________________
જયસુંદર કુમારનો દેવી મંદિરે જવલનનો મેળાપ.
[ ૨૩૧ ]
ઉપર છરીને વ્યાપાર કરે છે તેટલામાં દેવીએ તેને પિતાના હસ્તતળમાં ધારણ કરીને કહ્યું કે-“હે વત્સ! સાહસ કરવાથી સર્યું, જે મારે કરવા લાયક હોય, તે તું કહે.” ત્યારે રાજપુત્રે કહ્યું કે-“જે એમ હોય તે આ અત્યંત દુખી અને દૌર્ગત્યના સમૂહથી વ્યાપ્ત થયેલા બ્રાહ્મણને પૂર્ણ વાંછિતવાળો કર.” ત્યારે દેવીએ કહ્યું કે-“હે વત્સ! સત્વ રહિત માણસના મસ્તકને મુગટ સમાન આ બ્રાહ્મણ વાંછિત દાનને અગ્ય છે, તેથી તું કાંઈ પણ પિતાના વાંછિતને કહે, કે જેથી તે આપીને હું નિવૃત્તિ પામું.” ત્યારે રાજપુત્રે કહ્યું કે-“હે દેવી ! એમ ન કર. જે મારા ઉપર કાંઈ પણ પ્રસન્નતાને તું ધારણ કરતી હાય, તો આના મનોરથને પૂર્ણ કર.” ત્યારે આ પ્રમાણે તેને નિશ્ચય જાણીને દેવીએ બ્રાહ્મણને કહ્યું કે-“હે વત્સ! તું તારા વાંછિતને કહે કે જેથી હું તને આપું.” ત્યારે અમર્ષ (ઈર્ષ્યા) ઉત્પન્ન થવાથી તે બ્રાહ્મણે કહ્યું કે-“હે દેવી! વાંછિતનું આપવું હમણું દૂર રહે, પરંતુ પ્રથમ તું મને આ કહે, કે મારા વિશ લંઘનને છેડે પણ સ્વપ્નમાં માત્ર દર્શન આપવાવડે પણ પિતાના માહાત્મ્યને નહીં પ્રકાશ કરતી તું અપ્રતિહારીની જેમ કેમ રહી છે? અને આ કઈ મહાપુરુષના વચન માત્રથી જ વરદાન આપવાનું કેમ અંગીકાર કરે છે?” ત્યારે દેવીએ કહ્યું કે-“હે બ્રાહ્મણ! લાખ લાંઘણવડે પણ અમારું મન પ્રસન્ન થતું નથી, પરંતુ સત્ત્વવડે જ પ્રસન્ન થાય છે. તે સાવ તારામાં જરા પણ નથી, પરંતુ આ કોઈક મહાસત્ત્વવાળાના કહેવા પછી તરત જ અનુસરતું ન કરાય, તે તૃણની જેમ પોતાના જીવિતને પણ ત્યાગ કરે માટે આ કારણ છે. હવે તેને જે રચતું હોય, તે મને કહે.” ત્યારે તે બ્રાહ્મણે વિચાર્યું કે-“પિતાના સામર્થ્ય (સત્વ)વડે અથવા ચિર કાળના કરેલા સુકૃતવડે જે પ્રાપ્ત થયું ન હોય, તે સત્વ રહિતપણે બીજાના આગ્રહવડે પ્રાપ્ત થયેલું ચિરકાળ સુધી રહેતું નથી. તે ભિક્ષા પણ સુખકારક છે, કે જે પિતાના પરાક્રમથી જ પ્રાપ્ત થાય છે તેથી આવા પ્રકારના લાભના મસ્તક ઉપર વજ પડે. ઘણુ જન્મમાં ઉત્પન્ન કરેલા નિર્મળ કર્મની પરંપરાથી રહિત પ્રાણીઓ પણ પિતાના હિતને શોધતા સતા ખરેખર પિતાના આહારના પ્રમાણથી જ તૃષ્ણાને શમાવી દે છે, તેથી કરીને બીજાના આગ્રહથી પ્રાપ્ત થયેલા આ ધનવડે શું ફળ છે?” એ પ્રમાણે વિચારીને તે જવલન બ્રાહ્મણ એકદમ આસન ઉપરથી ઊભે થયે, અને તત્કાળ પ્રાપ્ત થયેલા પ્રબલ વીર્યને વશથી વિકાસ પામેલા શરીરના સામર્થ્યવાળો તે લંઘનવડે શરીરનું બળ શુષ્ક છતાં પણ કર પત્રિકાને અને માતાને હાથમાં લઈને પિતાના ઘરની સન્મુખ ચાલ્યું. તે વખતે દેવી વિલખી (લજજાવાળી) થઈ, અને ફરીથી તેને બેલાવીને દેવીએ આદર સહિત કહ્યું કે-“હે ભટ્ટા ઘરની સન્મુખ કેમ ચાલે? વાંછિત અર્થને કેમ નથી માગતો?” ત્યારે ભદ્દે કહ્યું કે-“હે દેવી! સવવડે કે પુણ્યવડે નહીં ઉપાર્જન કરેલું ધન ગિરિના શિખર ઉપર નાંખેલા જળની જેમ કેટલો લાંબો વખત સ્થિર રહે? તેથી હે દેવી! તારે મને માફી આપવી, કે જેથી મેં તારે ઉપરોધ કર્યો.” ત્યારે દેવીએ કહ્યું