SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ વિકમસેન પાસે બળવર્ધનના ગુપ્તચરનું આગમન [૩૨૧ ] દેવ! આ અયોગ્ય કાર્યને સંરંભ કેમ કરે છે? તે મહાનુભાવ કેટલે માત્ર છે (શું હિસાબમાં છે?) કે જેથી તેને આશ્રીને તમે જાઓ છો? તેથી મને આજ્ઞા આપે, તમારે પ્રતાપ જ સર્વ દુઃસાધ્યને સાધનાર છે.” તે સાંભળીને રાજાએ મંત્રીઓની સન્મુખ જોયું. ત્યારે આકાર અને ચણામાં કુશળપણાએ કરીને રાજાને અભિપ્રાય જાણીને તેઓએ કહ્યું કે હે દેવ પુરુષાચારને જે ઉચિત છે, જે પ્રભુભક્તિને સદશ છે અને જે કુળક્રમને યેગ્યા છે, તે જ કુમારે કહ્યું છે. તેથી આની પહેલી જ પ્રાર્થનાને ભંગ કરો નહીં.” ત્યારે મંત્રીઓના વચનની ભાવના ભાવીને યુવરાજને તંબેલનું બીડું આપવા પૂર્વક વિદાય કર્યો. “તરિ” (બહુ સારું) એમ કહીને, રાજાની આજ્ઞા મસ્તકવડે અંગીકાર કરીને ઘણા હાથી, અશ્વ, રથ અને દ્ધાના સમૂહરડે અનુસરાત તે નગરમાંથી નીકળે. તથા ગર્જના કરતા મદોન્મત્ત હાથીઓના કંઠના શબ્દવડે આકાશને વિસ્તાર ભરાઈ ગયે, હષારવ કરતા મોટા અશ્વના સમૂહવડે પૃથ્વીપીઠ વિક્ષે પામી, ઘણા શાસ્ત્રોવડે પૂર્ણ મોટા લણ રથના વહનવડે દિશાઓના વિવર(આંતરા) ભરાઈ ગયા, ભયંકર મૂકેલા હwા પિકારવડે સુભટને સમૂહ ઉત્કર્ષતાને પામ્યા. તથા દરેક ક્ષણે સારા શુકન થવાથી બમણુ ઉત્સાહવડે મનહર કાંતિવાળ, મદન્મત્ત હાથીના સ્કંધ ઉપર બેઠેલો, મસ્તક ઉપર ભવેત છત્રને ધારણ કરતે, “અત્યંત જય પામે, જીવે, આનંદ પામે અને અસ્પૃદયને ઓઢે (પામો).” એ પ્રમાણે બોલતા બંદી(ભાટ-ચારણ)ને સમૂહવડે ચોતરફથી પરિવરેલે, તથા મળેલા મોટા અને તંત્ર(શાસ્ત્ર)ને જાણનારા સામંત રાજાઓ વડે સેવાયેલા પગવાળે તે યુવરાજ પિતાના દેશની સંધિએ(સીમાડાએ) પહે. તે વખતે રાજનીતિનું સમરણ કરતા તે રાજપુત્રે મંત્રીઓને લાવ્યા અને એકાંતમાં બેઠે, તથા “હવે શું કરવા લાયક છે?” એમ તેમને પૂછયું. ત્યારે તેઓ બેલ્યા કે-“હે યુવરાજ ! રોગ, શત્રુ અને સર્ષ નાના હોય તે પણ તેને મોટા ધારવા જોઈએ, તેથી યુવરાજે (તમે) યોગ્ય કર્યું, કે જેથી આ પ્રમાણે વિચારપૂર્વક કાર્યના પરિચછેદ (નિર્ણય)ને આરંભ કર્યો.” આ પ્રમાણે વાત કરે છે તેટલામાં ગૂઢચર પુરુષે આવ્યા. પ્રતિહારના નિવેદન કરવાથી યુવરાજની પાસે તેઓ ગયા. તેઓએ તેને પ્રણામ કર્યા અને ઉચિત આસન ઉપર બેઠા. તેમને યુવરાજે પૂછયું કે-“તમે કયાંથી આવ્યા?” તેઓએ કહ્યું કે–“હે રાજપુત્ર! અમે બળવર્ધન રાજાના કંધાવારમાંથી આવ્યા છીએ. હમણાં ત્યાં જે થયું, તે તમે સાંભળ-બળવર્ધન રાજા બદ્ધિના સમુદાયવાળા રાજ્યવડે કરીને તેવા કોઈપણ બુદ્ધિના વિપર્યાસને પામે, કે જેથી પિતાના રાજ્યાદિકના અપહર( હરણ)ની શંકાથી તેણે સર્વ પુત્રોને વિનાશ કરવાનો આરંભ કર્યો. તે જાણીને મંત્રીઓએ તેઓમાંથી ૧ સૈન્યને પડાવ, છાવણી. ૨ ઉલટાપણાને
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy