SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમસેન રાજપુત્રને જિલ્લાના મેળાપ. [ ૩૧૩ ] ત્યારે રાજાએ રાત્રિએ જોયેલા તે પુરુષાને હાથવડે પકડીને તેને દેખાડ્યા, અને તેમની પરસ્પર કરેલી વાત કહી બતાવી. ત્યારે તલવરે તે પુરુષાને પૂછ્યું “ અરે ! શું હું ચેરી કરાવુ છુ' એમ તમે કહેા છે ? ” ત્યારે રાત્રિની વાત સાંભળવાવડે રાજાના સાક્ષાત્ દનની સંભાવના થવાથી ક્ષેાભ પામેલા તે પુરુષા મૌન ધારણ કરીને રહ્યા. ત્યારે ઉત્પન્ન થયેલા માટા કાપના આડંબરવાળા રાજાએ લંગડા ગધેડા ઉપર બેસાડવા વિગેરે ધિક્કાર કરવાપૂર્વક તે તલવરને મરાજ્યેા. ત્યારે મનમાં પેાતાના દુષ્કર્મની શંકા પામેàા વિક્રમસેન રાજકુમાર પણ નગરમાંથી નીકળી ગયા. રાજાએ તેની ઉપેક્ષા કરી. અખંડ ( નિર ંતર ) પ્રયાણ કરવાવડ જતા તે કુમાર એક માટી અટવીને પામ્યા. ત્યાં ભૂખ અને તરશવર્ડ ગ્લાનિને પામ્યા, તેથી વૃક્ષના ફળ ખાવા લાગ્યા. તે વખતે તે સ્થાને આવેલા, કાળા શરીરવાળા, જાણે કળિયુગના પુત્ર હોય તેમ ભયંકર રૂપવાળા અને શાકના સમૂહવડે મીંચાયેલા નેત્રવાળા જિલ્લાએ તેને જોયા. અને આ ઉદાર ( સુંદર ) આકારવાળા છે’ એમ તે પુરુષને પૂછવાથી તેની મૂળ ઉત્પત્તિ જાણીને તથા ભૂમિતળ ઉપર પેાતાના મસ્તકના સમૂહને લાટાવી તેને પ્રણામ કર્યા. ત્યારે આદર સહિત સંભ્રમને દેખાડતા કુમારે તેને પૂછ્યું કે—“ તમે કયાંથી આવ્યા છે ? ” તેએ એલ્યા—“હે સ્વામી! સાંભળેા.— અહીંથી નજીકમાં‘ઊંચા કિલ્લા જેવા પર્યંતના કટકવડે બાંધેલા નિવાસવાળી અનામિકા નામની મેાટી પલ્લી છે. ત્યાં અમારા સ્વામી, સામ, શ્વેત વિગેરે ચાર પ્રકારની નીતિમાં કુશળ, શરદ ઋતુના સૂર્યની જેમ પ્રધ કરી ન શકાય તેવા તેજના પ્રસરવાળા અને ક્રોધવાની દ્રષ્ટિના નાંખવા માત્રથી જ ત્રાસ પામેલા સીમાડાના રાજાવડે વિવિધ પ્રકારની સેવા કરાતા દિવાકર નામના પન્નીપતિ છે. કાઇ એક દિવસે શિકારી પુરુષાવર્ડ પરિવરેલા તે મહાનુભાવ શિકાર કરવા ગયા. અને ત્યાં “ અહીં સારંગ જાય છે, આ શશક ( સસલું.) છે, અહીં હાથી ઢાડે છે, અહીં ભુંડના સમૂહ શબ્દ કરે છે, અહીં રીંછ રહેલા છે, અહીં બિલ અને કાલ સહિત ભલ્લુંક દુ:સહુ આક્રંદ કરે છે, અહીં શાર્દૂલ ( સિંહ ) પણ પ્રવર્તે છે, અને અહીં આ ચિત્રાએ જાય છે.” આ પ્રમાણે શિકારી માણસાએ મોટા પ્રાણીના સમૂહ કહ્યો, ત્યારે તે ભિન્નના સ્વામી મૃગયારસમાં રસિક ( પ્રીતિવાળા ) થઇને રમવા લાગ્યા. કર્ણ પર્યંત ચડાવેલા પ્રચંડ અને ચપળ ધનુષ્યની દારીથી મૂકેલા ખાણેાવડે આકાશને જાણે ઢાંકતા હાય તેમ હરણુ વગેરેને મારવા લાગ્યા. એક જ ખાણના પ્રહારથી શ્વાપદના કરેલા તુમુલ શબ્દવડે તે વન, સાથે રહેનારા પ્રાણીઓના ઘાતને જોઇને જાણે રડતુ હાય તેમ દેખાવા લાગ્યું. હાથી, ગવય, હરજી, ચિત્રક, તરછ અને ભલ્લુંક વિગેરેં સ` દિશાઓમાં નાશી ગયા, તેથી તેના આવવાવડે તત્કાળ તે વન શૂન્ય જેવું થઈ ગયું. આ પ્રમાણે એક ક્ષણવાર ઉત્કષૅથી મૃગયા રમીને (શિકાર કરીને ) આામતેમ ફરતા તે મહાત્માએ કાઇપણ પ્રકારે ભવિતવ્યતાના વંશથી વિવિધ પ્રકારના ૪.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy