________________
[ ૩૧૮ ].
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ : ૪
:
નથી, પરંતુ પોતપોતાના કર્મને અનુસારે મનુષ્યને વિષે અથવા તિર્યંચને વિષે ઉત્પન્ન થાય છે.” આ પ્રમાણે રાજપુત્રના સમગ્ર શંકાના સમૂહને દૂર કરીને સૂરિએ અમૃત રસના જેવી મનહર વાણીવડે તેને આ પ્રમાણે કહ્યું –
દેવલામીનું સુખ વિગેરે આ અહીં કલ્પના માત્ર છે એમ તું ન જાણ, કેમકે કેવળજ્ઞાનીના વચનવડે અને પિતાના આત્માવડે તે સ્કુટ દેખાયું છે. તેથી તેના લાભને માટે કઠણ અને સુંદર ધર્મક્રિયાને તું કર. તેમાં સ્વભાવથી વાઘાતની જેવા ભયંકર જીવહિંસા વિગેરે અતિ દુખદાયક પાપના સ્થાને દૂર કર, તથા ઘણા પ્રાણીઓનો નાશ કરનાર માંસ, મદિરા અને મધનો ત્યાગ કર. ઉત્તમ સાધુના વર્ગની સેવા કર, તેના કહેલા માર્ગને સમ્યક્ પ્રકારે અનુસર, તથા વિષયાદિક સંગેનું પરિણામે વિરપણું જાણ. ઈચ્છા પ્રમાણે ચાલનારા દુર્દાત ઇદ્ધિરૂપી ગજે દ્રો ભવિષ્યમાં મોટા તીક્ષણ દુઃખના સમૂહને ઉત્પન્ન કરનાર છે એમ ભાવના કર. વૃદ્ધિ પામતી અને મોટા વિસ્તારવાળી પ્રમાદરૂપી લતાને તું કાપી નાંખ, નહીં તે તે (લતા) દૂર દષ્ટિના પ્રચારને શીગ્રપણે હરણ (નાશ) કરશે. તે (દષ્ટિપ્રચાર) હરણ કરાયે સતે અંધ(ન્ય) મનવાળા તેઓ સર્વથા પ્રકારે
ગ્ય કે અયોગ્ય માર્ગને પણ જાણતા નથી, તથા ઉચિત કૃત્ય અકૃત્યને પણ સ્કુટરીતે જાણતા નથી. તે દુઃખનો સમૂહ કેઈ નથી, કે સંસારરૂપી અરણ્યમાં સદા ગતિ આગતિને કરતા તમે જેનું પાત્ર નહીં થાઓ. આ પ્રમાણે ગુરુએ વિસ્તાર સહિત વસ્તુતત્વને પરમાર્થ કહો ત્યારે તે રાજપુત્ર પ્રતિબંધ પામ્યા, અને સમગ્ર અનાર્યલક પણ પ્રતિબંધ પામે. તે વખતે તે સર્વે ગુરુના ચરણકમળમાં મસ્તકને નમાવીને પૂર્વકાળે કરેલા કલિલાલિંગિત અનેક અક(પાપ)નું ચિંતવન કરવાથી તેમને માટે પશ્ચાત્તાપ ઉત્પન્ન થયે, તેથી કહેવા લાગ્યા કે-“હે ભગવાન! સર્વ પ્રકારે મોટા પાપને તજનારા અમે હવે કેવી રીતે થશું? અથવા પૂર્વના દુષ્કૃતથી આત્માનું રક્ષણ શી રીતે કરવું ? તમે તેને ઉપાય કહો.” ત્યારે સૂરિએ કહ્યું કે-“હે મહાનુભાવો ! સર્વ દેષના સમૂહને નાશ કરવામાં સમર્થ, મંટા ગુણરૂપી રાજાના સમૂહને સભામંડપની જે અને ઈચ્છિત સુખના સમૂહનું સ્થાનરૂપ હિંસાદિકની નિવૃત્તિ જેમાં પ્રધાન છે એ ઉપદેશનો સમૂહ મેં તમને પહેલાં જ કહ્યો છે. વહાણની જેવા તે ઉપદેશને અત્યંત અંગીકાર કરનારા તમે અપાર સંસારરૂપી સમુદ્રને અવશ્ય તરી જશે.” આ પ્રમાણે ગુરુએ કહ્યું ત્યારે કેટલાક લેક વિકલ્પને નાશ કરી ચારિત્રને પામ્યા, બીજા કેટલાક સ્થૂલ પ્રાણાતિપાતાદિકની નિવૃત્તિને વિષે નિરંતર બુદ્ધિને સ્થાપન કરી જીવાદિક નવ પદાર્થના વિસ્તારને વિષે રુચિને સ્થિર કરી શ્રાવકની પદવી અંગીકાર કરીને રહ્યા. તથા બીજા કેટલાક તેવા પ્રકારના ચારિત્રને વિઘાત કરનાર ઘેર કર્મના ઉદયવડે વિરતિપણાનો નાશ થવાથી સંસારને અંત કરનાર જિનેશ્વરને જ દેવની બુદ્ધિથી અને સારા સાધુને જ ગુરુની બુદ્ધિથી અંગીકાર કરીને અવિરત સમ્યગઢષ્ટિવાળા થયા. રાજપુત્ર પણ મદિરાપાન, શિકાર અને જીવહિંસા વિગેરે પાપના સ્થાને દરથી