SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમસેનને તેના પિતા વિક્રમાકર પાસે આગમન. [ ૩૧૯ ] ( અત્યંત ) ત્યાગ કરી તેવા કાઇપણ પ્રકારના નિર્મળ મતિજ્ઞાનરૂપી નેત્રના આલેક( પ્રકાશ )ને પામ્યા, કે જેનાવડે દરેક ક્ષણે પૂર્વે કરેલા પાપના વ્યાપાર આ અસાર સંસારના દુઃખની પરંપરાનુ કારણ છે એમ સ્મરણ કરતા પેાતાના આત્માને નિવા લાગ્યા, દુષ્ટ જીવિતની ખિ’સા( તિરસ્કાર ) કરવા લાગ્યા, ભૂતકાળના પર્યાયની ગાઁ કરવા લાગ્યા, વૈરીની જેમ કષ્ટને કરનાર પાપીજનના સંગની વિચિકિત્સા કરવા લાગ્યા, ઇંદ્રિયાને અનુકૂળ છતાં પણ મનેાહર આહારાદિકને વખાણુતા નહેાતા, માટા સુગંધવાળી માલતી પુષ્પની માળાની પણુ લાઘા કરતા નહાતા, સારા રૂપવાળી સ્ત્રી વગેરેને પણ જોતા નહાતા, કણુ ને મનાતુર પંચમ સ્વરને પણ વખાણુતા નહેાતા, અને માખણુના જેવા કામળ સ્પર્શવાળી શય્યાને પણ ઇચ્છતા નહાતા. પરંતુ માત્ર આ પ્રમાણે જ વિચારતા હતા કે“ નરકની જેવા અને વધતા પ્રયાસવાળા આ પક્ષીના નિવાસને દૂરથી ત્યાગ કરીને કેવી રીતે ( ક્યારે ) હું તેવા ખીજા સ્થાનને અનુસરીશ ? કે જે સ્થાને સારી તીથંકરની પ્રતિમાને, સારા જ્ઞાની મુનિને અને મંદરાચળ જેવા સુંદર શ્રૃંગારવાળા સારા જિનચૈત્યને જોઇશ ? મિથ્યાત્વીની મતિનુ મથન કરનાર જિનેશ્વરના વચનને હું કેવી રીતે સાંભળીશ ? સમ્યગ્દષ્ટિવાળા સદ્ધ કરનારા લોકને હું કેવી રીતે અનુસરીશ ? ” આ વિગેરે મટા અને અતિ વિશુદ્ધ બુદ્ધિના પ્રકવડે વૃદ્ધિ પામતા ઉત્સાહવાળા તે રાજપુત્ર ધર્મની પ્રાપ્તિ કરવાવ3 જૂદા પ્રકારના થયેા. આ પ્રમાણે હુંમેશાં કૅવળીના ચરણુકમળની ઉપાસનાવડે ઉત્પન્ન થયેલા શ્રેષ્ઠ વિવેકવાળા તે વિક્રમસેન રાજપુત્ર વિરુદ્ધ ક્રિયાના સમારભના ત્યાગ કરવાથી સારા શ્રાવકપણાને પામ્યા. કેવળીએ પશુ વર્ષાઋતુ ગયા પછી ખીજે ઠેકાણે વિહાર કર્યા તેના વિયાગથી શાકવ વ્યાકુળ થયેલ રાજપુત્ર ઘેર રહેવાને અસમર્થ થયા, તેથી ફરીથી બીજે ગામ ગયેલા ગુરુ પાસે જઇ તેને વાંદીને તથા તેની શિક્ષાને સાંભળીને ઘેર આવ્યે, અને ધર્મ વિરુદ્ધ આચરણ કરનારા સર્વ પરિજનને જોઇને વનને કહેવા લાગ્યા કે “ હું મેાટા ભાગ્યવાન ! તે જે કર્યું, તે બીજો કાઇ પણ કરી શકે તેમ નથી. બિલ્લાના ઉપદ્રવ રહિત અહીં પક્ષીના નિવાસને વિષે મુનિપતિને આવાસ કરાવતા તે જ અમને પરમાથી ( ખરેખર ) આવા પ્રકારના ગુણુના પ્રકની પદવી ઉપર સ્થાપન કર્યાં છે. અન્યથા (એમ ન હેાય તા.) અધમ ચેષ્ટાના ત્યાગ શી રીતે સંભવે ? પરંતુ જો હવે કાઇ પણ રીતે ચઢાળના પાડા જેવી આ ભિન્નપલ્લીના ત્યાગ કરવાથી ધર્મ અને અર્થના સાધનના નિર્વાહ થાય, તા આ ગુરુજનની સામગ્રીથી પ્રાપ્ત થયેલી વિવેકના સારવાળી મારી વાસના વૃદ્ધિ પામે, ” ત્યારે વધુને કહ્યું કે હે રાજપુત્ર ! જે તારા પુણ્યના પ્રક વડે આ પ્રમાણે અઘટિતને ઘટિતના જેવા ધર્મના સચાગ કાઇ પણ રીતે પ્રાપ્ત થયા, તે તને સ્વસ્થાનને વિષે પણ કાંઇક પ્રાપ્ત થશે. માટે ઉત્સુક થઇશ નહીં. આ પ્રમાણે તે બન્ને પરસ્પર વાત કરતા હતા ત્યારે પ્રતિહારે આવીને કહ્યું કે-“ હે રાજપુત્ર! સ્વામી વિક્રમાકર રાજાના પ્રધાન 77
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy