SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૪ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા : રેમાં પ્રવો, કે જેથી જ્ઞાનાવરણાદિક કર્મના ક્ષયાપશમવડે પ્રાપ્ત થયેલ નિર્મલ બુદ્ધિના પ્રસારવાળા થઈને તેણે સ્મશાનની જેવા ગૃહવાસને, બંધનની જેવા બંધુ જનને, વિષની જેવા વિષયના સંગને, રાક્ષસીના સમૂહ જેવા સ્રીજનને, તથા કષ્ટના ભાજન જેવા ધનને વિચારીને( માનીને ) શ્રમણસિંહ સાધુની પાસે દીક્ષા અંગીકાર કરી. ત્યારપછી ગ્રહણ અને આસેવના શિક્ષાની સમ્યક્ આરાધના કરીને તે ખર્ગની ધારા જેવી તીક્ષ્ણ સાધુ ક્રિયાને પાળીને છેવટે અનશન કરીને સનત્કુમાર દેવલેકમાં ઇંદ્રની જેવી વિશેષ ઋદ્ધિવાળા દેવ થયા. ત્યાં ચિર કાળ સુધી પાંચ પ્રકારના વિષય સુખને ભાગવીને ત્યાંથી ચવીને ક્ષિતપ્રતિષ્ઠિત નગરમાં માટી રાજલક્ષ્મીના વિસ્તારના આડંબરવાળા અને અસાધારણુ પરાક્રમવડે સમગ્ર સામત રાજાના સમૂહને વશ કરનારા મહીધર નામના રાજાની રૈવતી ભાર્યાને વિષે પુત્રપણે ઉત્પન્ન થયા. તેનું સામ નામ સ્થાપન કર્યું. પછી શરીરના ઉપચયવડે અને બુદ્ધિના પ્રકવડે વૃદ્ધિ પામ્યા. તથા ક્રમે કરીને સમગ્ર લેાકના લેાચનને આનંદ ઉત્પન્ન કરનાર યુવાવસ્થાને પામ્યા, તા પણ તે મહાત્મા મદ અને કામદેવના દોષને દૂર કરી, ઇક્રિયાના વિકારને ઉપશમાવી તથા વિરુદ્ધ આચરણનું નિવારણ કરીને રહેવા લાગ્યા. પછી માતાપિતાએ તેને કહ્યું કે-“ હે પુત્ર ! સમયને ઉચિત કાર્ય કરવામાં તત્પર થયેલ પુરુષ મેાટી પ્રસિદ્ધિને પામે છે, તેથી હમણાં હે વત્સ ! પાણિગ્રહણ કરીને તથા રાજ્યલક્ષ્મીને ભાગવીને ચિરકાળે સર્વ વાંછિતને સમાપ્ત કરીને પછી ઉચિત કાર્ય કરજે. ” સામે કહ્યું કે“ હૈ પિતા ! એમ જ છે, પરંતુ પુત્ર, શ્રી વિગેરે લક્ષણવાળા સ્નેહરૂપી તંતુવડે બંધાયેલા ગર્વિષ્ઠ પ્રાણીઓ સાંકળથી બાંધેલા હાથીની જેમ જરા પણુ પરાક્રમ કરવાને સમર્થ થતા નથી, આત્માનું હિત કરવાને ઉત્સાહ પામતા નથી; અને તથાપ્રકારની અવસ્થાવાળા થઈને આગળ આગળ પ્રિયજનાના વિનિપાતથી થયેલા સુખ દુ:ખની ચિ'તાના સમૂહવš સંતાપ પામીને પગલે પગલે દુભાય છે. પરંતુ પહેલી વયને વિષે જ તેનાથી નિવૃત્ત ચિત્તવાળા પુરુષ લાંખા માળે ચાલેલા મુસાફરની જેમ માને જાણનારા મનુષ્યના સયાગવડે કષ્ટને પામતા નથી, અથવા વિયેાગવડે સુખને પામતા નથી. ” માતાપિતાએ કહ્યું કે “ હે વત્સ ! અમારા વચનના આગ્રહવડે આ અમારી પહેલી પ્રાર્થનાના ભંગ કરવા તારે ચેગ્ય નથી. ” કુમારે કહ્યું કે–“તે પ્રા ના કઇ છે? ” માતાપિતાએ કહ્યું કે–“શ્રીના પરિગ્રહ સર્વથા કરવા, એ જ અમારી પ્રાર્થના છે. ” ત્યારે માતાપિતાનું વચન ઉલ્લંઘન કરવા લાયક નથી એમ વિચારીને તથા ચારિત્રનું આવરણ કર્યાં છે એમ જાણીને કુમારે કહ્યું કે-“ હું માતાપિતા ! પ્રથમ મે* તા તમને મારા અભિપ્રાય નિવેદન કર્યાં. હવે તમને જેમ સૂચે તેમ કરી. તમે ચિરકાળ સુધી પ્રભાવવાળા છે, તેથી ઇચ્છા પ્રમાણે આચરણુ કરનારા મને કયા સમય છે ? ” તે સાંભળીને માતાપિતા ખુશી થયા. પછી રાજાએ પ્રધાન પુરુષાને માક. લ્યા. તે પુરુષસિંહ નામના સામત રાજાની સર્વાં લક્ષણે કરીને સહિત ચ'પકમાલા
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy