________________
[૩૧ ]
-
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪છે ?
આ શું છે?” તેણે કહ્યું, “હે દેવ! મોટા ક્ષેત્રના એક ખૂણામાં પડેલા પક્ષીના સમૂહને રક્ષણ કરવા માટે શું કઈપણ સમર્થ છે? કલીબ પ્રકૃતિવાળા (બાયેલા) વેપારીઓ તૃણથી સ્પર્શ કરાય તે તેને તરત જ ત્યાગ કરે છે, અને થોડી માત્રને જ નાશ થવાથી માટે કોલાહલ કરે છે.” રાજાએ કહ્યું કે “જે તું તારા આત્માનું કલ્યાણ ઈચ્છતે હોય, તે હવે ફરીથી આ પ્રમાણે બોલીશ નહીં. આવા પ્રકારના તારા વચનના કહેવાથી હું એમ માનું છું, કે તારું કુશળપણું નથી.” તલવરે કહ્યું-“દેવ (તમે) જા.” રાજાએ કહ્યું-“ગયેલી વાત કહેવાથી શું? હવેથી તું સારી રીતે નગરની રક્ષા કરજે.” એમ કહીને તેને વિદાય કર્યો.
વિશેષ એ કે-રાજાએ રાત્રિએ પિતાના વેષને પરાવર્ત કર્યો, અને કાપેટિક થઈને એક જીર્ણ દેવાલયમાં એક ઠેકાણે જઈને સૂતા. ત્યાં એક ક્ષણ માત્ર ગમે ત્યારે કૂતરાના * શબ્દવડે જેનું આવવું સૂચવન થયું છે એવા બે પુરુષે તેમાં પઠા. અને “અરે! અહીં કેઈ સુતેલે રહ્યો નથી?” એમ તેઓ બેલ્યા. ત્યારે ન સાંભળતો હોય તેમ રાજા મૌન રો. તે પ્રદેશમાં ગાઢ અંધકાર હોવાથી તે રાજાને નહીં જતા તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે “અરે! શું તું નથી જાણત? કે આજે રાજાએ તલવરને વિરૂપ કહ્યું (ઠપકે આપે) તેથી તું જઈને આ વાત વિક્રમસેન કુમારને કહે, કે જ્યાં સુધી કેટલાક દિવસો. ન જાય, ત્યાં સુધી નગરનું લૂંટવું એગ્ય નથી.” ત્યારે બીજાએ કહ્યું કે-“ઠીક હું તેમ કરું છું.” એમ કહીને તે કોઈપણ ઠેકાણે ચાલ્યા. જતા એવા તેણે એક ખૂણામાં નિર્ભય અને ગુપ્ત રહેલા રાજાને પિતાના પગ વડે સ્પર્શ કર્યો. તે વખતે મનમાં શંકા થવાથી તેણે પૂછયું કે-“તું કેણ છે?” ત્યારે ગાઢ નિદ્રામાંથી જાણે જાગ્ય હોય તેમ અંગને ભંગ કરતે (આળસ ખાતે) રાજા બે કે-“હું અહીં રહું છું.” તેણે કહ્યું-“તું કોણ છે?” રાજાએ કહ્યું-“હું કાઉંટિક છું.” તલવરના પુરુષે કહ્યું “સાચું છે કે તું કાર્પેટિકના જેવો જણાય છે, એમ ન હોય તે આ પ્રમાણે સર્વ ચેષાને રૂંધીને કેમ ગુમ રહ્યો હોય ?” રાજાએ કહ્યું “તું જે જાણે તે સાચું,”તલવરના પુરુષે કહ્યું
ભલે. તું કઈ પણ છે. આ સ્થાનથી તું ઊઠી જા (જાતે રહે) અજાણ્યા માણસ અહીં રહેવાને પામતો નથી.” રાજાએ કહ્યું-“તું જે કહે છે, તે હું કરું છું.” એમ કહીને રાજા ત્યાંથી નીકળે. તે પુરુષ પણ કાર્ય સાધેલું જાણીને પિતાને સ્થાને ગયો. પછી પ્રભાત સમયે સભામાં બેઠેલા રાજાએ તલવરને તથા રાત્રિએ જોયેલા તે પુરુષને બોલાવ્યા, અને કહ્યું કે-“અરે ! કુમારને સહાય આપવાવડે નગરના લેકેને નિર્ધન કરવા માટે તમે તૈયાર થયા છો?” તલવરે કહ્યું-“હે દેવ! પાપ શાંત થાઓ. આ પ્રમાણે કોણ કહે છે?” રાજાએ કહ્યું-“તારા પુરુષો કહે છે.” તલવરે કહ્યું—“તે પુરુષ કોણ છે?” .
૧ કાવડ લઈને ભિક્ષા માગનાર.