SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૨ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : : પ્રસ્તાવ ૪ થા : કે—“ એ એમ જ છે. પર`તુ હમણાં તું આ પ્રમાણે વીર્યના ઉલ્લાસવાળા થયા છે, તેથી અપાતા મનવાંછિતને પણ નહીં ઇચ્છતા તું અત્યંત સત્ત્વવાળા થયા છે, તેથી મનવાંછિત અને આપવામાં કુશળ એવા આ મણિને તું ગ્રહણ કર. ” ત્યારે ભટ્ટે કહ્યું કે—“ તારા પ્રણયના ભંગના ભયથી આ ગ્રહણ કરું છું, પરંતુ અર્થી( યાચક )પણાએ કરીને ગ્રહણ કરા નથી. કેમકે પુરુષનું જે અથીપણું છે, તે મરણુ વિના જિાની સ્ખલના છે, વાયુના ક્ષેાલ વિના કઠવિવરના નિરોધ છે, અને પ્રયાસ વિના ક્રાંતિના નાશ છે. ’” આ પ્રમાણે કહીને પિપાસા રહિત અને કેવળ વિકાસ પામતા સત્ત્વવાળા તે ભટ્ટ મણિને લઇને જેટલામાં કેટલાક પગલાં ગયા તેટલામાં ફરીથી તેણે વિચાર્યું કે— ,, “ જો મારે લબ્ધિ નથી, તા આ પત્થરવડે મને શું લાભ ? અને જો લબ્ધિ હાય, તા આ પત્થરના કકડા ગ્રહણ કરવાથી શું લાભ ? આ જગતમાં પ્રસિદ્ધ ઇભ્ય અને રાજા વિગેરે સુખી દેખાય છે, તે મણિ રહિત છતાં પણ સુકૃતના ચેાગથી તેવા ( સુખી ) ડાય છે. તેથી મનવાંછિતને પામવાની ઇચ્છાવાળા મનુષ્યે સર્વથા પ્રકારે પ્રયત્નવર્ડ સુકૃત ઉપાર્જન કરવામાં જ અત્યંત પ્રવૃત્તિ કરવી. ખીજાથી શું ફળ છે ? આ પ્રમાણે વિચારીને તેણે પાછા વળીને દેવીના હંસ્તકમળને વિષે નિષેધ કર્યા છતાં પણ મણિને મૂક્યા અને પછી તે પાતાને સ્થાને ગયા. પછી “ રાજપુત્રના સયાગથી ભટ્ટને સત્ત્વને લાભ થયા. ” એમ વિચારતી દેવીએ કહ્યું કે હે રાજપુત્ર ! વત્સ ! સૂર્યના કિરણેાવર્ડ વ્યાસ થયેલા સ્ફટિકમાંથી પણ અગ્નિના કણીયા કરે છે, સુભટના સંગથી કાચુર પુરુષને પણ વીના ઉચ્છ્વાસ થાય છે, અને દાતાર પુરુષને જોવાથી દાનને આપવા નહીં ઈચ્છતાને પણ દાન દેવાની ઈચ્છા થાય છે. ” ત્યારે રાજપુત્ર કહ્યું કે− હૈ દેવી ! તારા ભવનમાં રહેવાનું જ આ માહાત્મ્ય છે. બીજા કાને આવા પ્રકારની અસંભવિત ભાવનાનું સામર્થ્ય થાય ? ત્યારે દેવીએ કહ્યુ કે–“ ભલે કાંઇ પણ હા. હું વત્સ ! આ મણિ મેં તને જ આપ્યા છે. ” એમ કહીને તેના હસ્ત-કમળની મધ્યે તે મણિ મૂકીને દેવી અદ્રશ્ય થઈ ગઈ. રાજપુત્ર પશુ મણિ લઈને નંદકની સાથે સૂર્ય-મંડળના ઉદય થયા અને હિમના સમૂહ નાશ પામ્યા ત્યારે દેવાલયમાંથી નીકળ્યેા, અને દેવીએ આપેલા મણુિના માહાત્મ્યવર્ડ ઇચ્છિત અર્થની પ્રાપ્તિવાળા તે ઇચ્છા પ્રમાણે સર્વ ઠેકાણે કેટલાક લાંબા કાળ સુધી કર્યો. પછી પિતાના પ્રધાન પુરુષા અને પૌરજનાના નમ્રતાવાળા પ્રાર્થનાના વચનવડે તે પાળે વળ્યે, અને બળવાન પદાતિ, હાથી, અશ્વ, કેશ અને કોઠાર વિગેરે સમૃદ્ધિવર્ડ યુક્ત રાજલક્ષ્મીને પામ્યા. હવે તે જવલન બ્રાહ્મણુ કુણાલ ગામમાં ગયા અને પેાતાના ઘરમાં પેઠા. તેને જોઈ તેની ભાર્યા ઊભી થઇ, અને દેવતાદિકના વૃત્તાંત જાણીને તે ખુશી થઈ. પછી તે બન્ને પૂર્વની સ્થિતિ પ્રમાણે વર્તવા લાગ્યા. માત્ર તે દિવસથી આરંભીને કાઇની પ્રાર્થના નહીં કરતા, દીન વચનને નહીં ખેલતા અને કેટલાક ઘર પ્રત્યે ભમવાવડે પ્રાપ્ત થયેલા આહારવટે સતાષ પામતા તે દિવસેાને નિમન કરવા લાગ્યુંા.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy