SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ હો . શ્રીદતને ક્ષેમંકરે કરેલો મિત્રદ્રોહ અને બંનેનું સમુદ્રમાં પતન [ ૨૩૭] ચિંતવન કરવાથી શું ફળ? જે થવાનું હશે, તે થશે, જે નહીં થવાનું હોય, તેને સંભવ જ નથી. આ પ્રમાણે અર્થને નિશ્ચય હોવાથી અહીં ચિંતા(વિચાર)નો શો અવસર છે? કેમકે કેઈપણ વખત કાર્યો ચિંતાને આધીન હતા જ નથી.” ત્યારે ક્ષેમંકરે કહ્યું કે –“હા. એમ જ છે, તે પણ તત્ત્વને જાણનાર પણ ચિત્તના વ્યાપારને રૂંધવા સમર્થ થતું નથી.” આ પ્રમાણે પરસ્પર જુદી જુદી વાતના વિસ્તારવડે દિવસને પૂર્ણ કરી રાત્રિએ તે બને સૂઈ ગયા, અને પ્રભાતસમયે શ્રીદતે સ્વપ્ન જોયું, કે-“શરીરની ચિંતા(ઠ) કરતા મને આ ક્ષેમંકરે સમુદ્રમાં નાખે.” આ પ્રમાણે જોઈને મનમાં વિસ્મય પામેલો અને જાગૃત થયેલે શ્રીદર વિચાર કરવા લાગે કે-“સ્વપ્નને અર્થ આ પ્રમાણે સૂચન કરે છે–અનુભવેલા, જોયેલા અને ચિંતવેલા પ્રકૃતિના વિકારે દેવના પ્રેરેલા હોય છે અને તે સ્વનના નિમિત્તો પુણ્ય અને પાપ જ છે, તેને અભાવ નથી. તેમાં જોયેલ, અનુભવેલ અને ચિંતવેલ પ્રકૃતિના વિકારોમાંથી જે એક પણ ન હોય, તે દેવે પ્રેરણા કરેલા પુણ્ય અને પાપનું કારણ પણું હોય. તે પણ આવા પ્રકારના કાર્યના વિષયવાળું પ્રગટ અક્ષરવડે કેમ ઘટી શકે? અથવા તો વિધાતા(દેવ)ના વ્યાપારો નહીં ઘટતાને ઘટાડવામાં હુંશિયાર છે. આ મારો મિત્ર છતાં પણ કેંઈ પણ કારણ કરીને હમણાં એકાગ્ર મનવાળો થઈને અત્યંત ચિંતાતુર દેખાય છે, તે હું જાણતો નથી. પૂર્વે મારા પૂછવાથી જે મને તેણે પ્રત્યુત્તર આપે તે પણ ચિત્તને ખેદ ઉત્પન્ન કરવા સિવાય બીજું કાંઈ નથી, એમ મને ભાસે છે. અથવા મટે નેહવાળે અને સાથે વસવાવાળે આ મારી સાથે જ ચાલે. આ આ મહાત્મા આવા પ્રકારના અનર્થને કરનાર કેમ ઘટી શકે ? આ અતિ મનોહર દ્રવ્યને સમૂહ હરિ અને મહાદેવને પણ લાભથી વ્યાપ્ત વિકુવે છે (કરે છે), તે પછી આ પણ ઘટી શકે છે.” આ પ્રમાણે વિચારતો શ્રીદત્ત શયામાંથી ઊઠીને, પ્રભાતનું કાર્ય કરીને ક્ષેમકરની પાસે જઈને બેઠે, અને તે જ પ્રમાણે કાંઈક ધ્યાન કરતે હેવાથી નિશ્ચળ નેત્રવાળો તેને જે. ત્યારે શ્રીદર સ્વપ્નને અનુસરતા વિચારને સમૂહ ઉત્પન્ન થવાથી સારી રીતે વિશેષ કરીને ઉપયોગમાં તત્પર રહેવા લાગ્યો. ત્યારપછી મધ્ય રાત્રિને સમયે શરીરચિંતા કરવાના મનવાળો તે ઊઠીને ધીમે ધીમે જવા લાગ્યું, તે વખતે તે જ અપધ્યાનમાં નિરંતર ઉપયુક્ત ચિત્તવાળા ક્ષેમકરે તેને જાણ્યા. તેથી તેને અનુસરતા માર્ગે પોતે લાગ્યો. શ્રીદત્ત પણ ચિત્તમાં ઉપગ રાખીને ઉચિત પ્રદેશમાં શરીરચિંતા કરવા લાગ્યા. બીજે ક્ષેમંકર) પણું વેષનું પરાવર્તન કરી વસ્ત્રવડે મુખને અત્યંત ઢાંકીને જલદી તે પ્રદેશમાં પ્રાપ્ત થયો. તેને શંકાને લીધે આમતેમ ચક્ષુને નાંખતા શ્રીદત્ત જોયા. તે વખતે જેટલામાં તે પ્રદેશથી ઉઠવાને તે તૈયાર થયે, તેટલામાં પિતાને થવાના મેટા આપાત વિનાશ નો વિચાર કર્યા વિના ક્ષેમંકરે તેને જળ તરફ ફેંકયે. પડતા એવા તેણે તથા પ્રકારે કઈ પણ રીતે ક્ષેમકરને ગ્રહણ કર્યો, કે જે પ્રકારે તે બન્ને એકી સાથે જ મેટા સમુદ્રમાં પડ્યા. તેમાં મજજન( ડુબવું) અને ઉન્મજજન( ઉછળવું) કરતા શ્રીદ થીગડા(આધાર).
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy