________________
[ ર૯૦ ]
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૪ છે :
સીમાલની કુટિલતાને જાણનાર છે. તેને શિવા નામની જાય અને બંધુમતી નામની પુત્રી છે. તે પુત્રી અસમાન રૂપલક્ષમીવડે દેવવધૂ અપ્સરા)ની શોભાને નીચી કરે છે. તે બંધુમતી એક દિવસ દાસીઓના સમૂહ સહિત તથા પુષ્પની છાબડી, ધૂપ, ચોખા અને દવાને હાથમાં રાખનાર કિંકરના સમૂહવડે અનુસરાતી નગરની બહાર ઈશાન ખૂણામાં રહેલા કામદેવના મંદિરમાં ગઈ. ત્યાં કામદેવની પૂજા કરીને આમતેમ ફરતી તેણીને તે પ્રદેશમાં ચિત્ર આલેખવામાં પ્રવર્તેલા એક ચિત્રકારના પુત્ર જોઈ. તે વખતે “અહે! આનું રૂપ ? અહે ! આની સુંદરતા ? અહો આનું લાવણ્ય ? અને અહો ! આને વિલાસને વિશ્વમ?” એ પ્રમાણે મોટા વિસ્મયને પામેલા તેણે તેણીના અંગ અને પ્રત્યંગને નિપુણ બુદ્ધિથી જોઈને સાવધાનપણે કામદેવના ભવનની સન્મુખ રહેલી ભીંતના એક ભાગ ઉપર તેણીનું મનોહર ૨૫ આળેખ્યું. પછી તે અમાત્યની પુત્રી પણ એક ક્ષણ વાર ત્યાં રહીને પિતાને ઘેર ગઈ. પછી કોઈ પણ પ્રકારે પૂર્વના નશીબે કરીને તેણીના ઉપર માટે અનુરાગ થવાથી તરત જ મહાદેવ નામના સેનાપતિના હેમદત્ત નામના પુત્રે ભેજનાદિક વ્યાપારનો ત્યાગ કર્યો, અને પ્રધાન પુરુષને મોકલીને નમ્રતા સહિત પ્રાર્થનાપૂર્વક મંત્રીની પાસે તે મંત્રી પુત્રીની પરણવા માટે માગણી કરી. ત્યારે રૂપ, યોવન અને ગુણાદિકવડે આ યોગ્ય છે એમ જાણીને મંત્રીએ સારે દિવસે બંધુમતીનું વેવિશાળ કર્યું. બાદ પરસ્પર વસ્ત્ર અને તાંબૂલ આપવાને ઉપચાર થયે, ત્યાર પછી એક દિવસે કામદેવના ભવનને વિષે યાત્રા પ્રારંભી (ઉત્સવ થયો). ત્યાં નાટક વિધિ પ્રવાર્યો. લેકે જેવાને માટે આવ્યા. પછી યાત્રાને વૃત્તાંત જાણીને નગરના અને દેશના લોકો સહિત શિવધર્મ રાજા પોતે પણ આ. મોટા વિસ્તારથી પ્રેક્ષણક (નાટક) શરૂ થયું. ત્યાર પછી કોઈ પણ પ્રકારે કમળ નવા કમળની જેવા વિકવર ચક્ષુને આમતેમ નાંખતા તે રાજાએ ભીંતમાં આળેખેલું બધુમતીનું રૂપ જોયું-તે વખતે વાલેપની જેવા તેણીના રૂપને વિષે રાજાના નેત્ર અત્યંત લીન થયા, અને માખીની જેમ તે દષ્ટિ પાછી વળી નહીં. તથા રાજાનું હૃદય પણ તેના અનુમાગે તથા પ્રકારે કોઈ પણ રીતે લાગી ગયું, કે જેથી જલદીથી ચોરે હરણ કરેલ ધનની જેમ તે પાછું વળ્યું નહીં. તે વખતે લોકોએ સમગ્ર વ્યાપાર કરીને રહિત અને નિશ્ચળ સમગ્ર અવયવવાળા તે રાજાને જાણે પથ્થરમાં ટાંકણવડે કરેલ હોય તેવો જોયે. અંતઃકરણમાં રૂધેલા સર્વ (ત્રણે) યોગવાળો અને તેમાં જ પિતાના ચેતન્યને સ્થાપન કરનાર તે રાજા પરપુરમાં પ્રવેશ કરનાર ગીની જેમ જણાયે નહી. કાંઈ મંત્ર નથી, તંત્ર નથી, મુદ્રાને વિન્યાસ નથી, તથા મંડળનું આલેખન નથી, તે પણ રાજા ચેતન રહિતપણે પરાધીન થયે, એ આશ્ચર્ય છે. ત્યાર પછી રાજાએ કોઈપણ પ્રકારે મોટા કાદવમાં પડેલા ઘરડા બળદની જેમ ચક્ષુને ખેંચીને દેવલક(પૂજારી)ને પૂછયું કે-“અરે ! શું પાતાલ વનિતાનું કે શું દેવની અસરાનું ? કે શું વિદ્યાધર રાજપુત્રીનું કે બીજી કેઈનું ? આ રૂપ આળેખ્યું છે ?” ત્યારે વિનય