SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ • હેમદત્ત અસુકુમારને રાજાને મારી નાંખવા કરેલ નિષ્ફળ પ્રયાસ. [ ૩૦૧ ] અગ્યપણાને પામે છે. જેમ કેટલાક દબુદ્ધિવાળા માણસો નિધાનને પામીને પણ તેની. ઉપેક્ષા કરે છે, તેમ જિનધર્મને પામીને પણ કેટલાક આનંદ પામતા નથી (ઉપેક્ષા કરે છે). જેમ કેઈક વહાણ સમુદ્રને કાંઠે પામ્યા છતાં પણ પ્રમાદના વશથી ભાંગી જાય છે, તેમ કેટલાક છે ધર્મ પામ્યા છતાં પણ ફરીથી મિથ્યાત્વને પામે છે. હે રાજા ! દરેક સમયે ઉત્તરોત્તર (આગળ આગળ) વિશુદ્ધિના પ્રાર્થના પ્રબંધને પામેલા જિન ધર્મ ને વિષે નિપુણ બુદ્ધિવાળ ક માણસ પ્રમાદ કરે?” આ પ્રમાણે ઘણા પ્રકારે સૂરિ. મહારાજે તેવી રીતે કોઈપણ પ્રકારે દષ્ટાંતે સહિત જિનધર્મ કહો, કે જેવી રીતે (જેથી) તે રાજા ધર્મની સન્મુખ દઢ (અત્યંત) થયે. દેવલ પણ સર્વ કુવિકલ્પને ત્યાગ કરી પિતાના પુત્રે આચરણ કરેલા ચારિત્રને જ પામે. શિવધર્મ રાજા પણ સમ્યક પ્રકારે શ્રાવકધર્મ અંગીકાર કરીને જેમ આવ્યો હતો તેમ (પિતાને ઘેર) ગયે, અને હંમેશાં જિનચંદન, પૂજન વિગેરે ધર્મકાર્ય કરવાવડે દિવસેને નિર્ગમન કરવા લાગ્યા. હવે આ તરફ તે હેમદત્ત દુષ્કર પંચાગ્નિ તપવાળા તાપસવ્રતને ચિરકાળ સુધી કરીને છેવટે ભક્તપાનનો ત્યાગ કરી તથા મરણ પામી અસુરકુમારને વિષે ભુવનપતિ દેવપણાને પામે. ત્યાં ઉત્પન્ન થયે તે જ વખતે મોટા વિમયને પામેલા તેણે “મેં પૂર્વ ભવે શું યજ્ઞ કર્યો? કે તપસ્યા કરી? કે દાન આપ્યું? કે જેના પ્રભાવથી મેં આ દિવ્ય દેવની દ્ધિ પ્રાપ્ત કરી?” આ પ્રમાણે વિચારતા તેણે વિલંગ જ્ઞાનના પ્રયોગથી પૂર્વ ભવ જે, અને ભાર્યાના અપમાનના કારણવાળું તાપસ દીક્ષાનું વિધાન જાણ્યું. ત્યાર પછી તત્કાળ શિવધર્મ રાજાને આશ્રીને તેને મોટા કેપને સંરંભ ઉત્પન્ન થવાથી “અહે! તે દુરાચારી આજે કયાં છે? હમણાં જ તેને યમરાજના મુખરૂપી ગુફામાં મોકલું.” એમ વિચારીને વેગથી તે દેડ્યો. તેને પરિજને વિનંતિ કરી કે-“હે દેવ ! • આ પ્રમાણે અવસર વિના (કારણ વિના) પ્રચંડ કેપને આડંબર કેમ થ? પ્રથમ તે આ સિંહાસનને તમે શોભા (તેના ઉપર બેસો). પછી ચિરકાળથી જતા રહેલા નાથના શકનો અંત આવવાથી તુષ્ટમાન થયેલી અને તમારા મુખકમળના દર્શનથી વૃદ્ધિ પામતા વિલાસ અને હાસ્યવાળી આ અસુકુમારીએવડે પરિજનને પ્રમોદ આપનાર અને આદરપૂર્વક ભૂલ્યોએ પ્રગટ કરેલા છત્ર, ભંગાર અને રત્નના સમૂહવાળ મંગળ મહોત્સવ કરાઓ.” તે વખતે મેટી ઈષ્યોથી પ્રસરતા કેપવડે રાતા નેત્રનો વિક્ષોભ કરતે તે તેઓના વચનને નહીં માનીને પોતાના ભવનમાંથી નીકળે. અને મનને પણ જીતનારા વેગવડે. શિવધર્મ રાજાના ભવનને પ્રાપ્ત થયે, અને ત્યાં રાજાના ઉગ્ર પ્રભાવને જોઈને પણ તેણે તેને ત્યાગ કર્યો નહીં. ત્યારે કાપેલી દાઢાવાળા સર્ષની જેમ તેનો સંરંભ (ઉદ્યમ) નિષ્ફળપણાને પામ્યો અને રાજાનું રક્ષણ કરનારા અત્યંત મોટા વ્યંતરોના તિરસ્કારથી ભગ્ન થયે. તેથી લજજાવડે કરમાઈ ગયેલા મુખકમળવાળો તે વેગવડે પાછો વળ્યો. તે વખતે અસુરકુમારીએાએ તેને કાંતિ રહિત અને ઉત્સાહ રહિત જે. અહીં શિવધર્મ રાજા
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy