SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ • બંધુમસીનું રૂપ જોઈ કામાતુર થયેલ રાજા. | [ ૨૯ ] સહિત મતક નમાવીને તેણે કહ્યું કે “હે દેવી! ચિત્રકાર જાણે છે.” રાજાએ કહ્યું કે“જો એમ હોય તે ચિત્રકારને બોલાવ.” તેણે “જેવી દેવની આજ્ઞા” એમ કહીને તે ચિત્રકારને આણ્યો. ત્યારે ભયથી સંબ્રાંત લેનવાળે તે તેના પગમાં પડીને વિનંતિ કરવા લાગ્યો કે-“હે દેવ! મને આજ્ઞા આપ.ત્યારે કમળના પત્ર જેવા વિકસ્વર લચનવડે જેવાપૂર્વક પિતાના હાથવડે પાનબીડું આપીને તેને એકદમ પિતાની પાસે આસન અપાવ્યું. તેના ઉપર તે બેઠો. પછી, રાજાએ તેને પૂછયું કે-“અરે! કનું રૂપ જોઈને તે આ રૂપ આળેખ્યું છે? તે તું કહે.” ત્યારે તેણે કહ્યું કે-“દેવ! અમાત્યની પુત્રીનું આ રૂપ છે.–તે મેં કાંઈક લેશે ઉદ્દેશવડે અહીં આલેખ્યું છે. પરંતુ સર્વ રૂપને સાક્ષાત પ્રજાપતિ કદાચ આળેખી શકેતે પણ વ્યાકુળતા રહિત હોય તે જ આળેખી શકે. અથવા તે કરોડ નેત્ર હોય તે તેણીનું રૂપ જોઈ શકે, અને લાખ હાથ હેય તે તેણીનું રૂપ આળેખી શકે. તેણીના સૌભાગ્યાદિક ગુણોનું વર્ણન કુટ રીતે કરવાને અસંખ્ય મુખવાળો પણ સમર્થ થઈ શકે નહીં. આ પ્રમાણે હોવાથી બીજે માણસ શું કરી શકે ? ” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે કામદેવના ક્રોધથી મૂકેલા બાણના વરસાદની વેદનાને મહાકષ્ટવડે રૂંધીને તે ધ્યાકુલતાને ઉદ્દેશીને રાજા તરતજ ઊભે થયે, અને રાજલોકને પિતપિતાને ઘેર જવાને માટે વિદાય કરીને પિતે પિતાના ભવનમાં પેઠો. ત્યાં તેણીના વિરહરૂપી અગ્નિવડે સર્વ અંગમાં તાપ પામેલે શવ્યાના નિરૂહમાં શરીરને મૂકીને રહેવા માટે અસમર્થ થયેલ છે તે બોલવા લાગ્યો કે – “અરેરે ! કમળના વલયાદિક લાવીને શવ્યા ર, હિમની વૃષ્ટિ કરો કે જેથી પ્રલય કાળના અગ્નિ જેવો મારા શરીરનો આ દાહ તત્કાળ વિનાશ પામે. શું આજે મર્યાદા રહિત (ઘણા) તેજવાળા બારે ઉગ્ર સૂર્યો એકી વખતે જ ઉદય પામ્યા છે ? અથવા તે શું યુગક્ષયના વાયુવડે વૃદ્ધિ પામેલી જ્વાળાવાળે આ અગ્નિ સમગ્રને બાળી નાંખવા પ્રવૃત્ત થયે છે ? કે જેથી ચંદ્ર, હિમ, હાર અને મોટા મેલને અગ્નિની જવાળા જેવા હું સાક્ષાત પ્રગટ માનું છું. તથા શરીરને લગાવેલ આ ચંદન રસ પણ મોટા વડવાગ્નિની જવાળા જેવો ભાસે છે.” આ પ્રમાણે કામની અત્યંત વિષમ દશામાં પડવાથી વિપરીત વચનેને બોલનારા રાજાને જોઈને અમાત્યે કહ્યું કે-“હે દેવ! આ ક્ષત્રિય જમની સાથે રહેલી ધીરતાને છોડીને સામાન્ય જનને લાયક આવા વ્યાપારમાં કેમ પ્રવર્તી છો?ત્યારે જાણે સાંભળતા ન હોય તેમ રાજાએ આ પ્રમાણે કહ્યું કેહે અમાત્ય ! ચિત્રમાં આળેખેલી તે યુવતી તારી પુત્રી સંભળાય છે.” અમાત્યે કહ્યું હા. હે દેવ! એમ જ છે.” પછી રાજાને અભિપ્રાય જાણીને કાંઈ પણ કારણને ઉદ્દેશીને અમાત્ય પિતાને ઘેર ગયે, અને પિતાના વૃદ્ધ જનેની સાથે રાજાના વ્યતિકરને વિચારવા લાગ્યા. તેવામાં અહીં શિવધર્મ રાજા કામદેવરૂપી મોટા થવડે ગ્રહણ કરો હેવાથી વિલાસ સહિત હાસ્યરૂપી નાવડે દિશાના સમૂહને સનાન કરાવતી (પ્રકા
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy