંગલને હાથ પકડી કુવલયચંદ્ર પાસે લઈ જાય છે, તેને ચેતના પ્રાપ્ત થતાં હે પુત્રો ! હું દેવ છું. તેને પૂર્વભવને સંબંધ જણાવે છે. આ સાંભળી જયમંગલને પણ જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થાય છે. આથી બને રાજપુત્રો જિનધર્મને વિષે નિશ્ચલ થાય છે, દેવ સ્વસ્થાને જાય છે. અને રાજપુત્રો મહેલમાં આવે છે. રાજા પિતાના પુત્ર ઉપર ઉપકાર કરનારની પ્રશંસા કરે છે અને કુવલયચંદ્રને જયમંગલ કોણ છે તેમ પૂછતાં પોતાના પિતાના કાનમાં પૂર્વોભવની હકીકત જણાવે છે. ત્યારબાદ રાજાને પણ જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થતાં પિતાને પૂર્વભવ જણાવતાં કહે છે કે-ગુરુકુળમાં વસ્તી તમે તપ સંયમનું અનુષ્ઠાન કર્યું હતું ત્યાં જ મેં પણ પ્રવજ્યા ગ્રહણ કરી હતી અને હું દેવગુપ્ત નામને મુનિ હતે.
હવે એક સમયે રાજા પિતાને સંસાર ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા થતાં બંને રાજપુત્રોને જણાવે છે. તેમને પછી કુવલયચંદ્ર પણ સંસાર ત્યાગ કરવાની ઈચ્છા જણાવે છે. રાજા સામર્થ્યવાન હોવા છતાં રાજ્ય કે કમ્બનો ત્યાગ કરી પ્રત્રજ્યા લેવી અયોગ્ય છે તેમ જણાવતાં કુલવયચંદ્ર કહે છે કે તેમ હોય તે અમારા ભાઈને જ રાજય અર્પણ કરે. . જયમંગલ પણ પૂર્વભવના સંબંધને લઈને રાજ્યને નહિં સ્વીકારતા તે પણ સાથે જ ચારિત્ર લેવાની ઈચ્છા વ્યક્ત કરે છે; છતાં રાજા તેમ કરવા હાલ ના પાડવાથી બને રાજપુત્રને અડધો અડધ રાજ્ય વહેંચી આપી બનેને રાજયાભિષેક કરે છે. અને દીક્ષા લેવા માટે ચંપકવન નામના ઉદ્યાનમાં આવે છે જ્યાં અચલસર પાસે પ્રવજ્યા લે છે.
બન્ને રાજપુત્ર ન્યાયપૂર્વક રાજ્ય ચલાવે છે તેટલામાં એક વખત પ્રતિહારે આવી જણાવ્યું કેહે દેવ ! કૌસંબી નગરીથી વિધેષ રાજાએ મોકલેલા પ્રધાન પુરુષે આપના દર્શનને ઇચ્છે છે. તેઓ આવતાં પિતાના પિતાના તે પ્રધાન પુરુષે જાણી રાજપુત્ર ઊભું થાય છે- માન આપે છે અને તે પુરુષો તેના પિતાએ આપેલ એક ગુપ્ત લેખ તેને આપે છે, જે જયમંગલ વાંચે છે. જેમાં તેમના પિતા પિતાનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે, માટે મારું મુખ જોવું હોય તે જલદી આવે. એ પ્રમાણે લેખ વાંચે છે. કુવલયચંદ્ર તેને જહદી ક્વાને જણાવે છે. રિયાસત અને સામગ્રી સાથે જયમંગળ ત્યાંથી વિદાય થઈ કૌશબીપુરીએ આવતાં મહોત્સવપૂર્વક તેને પિતા તેને પ્રવેશ કરાવે છે. ઉચિત સમયે રાજાએ તેને બેલાવી રાજ્ય અંગીકાર કરવાનું તેને કહે છે અને પિતાનું જીવિત માત્ર સાત રાત્રિ સુધી છે જેથી અહંદત્ત ગણી પાસે પ્રજા અંગીકાર કરી આરાધના કરવા જણાવવાથી જયમંગળ શકાતુર થાય છે, જે વખતે રાજ્યના પ્રધાન પુરુષે શુકન તરીકે