SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ સેમ રાજકુમાર અને કાર્તવીર્ય વચ્ચે સંગ્રામ. [ ૨૮૫ ] નામની પુત્રીને માગવા ગયા. ત્યાં કાળના વિલંબ વિના જ પુરુષસિંહ રાજાને જે. તેને તેઓએ આવવાનું પ્રયોજન કર્યું. ત્યારે તે રાજા હર્ષ પામે. સારા મુહૂર્ત તે કન્યાને આપી. ત્યાર પછી “જેમ રાજકુમારની પાસે જ વિવાહને માટે આને મોકલવી જોઈએ.” એમ નિશ્ચય કરીને પ્રધાન પુરુષો પાછા ફર્યા. “તે કન્યાનો વૃતાંત મહીધર રાજાને જણ તેણે પણ જેશીઓને બોલાવ્યા અને હસ્તમેળાપનું લગ્ન મુહૂર્ત) પૂછયું. તેઓએ સારી રીતે વિચારીને પાસેનું જ લગ્ન કર્યું. ત્યારપછી તેના વચનવડે પુરુષસિંહ રાજાને કહેવરાવ્યું, કે-“તમારી પુત્રી ચંપકમાળાને શીધ્રપણે મોકલે, કેમકે વિવાહનું લગ્ન સમીપે જ આવ્યું છે.” આ પ્રમાણે સાંભળીને પુરુષસિંહ સામંત રાજાએ અકસ્માત વિઘ આવી પડવાનું નહીં વિચારીને ઉચિત સામગ્રી સહિત ચંપકમાળાને વિદાય કરી. પછી અમ્મલિત નિરંતર) પ્રયાણવડે ક્ષિતિપ્રતિષ્ઠિત નગર તરફ જતી તેણીને માર્ગમાં દૂતો પાસેથી જાણીને તથા વચ્ચે પડીને શતદ્વાર નગરના રાજા કાર્તવીર્યે ગ્રહણ કરી, આ વૃત્તાંત મહીધર રાજાએ તથા પુરુષસિંહ સામંતે જાયે. ત્યારે તે બન્ને ક્રોધના સમૂહને પામીને શીધ્રપણે કાર્તવીર્ય તરફ ચાલ્યા. તે વખતે સેમ રાજપુત્ર આ વૃત્તાંત જાણીને, પિતના મોટા લઘુપણને વિચારીને, પિતાની પાસે જઈને, તેને પગમાં પડીને વિનંતિ કરવા લાગ્યો, કે-“હે પિતા! તમે પિતાને સ્થાને જ (અહીં જ) રહો. તે (કાર્તવીર્ય) શું માત્ર છે? જો કે તે ઘણા હાથી અને અજવાળો હોય, જો કે ઘણું સંખ્યાવાળા સુભટના પરિવારવાળા હોય, અને જે કે મોટા સામંત લોકની મોટી ઘટનાથી વ્યાસ (સહિત) હેય, તે પણ હે પિતા! મર્યાદાનો લોપ કરનાર તેને મેં છ જ છે એમ તમે માને. કેમકે મર્યાદાથી ભ્રષ્ટ થયેલ ક્ષત્રિય ઉદયને પામતે જ નથી. જેનો વિજય થવાને હેય તેવાની બુદ્ધિ પણ હે પિતા! આવા પ્રકારની ન હોય તેથી આ કાર્યથી તમે વિરામ , પામો, અને મને જ આદેશ આપ.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાજાએ ઘણું હાથી, અશ્વ અને દ્ધાના પરિવારવાળા અને ક્ષત્રિય યુદ્ધને અંગીકાર કરનાર તે કુમારને જલદી મક. પછી તે સીમાના પ્રદેશને પામે. ત્યાર પછી તેણે દૂતના વચનવડે કાર્તવીર્ય રાજાને આ પ્રમાણે કઠોર વચનવડે કહેવરાવ્યું કે “જેનું મરણું અને રાજ્યને નાશ પ્રાપ્ત થયો હોય તેવા રાજાની પ્રાયે કરીને અનીતિ કરવાની બુદ્ધિ થાય છે, તેથી તે આ અય કર્યું છે. તેથી જે કે પિતાની મેળે જ નાશ પામવાને ઉદ્યત થયેલા તને મરેલાને મારવા જેવું આ યુદ્ધનું ઉત્થાન કરવું અમને યેગ્ય નથી, તે પણ લેકેના હાસ્યથી ભય પામેલા અમે તે સહન કરતા નથી. તેથી અમે બીજું શું કરીએ ? હવે તું યુદ્ધને અને નીતિને અનુસર. અહીં ઘણું કહેવાથી શું?” આ પ્રમાણે કઠેર અક્ષર કહેવાથી કેપના વેગવડે રાતા થયેલા નેત્રની કાંતિના સમૂહવડે સભાલેકને રાતા કરતા કાર્તવીર્ય રાજાએ અર્ધચંદ્રના આકારથી શોભિત કરેલા ( જણાવેલા) દૂતની પાસે સંનાહની (યુદ્ધની) ભેરી વગડાવી. ત્યારે પ્રલયકાળમાં ક્ષોભ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy