SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર?? પ્રસ્તાવ ૪છે શિત કરતી) અને કમળના પત્ર જેવા લાંબા નેત્રવાળી તેને જ સંભારતે જાણે ક્ષણમાં મૂછ પાયે હેય, ક્ષણમાં જાણે ઉન્મત્ત થયે હેય, ક્ષણમાં જાણે વિલાસવાળે થયે હાય, ક્ષણમાં જાણે ધીરજવાન થયો હોય, અને ક્ષણમાં જાણે કાયર થયો હોય, તેમ વર્તવા લાગ્યા. ત્યારે પ્રધાન પુરુષોએ “આ રાજા કામને વશ થયો છે ” એમ જાણીને અમાત્યને બોલાવ્યો. અને કહ્યું કે-“હે અમાત્ય ! તમારી પુત્રી રાજાને આપે–અત્યંત વહાલી પુત્રી પણ બીજાને અવશ્ય દેવાની જ છે. જે તે સ્વામીને માટે હોય તે શું પર્યાપ્ત ન થયું ? જેના જીવવાથી વાળ અને વૃદ્ધ સહિત આ લેક જીવે છે, તે પુરુષનું શંકા રહિતપણે સર્વ પ્રયત્નવડે રક્ષણ કરવું જોઈએ. પિતાનું જીવિત આપવાવડે પણ ચાકરોએ સ્વામીનું રક્ષણ કરવું યોગ્ય છે, તે પછી પુત્રી, ધન અને વજન વિગેરે બાહા વતની શી ગણતરી ? તેથી કરીને કાળના વિલંબ વિના પુત્રી આપવાના મહત્સવ કરવાવડે સ્વામીનું મનવાંછિત પૂર્ણ કરવું એગ્ય છે.” ત્યારે અમાત્યે કહ્યું કે-“તમે સમયને ઉચિત જ કહ્યું છે. કેવળ તે પુત્રી સેનાપતિના પુત્ર હેમદત્તને બહુમાનપૂર્વક અનેક પ્રકારે માગણી કરવાથી પૂર્વે આપેલી છે, અને પરસ્પરના ( બનેના ) ઘરને વિષે વેવિ શાળના મહોત્સવને આશ્રીને ભેજન, વસ્ત્ર અને પાનબીડા આપવા વિગેરે કાર્ય કર્યા છે. અને થોડા જ દિવસને છેડે હસ્તગ્રહણને ઉચિત વિશેષ પ્રકારના પ્રહાદિકવાળા સુલગ્નને નિશ્ચય કર્યો છે. આ પ્રમાણે હેવાથી પિતે જ આપીને પોતે જ કેમ લઈ લેવાય? વળી નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે “રાજાઓ એક જ વખત બેલે છે, ધાર્મિક પુરુષ એક જ વખત બેલે છે, અને એક જ વાર કન્યા અપાય છે. આ ત્રણે એક જ વખત એક જ વાર થાય છે.” ત્યારે પ્રધાન જનોએ કહ્યું કે-“હે અમાત્ય ! અહીં તારો અપરાધ શો છે ? અહીં રાજાભિયોગ જ અપરાધ પામે છે.” અમાત્યે કહ્યું કે-“તમે જાણે.” તેઓએ કહ્યું-“ જાણ્યું જ છે. કુળ જેને આધીન હોય, તે પુરુષનું આદરવડે રક્ષણ કર, કેમકે ગાડાના તુંબને નાશ થવાથી આરાઓ આધારવાળા દેતા નથી.” અમાત્યે કહ્યું કે આ કેને પ્રિય ન હોય ?” પ્રધાન પુરુષોએ કહ્યું કે “જે એમ હોય તે જેશીઓને બેલા, અને હસ્તમેળાપને એગ્ય લગ્ન જોવરાવો.” ત્યારે “ભલે એમ હે,એમ કહીને સર્વ કાર્ય કર્યું. ત્યાર પછી શુભ મુહૂર્તને વિષે મોટા વિસ્તારવડે રાજાને અમાત્યની પુત્રી પરણાવી. વિવાહ પૂર્ણ થશે. પ્રધાન લોકો ખુશી થયા. હૃદયમાં ઈછેલી સ્ત્રીના લાભવડે રાજા આશ્વાસન પામ્યા. નગરના લોકો ખુશી થયા. આ વૃત્તાંત કેઈ પણ પ્રકારે સેનાપતિના પુત્ર હેમદ જાયે. ત્યારે હૃદયની અંદર ગાઢ કોપને પામ્યા છતાં પણ રાજાને કાંઈ પણ કરવાને અશક્ત તે-“શું કરું ? કેને કહું? અને કયા ઉપાયને આરંભે?” ઈત્યાદિક કુવિકલ્પની પરંપરાવડે વ્યાકુળ મનવાળે તે તેવા પ્રકારના દુખના અધિકપણાને પામે, જે જેથી યુક્ત અને અયુક્તને નહીં જાણત, ભક્ષ્ય અને અભયને નહીં ઓળ ખતે તથા કહેવા લાયક અનેં નહીં કહેવા લાયકને નહીં જાણતે તે એકદમ ઉન્મત્ત
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy