________________
૩૨૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ થા :
,,
પુરુષા દ્વારને વિષે તમારા દર્શનમાં ઉત્સુક રહ્યા છે. ” ત્યારે ફરકતા જમણા નેત્રવડે અભ્યુદયને સૂચવેલા રાજપુત્રે કહ્યું કે તેમને જલદી પ્રવેશ કરાવ. ત્યારે તાત્તિ ( બહુ સારું' )એમ કહીને પ્રતિહારે તેમને પ્રવેશ કરાવ્યા. તે વખતે રાજંપુત્ર વિનય સહિત તેમની સન્મુખ ઊભા થયા. ઉચિતપણે આદર સત્કાર કરાયેલા તેએ સુખાસન ઉપર બેઠા, અને કહેવા લાગ્યા કે હે રાજપુત્ર! ધર્મક્રિયામાં આસક્ત થયેલું તમારું ચિત્ત સાંભળીને મોટા હર્ષને પામેલા દેવે ( રાજાએ-પિતાએ ) તમને લાવવા માટે અમને માકલ્યા છે તેથી આ ખરાબ નિવાસના ત્યાગ કરી, અને કાળના વિલંબ રહિત પ્રયાણ કરા. ” તે વખતે વતે કહ્યું કે-“ હું રાજપુત્ર ! આ ચાગ્ય જ છે. હવે કાળના વિલ`બવર્ડ સયુ ” ત્યારે હૃદયને વિષે મોટા હર્ષને ધારણ કરતા તે રાજપુત્ર એક સેવકને પક્ષીપતિપણે સ્થાપન કરીને ત્યાંથી નીકળ્યા અને અનુક્રમે સુરપુર પહાંચ્યા. પછી મત્રી, સામત અને પુરના પ્રધાન જનાવર્ડ અનુસરાતા તે રાજભવનમાં પેઠા. પિતાના ચરણમાં પડ્યો ( નમ્યા ). ત્યારે ગાઢ આલિંગન કરીને મેાટા સતાષપૂર્વક રાજાએ તેને કહ્યું કે“ હે વત્સ! અવશ્ય અમારી કોઇક કુશળ કર્મીના ઉદય છે, કે જેથી તું તેવા પ્રકારના અન્યાયમાં આસક્ત બુદ્ધિના પ્રસારવાળા થયા છતાં પણુ સમગ્ર વિરુદ્ધ આચારના સવર કરીને સમ્યક્ પ્રકારે વર્તે છે. હું વત્સ ! આ દુષ્કર છે—અતિ દુષ્કર કાર્ય પણ કરી શકાય છે, અતિ દુર્ગંમ એવા માર્ગોમાં પણુ ક્રમે કરીને જવાય છે. પરંતુ મેટા માણુસ પણ સ્વભાવનું રૂ ંધવું કરી શકતા નથી, તેથી હૈ વત્સ ! તે' તેવું કાંઇક પણ કર્યું, કે જે ખીજો કેાઇ પણ કરી શકે નહીં. લક્ષ્મીવડે જોવાતા માણસના ભાવ આ પ્રમાણે પરાવર્તન પામે છે. સારા ગુણેાથકી હાનિને પામે એવુ` પ્રાયે કરીને દેખાય છે, પરંતુ અવગુણુાથી પાછું વળવુ, તે કાઈ પણ ઠેકાણે દેખાતુ જ નથી. ” ત્યારે રાજપુત્ર કહ્યું કે–“ હું પિતા ! ગુરુજનના પ્રસાદવડે અત્યંત દુર્લભ પણ ઇચ્છિત પ્રાપ્ત થાય છે, તેા અહીં શું કહેવું ? ” ત્યારપછી તે રાજપુત્રે પલ્લીના નિવાસથી આરંભીને કૅવળીના ઇનવર્ડ ધર્મની પ્રાપ્તિ પર્યંત સ પાતાના વૃત્તાંત કહ્યો. તે સાંભળાને રાજાએ કહ્યું કે-“હે વત્સ ! હવે રાજ્યના મોટા ભારનુ' થાડુ' થાડું પણ તું વહન કર કેમકે હવે અમે પણ દરેક ક્ષણે ક્ષીણ થતા શરીર, બળ અને બુદ્ધિવાળા વીએ છીએ.” રાજપુત્ર કહ્યું-“ પિતા ( તમે ) જેમ આજ્ઞા આપે, તેમ હું કરું: ” ત્યારપછી રાજાએ સારી તિથિ, મુત્ત અને યાગને વિષે તે રાજપુત્રને યુવરાજની પદવીએ સ્થાપન કર્યું. તેને મુક્તિ આપી, અને હાથી અશ્વ વિગેરે સૈન્ય આપ્યુ. આ પ્રમાણે અંગીકાર કરેલા ધર્મના ગુણુની આરાધનામાં તત્પર થયેલા, જિનવંદનાદિક કાર્યોંમાં નિશ્ચળ ચિત્તવાળા અને સમ્યક્ત્રકારે બુધજનાએ પ્રશંસા કરવા લાયક આચારવડે વતા તે રાજપુત્ર કાળને નિ`મન કરવા લાગ્યા. પછી કાઇક વખતે સીમાડાના રાજા બળવર્ધન ભૂપતિની સાથે વિરાધ ઉત્પન્ન થયેા. તે વખતે માટા વિક્ષેપવડે વિક્રમાકર રાજા પોતે જ ચાલ્યા, ત્યારે કુમારે તેને વિનંતી કરી, કે–“ હું
ܕܕ
ܕܕ