SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૭૨ ]. શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રસ્તાવ ૪ શે ? સંપદા જેવામાં આવે, અને છેવટે દુઃખ પ્રગટ થાય છે, માટે અધિકારવડે વિલાસ પામતા મનુષ્યના મસ્તક ઉપર વજાશનિ પડો. બેસ, ઊભું રહે, બેલ, જા, અને મૌનવડે આ કાર્ય કર. આ પ્રમાણે દષની જેવા રાજાઓ સેવકને હુકમ કરીને પીડા કરે છે. આ પ્રમાણે છેવટે જેને અસાધારણ વિટંબણા આવી પડે છે, તે અનર્થ પ્રાપ્ત થવાથી, ભેગવવાથી કે દેવાથી પણ શું ફળ છે? રાજાનું સન્માન પ્રથમ ખાંડ, શેરડી અને સાકરના રસ જેવું મીઠું લાગે છે, અને તે જ સન્માન પરિણામે તાલપુટ વિષ જેવું થાય છે.” આ પ્રમાણે તે અમાત્ય જેટલામાં અત્યંત દુઃખથી હણાયેલો ચિંતાતુર રહે છે, તેટલામાં રાજપુરુષે આવીને કહેવા લાગ્યા, કે-“હે અમાત્ય! દેવ આદેશ આપે છે, કે-અંદરનું (ગુપ્ત) ધન આપીને દેવના ચરણસ્પર્શ વડે (દેવતાના સોગન ખાવાવડે) તારા આત્માને તું શુદ્ધ કર.” ત્યારે “બહુ સારું” એમ અમાત્ય અંગીકાર કર્યું. પછી સર્વ ધનને વિસ્તાર આપીને દેવતાના ચરણના સ્પર્શવડે રાજાના ચિત્તને વાસિત (ખુશ) કર્યું. પછી રાજાએ તેને ગુણિબંધનથી મુક્ત કર્યો. ત્યારે તે પિતાને ઘેર ગયે. મનમાં ખેદ પામેલા તેને વસંતસેનાએ કહ્યું, કે-“હે આર્યપુત્ર! ધીરજનો ત્યાગ કરી, ચિત્તના અવશંભને છોડી તથા કાયરપણાને અંગીકાર કરી તમે કેમ આ પ્રમાણે વર્તે છે? શું આ સંસારની સ્થિતિ અપૂર્વ છે? તે આ પ્રમાણે–ભમતા અરઘટ્ટની ઘડીની શ્રેણિની જેમ ખાલી થયેલા પુરુષે તત્કાળ પૂર્ણ થાય છે, અને પૂર્ણ થયેલા ખાલી થઈ જાય છે. તેમાં શું આશ્ચર્ય છે? કાળવડે કોણ કોળિયે કરાયો નથી? કેણ ભીખ માગનાર ગૌરવને પામે છે? લક્ષમીથી કોણ મૂકાયો નથી? અને બળ પુરુષવડે કણ દૂષિત થયો નથી? રાજાઓને કેણુ વહાલે છે? કેણ મનવાંછિતને પામ્યા છે ? કોને આપત્તિઓ પ્રાપ્ત નથી થઈ? તેથી હે નાથ ! તમે સંતાપનો ત્યાગ કરો.” ત્યારે અમાત્યે કહ્યું કે –“હે પ્રિયા ! અકસમાત દુઃખ આવી પડવાથી સંતાપ થાય છે, અને સમ્યફ પ્રકારે નિશ્ચિત થયેલ ભાવી આપદા આવી પડવામાં તે(સંતાપ)ને શો અવકાશ હેય?” વસંતસેનાએ કહ્યું કે – “હે આર્યપુત્ર ! કેવી રીતે તેનો નિશ્ચય થયે?ત્યારે અમાત્ય દેવીને પુત્રના વરદાન આપવાને વ્યતિકર અને સ્વપ્નમાં ખાલી કળશની પ્રાપ્તિના સદભાવથી વૈભવને અભાવ કહી બતાવ્યું.” ત્યારે વસંતસેનાએ કહ્યું કે –“ જે એમ છે, તે પુત્ર વિના શું આપણે ન ચાલે ?” અમાત્યે કહ્યું કે “આ તો નિમિત્ત માત્ર જ છે. પરમાર્થપણે તે કઈ કઈને આપવા કે હરણ કરવા સમર્થ નથી. તે આ પ્રમાણે-જેના વડે જે સુખ કે દુઃખ, જે ઈષ્ટ કે અનિષ્ટ, અથવા જે લક્ષમી કે તેનો નાશ પામવાનો છે, તેને તે અવશ્ય પામે છે. પૂર્વે કરેલા કર્મવડે જીવને જે શુભ કે અશુભ પામવાનું છે, તે તેવા પ્રકારે જ પરિણમે છે. તેમાં બીજે તો નિમિત્ત માત્ર જ થાય છે. દશરથના પુત્ર(રામ)ના હાથવડે અવશ્ય દશાસ્થ(રાવણ)ના મરણને સંભવ હોવાથી મોટા અનુભાવવાળી જનની પુત્રી (સીતા) નિમિત્ત માત્ર થઈ છે. સર્વ લેક આઠમાં ચંદ્રને માણ
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy