________________
હણવામાં પણ દખ જ રહેલું છે. દરવાજા વિનાના નગરની જેમ અને મૂળ વિનાના વૃક્ષની જેમ દયા વિનાનો ધર્મ ડાહ્યા પુરુષોની પ્રશંસા પામતો નથી. વિગેરે.” (પાર્ષકુમારનો આ દયા ધમ ઉ૫રને સંવાદ મનન કરવા જેવો છે. જુઓ પૃ. ૧૫૭.) આ પ્રમાણે સાંભળી રોષિત બનેલા કમઠ તાપસે જણાવ્યું કે-“હે રાજકુમાર ! હાથી, અશ્વ વિગેરેના દોષ જોવામાં તમારી બુદ્ધિ ઉપયોગી હોય, ધર્મ, શાસ્ત્રના વિચારમાં તમે શું જાણો?” ત્યારે ભગવાને કહ્યું કે-“ શું અસત્ય કહું છું ? સર્વ લોકો પ્રત્યક્ષ જુઓ.” આ પ્રમાણે સચવી, એક અર્ધ બળેલા કાને અગ્નિકુંડમાંથી બહાર કઢાવી, નોકર પાસે પરશવ તેના બે ભાગ કરાવતાં તેમાંથી અ૫ જીવિતવાળે સર્ષ નીકળ્યો. બોદ પરમ કપાળ પરમામા પાર્શ્વનાથ પ્રભુએ તેને પંચ પરમેષ્ટી મંત્ર સંભળાવ્યું, જે એકાગ્ર મનથી સાંભળી, મૃત્યુ પામી તે સર્પ ધરણેન્દ્ર દેવ થયા. મહામંત્ર નવકાર મંત્રનું માહાસ્ય જુઓ ? જેને શાસ્ત્રકાર ચિંતામણ મહામંત્ર કહે છે અને ઉત્તમ ફળ આપનાર કહે છે. મૃત્યુ સન્મુખ થયેલા સને માત્ર નવકાર મંત્રના શ્રવણ માત્રથી ધરણેન્દ્ર દેવની પદવી પ્રાપ્ત થાય છે. નવકાર મંત્રનું આલંબન' ખરેખર આ મહાભયંકર ભવસમુદ્રમાંથી તારવાને જહાજ તુલ્ય છે. આ પ્રમાણે પરમાત્માને પ્રભાવ જાણી લજજાળ બનેલ કમઠ તે સ્થળેથી ચાલ્યો જાય છે, અને અજ્ઞાન કષ્ટ કરી મૃત્યુ પામી મેલનિકાયમાં મેઘમાલી નામને દેવ થાય છે.
હવે વસંતઋતુ આવી પહોંચી. ઉઘાનપાલકની વિજ્ઞપ્તિથી પાકુમાર પોતાની પટ્ટરાણી પ્રભાવતી તેમજ પરિજન વર્ગ સાથે ઉધાનમાં જાય છે અને ત્યાં એક મોટા વાસ-ભુવનમાં બેઠા છે. તે વાસભુવનનાં ચિત્રો જોતાં તેમણે દ્વારિકા નગરી, બલરામ અને કૃષ્ણ વાસુદેવના ચિત્રો જોયા. પછી તેમની દષ્ટિ રાઇમતીનો ત્યાગ કરી ધ્યાનમાં રહેલ બાવીશમાં જિનેશ્વર નેમિનાથના ચિત્ર પર પડે છે. આ પ્રમાણે દશ્ય નીહાળી ત્રણ જ્ઞાનના ધણી ભગવંતના વેગને સંવેગ પ્રાપ્ત થાય છે. આ સમયે તેમણે શ્રીના સ્વરૂપની વિચારણા કરી જે ખરેખર વાંચવા તેમજ વિચાર કરવા યોગ્ય છે. (જુઓ પા. ૧૬૦-૧૧).
હવે બરાબર સમય થતાં તે વખતે કાંતિક દે આવી પરમાત્માને તીર્થ પ્રવર્તાવવા માટે વિનંતિ કરે છે. પરમાત્મા પણ પૂર્ણ સંગ-રંગને પ્રાપ્ત કરી રાજમહેલે આવ્યા. રાત્રિ પૂર્ણ કરી, પ્રાતઃકાળમાં માતા-પિતાને પોતાની દીક્ષા-ગ્રહણની વાત કરી, જે સાંભળતા માતા વામા તે આકુળવ્યાકુળ થઈ ગયા. માતનેહના કારણે તેમણે પાર્શ્વ કુમારને અનેક પ્રકારે સમજાવ્યા, જેમને શ્રી પાર્શ્વકમારે નેમિનાથ ભગવંતનું દષ્ટાંત આપી શક રહિત બનાવ્યા. શ્રી અશ્વસેન રાજાએ પણ પરમામાને દઢ નિર્ણય જાણી વામાદેવીને સમજાવ્યા. પરમાત્માએ સમસ્ત દારિદ્રયને ચૂર્ણ કરતું સાંવત્સરિક દાન પ્રારંભયું. જુઓ પરમાત્માની સમસ્ત જગજંતુઓ પરની કરુણ બુદ્ધિ. ૩૮૮,૮૦૦૦૦૦૦ આટલા પ્રમાણ સુવર્ણનું પરમાત્માએ વર્ષભરમાં દાન આપ્યું. બાદ પરમાત્માને નિમણુ અભિષેકને મહોત્સવ શરૂ થયો. તે સમયે આસન કંપથી બત્રીશે ઇકો આવી પહોંચ્યા, અને પ્રજને સ્નાનાભિષેક કર્યો અને પછી પૂર્ણ ભક્તિભાવથી સ્તુતિ કરી. (પૃ. ૧૬૭.) પછી વિશાલા નામની શિબિકામાં પ્રભ આરૂઢ થઈ નગર બહાર આશ્રમપદ નામના ઉદ્યાનમાં પધાર્યા અને પિષ વદી અગિયારસને દિવસે અઠ્ઠમની તપસ્યા પૂર્વક ત્રીશ વર્ષની વયે, ત્રણસે કુલીન રાજપુત્ર અને પરમાત્મા સાથે પ્રવજયા લીધી. અહીં દીક્ષા મહોત્સવનું તથા આશ્રમપદ ઉદ્યાનનું વર્ણન રોચક અને સુંદર શૈલીમાં જણાવવામાં આવ્યું છે. (પૃ. ૧૬૯-૧૭૦, ).