SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૪૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર :: પ્રસ્તાવ ૪ શેઃ લક્ષ્મી( શોભા )વાળા હસ્તકળવડે શોભતી મનહર અંગતતા જાણે કામદેવરૂપી વૃક્ષની લતા હોય તેમ તે શેભે છે. તેમને અનુપમ રૂપ અને લાવણ્યવડે મનહર તથા મહાદેવના હાસ્ય જેવા ઉજવળ યશવડે દિશાઓને ઉજ્વળ કરતો મહાગ નામને પુત્ર છે. પૂર્વે કરેલા સુકૃતને અનુરૂપ સુખને ભેગવતા તેમના દિવસે નિર્ગમન થવા લાગ્યા. એક દિવસ રાજા સભામંડપમાં બેઠા હતા અને પ્રધાન પુરુષો પિતાપિતાને સ્થાને બેઠા હતા ત્યારે પ્રતિહારે આવીને કપાળવડે પૃથ્વીમંડળને ચુંબન કરીને વિનંતિ કરી કે-“હે દેવ ! આપણા દ્વારને વિષે હાથમાં ચિત્રપફ્રિકાને ધારણ કરતે એક પુરુષ દેવના દર્શનમાં ઉત્સુક રહેલે છે.” ત્યારે રાજાએ કહ્યું કે-“ તેને જલદી પ્રવેશ કરાવ.” ત્યારે “બહુ સારું ” એમ કહીને તેણે તત્કાળ તેને પ્રવેશ કરાવ્યું. પછી વિનયથી મસ્તક નમાવીને રાજાને પ્રણામ કરી તે યોગ્ય આસન ઉપર બેઠો. પછી સંભ્રમ સહિત ચક્ષુ નાંખવાપૂર્વક વિદ્યાધર રાજાએ તેને પૂછયું કે-“હે પુરુષ! તું કયાંથી આવ્યા છે ? અથવા શું પ્રયોજન છે?” તેણે કહ્યું કે-“હે દેવ! હું કહું છું. ભેગપુરના અધિપતિ ચંડગતિ નામના વિદ્યાધર રાજાએ પિતાની કન્યા પવાનું રૂપ એક પાટિયા ઉપર આળેખાવીને તે ચિત્રફલક મારા હાથમાં આપીને મને તમારા દર્શન માટે તથા મહાગ રાજકુમારનું રૂપ પ્રતિબિંબ લાવવાને માટે મને મોકલ્યો છે. તે વખતે તે જેવાને સન્મુખ થયેલા વિદ્યાધર રાજાને તેણે ચિત્રપટ્ટિકા આપી. રાજાએ તે જરાક જોઈને જ પુત્રને આપી. અને તે તેને જોઈને નિશ્ચળ અને નિમેષ રહિત નેત્રને સ્થાપના કરીને મોહના વશથી વ્યાકુળ અને ઉછળતા રે માંચવડે કામદેવને પ્રગટ કરેતે જાણે થંભાઈ ગયે હય, જાણે લેપથી બનાવ્યા હોય અને જાણે પથ્થરમાં કર્યો હોય, તેમ એક ક્ષણવાર રહ્યો. ત્યારે “ ગુરુજનની સમક્ષ આ મારે અનુચિત છે.” એમ વિચારીને લજજાથી નમેલી ડોકવાળો તથા કપટથી ઉત્પન્ન કરેલા કેપના વિકારથી કામદેવના સંક૯૫( વિકાર)ને છુપાવતો તે બીજી બીજી વાતોના વ્યાક્ષેપવડે સેવાનો સમય પૂર્ણ કરીને ચિત્રપટ્ટિકાવાળા પુરુષની સાથે પિતાના મહેલમાં ગયો. ત્યારપછી એકાંતે રહેલા રાજપુત્રે આદર સહિત તે પુરુષને પૂછયું, કે “હે ભદ્ર! આ ઉપક્રમનું શું કારણ છે?” ત્યારે તેણે કહ્યું કે –“તે રાજકન્યાને કોઈ પણ કારણને લીધે પરણવાની વાર્તા પણ રુચતી નથી, પુરુષનું કીર્તન પણ સંતાપને ઉત્પન કરે છે, ઇંદ્રિયોના અર્થનો વિચાર પણ રુચતું નથી. આવા પ્રકારની તેણીની અવસ્થા જેવાથી અત્યંત સંતાપ પામેલા તેના માતાપિતાએ મંત્રતંત્રાદિકનો ઉપચાર જ નથી કર્યો એ કોઈપણ નથી, તે પણ તેણના ભાવનું પરિવર્તન થયું નહીં. પછી રાજાએ પોતાના પ્રધાન પુરુષોને સર્વ વિદ્યાધર રાજાઓની પાસે મોકલ્યા અને નમ્રતાપૂર્વક તે તે રાજાઓના બાલપુત્રોના પ્રતિષ્ઠદે મંગાવ્યા તે સર્વ પિતાની પુત્રીને દેખાડ્યા, પરંતુ સૂર્યમંડળને વિષે જેમ ચક્ષુ ન નાંખે તેમ તેઓને વિષે તેણીએ ચક્ષુ નાંખી નહીં. ત્યારપછી કોઈક દિવસે ત્યાં નારદ મુનિ આવ્યા. તે
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy