SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમસેને કરવા માંડેલી હિ'સા લૂટની પ્રવૃત્તિ. [ ૩૧૫ ] સામાન્ય માણસા અને સ્વજન અત્યત શાક પામ્યા. નાયક રહિતપણાને લીધે ઉદ્ધત લેાકા મર્યાદાનુ` ઉલ્લંઘન કરી પરધન અને પરી વિગેરે ગ્રહણ કરવા લાગ્યા, તેથી પલ્લીને વિષે તેવા પુરુષને નહીં જોતા પ્રધાન લેાકેાએ અમને આદેશ આપ્યા, કે “ તમે કોઇ પણ ગુણવાન પુરુષને શીઘ્ર અહીં લાવા, જેથી તેને પલ્ટીપતિને સ્થાને સ્થાપન કરીએ, અમે તેની આજ્ઞામાં રહીએ. ” તેથી હે રાજપુત્ર ! તમે પ્રસાદ કરી, તમારા ચરણુકમળના સ્પર્શવર્ડ પલ્લીને પવિત્ર કરી, ત્યાં નાથ રહિત એવા અમારા તમે નાથ થાઓ, તમારાથી બીજો કાઇ આવા પ્રકારની પ્રધાન પદ્મવીને ધારણ કરવાની ચેાગ્યતાને પામતા નથી, કેમકે સૂર્ય વડે પ્રકાશ કરવા લાયક આકાશમડળને ઉદ્યોતિત કરવાને ખદ્યોત( ખજવા) સમર્થ નથી. ” આ પ્રમાણે સાંભળીને-“ અહેા ! તેવા પ્રકારના શાસ્ત્રને નહીં જાણતા છતાં પણુ આ ભિàાના વચનવિન્યાસ કેમ આવા કાઇ અપૂર્વ છે ? ” એમ વિચારીને રાજપુત્ર તુષ્ટમાન થયા, અને તેએની સાથે પલ્લીમાં ગયા. તેને શિલના સમૂહે પ્રણામ કર્યાં, અને શુભ મુહૂર્તે તેને પલ્લીપતિને સ્થાને સ્થાપન કર્યાં. પછી નહીં નમતા જાને નમાવીને, અનીતિના નાશ કરીને તથા ઉદ્ધત માણસાનુ દમન કરીને તે પૂર્વની સ્થિતિ કરતાં અધિક નાયકધને પામ્યા. નિરંતર જીવાના સમૂહના ઘાત કરવાવડ મોટા હને પામતા અને મદિરાપાનને આધીન થયેલા તે દિવસે નિર્ગમન કરવા લાગ્યા. સ્વભાવથી જ તે કર ચેષ્ટાવાળા અને અનમાં વ્યાસ બુદ્ધિવાળા હતા, તેા પછી આવા પ્રકારના ઘણા પાપ પ્રકૃતિવાળા માણસાના સંગથી તેવા થાય તેમાં શું આશ્ચય ? પછી તે પલ્લીના સીમાડામાં રહેલા રાજાઓના પુર, આકર અને નિગમને લુંટવાવર્ડ પ્રાપ્ત કરેલા ધન અને સુવર્ણ આપવાવડે ભિલના સમૂહને સ ંતાષ પમાડતા તથા સ્રી, ખાલ, વૃદ્ધ અને વિશ્વાસવાળાને ઘાત કરવામાં ચમરાજની જેમ તત્પુર થયેલા તે પેાતાની આપત્તિને નહીં જાણીને ઇચ્છા પ્રમાણે વિચરવા લાગ્યા. તેવામાં કુસુમપુર નંગરમાંથી વૈશ્રમણ નામના સાવાર્હ દીન અને દુઃસ્થ જનાને માગ્યા પ્રમાણે આપવાની આઘાષણા કરાવવાપૂર્વક ધનની જેમ અનેક લેાકેાવર્ડ પરિવરીને ( સહિત ) કુંભપુરને શ્રીને ( ઉદ્દેશીને ) ચાલ્યા. તથા અનેક કરભ, વેસર, વૃષભ અને સેંકડા ગાડાં સહિત આવતા તે ત્યાં પ્રાપ્ત થયા, કે જ્યાં તે અટવીના સમીપ ભાગ હતા. આ વખતે વર્ષાઋતુ પ્રાપ્ત થયા, તેથી વીજળીની છટાના આટાપવડે વ્યાસ મેઘના સમૂહવડે આકુળ ( સહિત ) આકાશતળ થયું, માટી જળની વૃષ્ટિવર્ડ પથિકજનની વ્યાપારને નિવારણ કરનાર અને દિગ્ગજના ગંભીર કંઠના શબ્દની જેવી ગર્જનાના નિર્દોષ પ્રવર્યાં. લીલા ઘાસના સમૂહવાળુ પૃથ્વીતળ દુ:ખે કરીને જઈ શકાય તેવું થયું. હવે તે વૈશ્રમણ સાથૅ વાહની સાથે પ્રથમથી જ ચાલેલા, સુસ્થિત મુનિના ચક્ષુરૂપ, જીવદયામાં જ મુખ્ય ચિત્તવૃત્તિવાળા, અસંયમ વિતને તૃણુ સમાન માનતા, વિચારના વિષયમાં પણ ન આવે તેવા તપ કરવામાં તત્પર, માટા ચેાગવાળા અને અનેક સાધુએના પિરવારવાળા ભગવાન સુમંતભદ્રસૂરિ તે જ અટવીના પ્રદેશમાં આવ્યા. તે વખતે અનેક જીવાવર્ડ ન્યાસ અને ઊગેલા નવાંકુરે કરીને
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy