SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા ગણધરના પૂર્વ વૃત્તાંત અને જયસુ ંદર કુમારનું પરદેશગમન. [ ૨૨૯ ] ઇચ્છતા તે કેટલાક સહાયકારક(મિત્રા) સહિત અહીં આવ્યા અને તેણે દીક્ષા ગ્રહણ કરી. આ પ્રમાણે બીજા ગણધરના પણ ચિર(લાંબા) ભવના સંબંધવાળા વૃત્તાંત કહ્યો, હવે ત્રીજાને સ્માશ્રીને તેના વૃત્તાંત કહું છું, તે તમે સાંભળેા— ત્રીજા ગણધરના પૂર્વ વૃત્તાંત, જખૂદ્વીપ નામના દ્વીપમાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં જયના પ્રગટ યશવર્ડ અત્યંત ભરપૂર પુષ્કલાવતી નામના વિજય છે. તેમાં સૈામનસ નામના શ્રેષ્ઠ નગરમાં શત્રુરૂપી ગજેંદ્રને ફાડી નાંખવામાં સિ'હુના કિશાર( બચ્ચા ) જેવા વિજયસેન નામના પ્રસિદ્ધ રાજા છે. સુ ંદર રૂપ‘અને સૌભાગ્યવડે દેવની સ્ત્રીઓના ગર્વના નાશ કરનાર અને પ્રસિદ્ધ ગુણવાળી નિર્વાણી નામની તેને ભાર્યા છે. વાણીની ચતુરાઇ વિગેરે માહાત્મ્યવર્ડ જયવાદને પામેલા અને અનુપમ રૂપ લક્ષ્મીવર્ડ દેવકુમારને જીતનાર જયસુંદર નામના તેમને પુત્ર છે. તે રાજપુત્રને હંમેશાં અતિ ભક્તિવાળા, તેનું કાર્ય કરવામાં અતિ શક્તિવાળા અને તેની સેવા કરવામાં અપ્રમાદી નંદકુ નામના બાળમિત્ર છે. સાથે સૂવુ, સાથે રહેવુ, સાથે ફરવું અને સાથે લેાજન કરવુ, વિગેરે સર્વ કાર્યોંમાં સાથે વતા; માત્ર શરીરથી જ જૂદા એવા તે બન્નેના દિવસે વ્યતીત થાય છે. કાઇક દિવસે સુખશય્યામાં સૂતેલા રાજાને રાત્રિના પાછલા સમયે વિચાર થયા કે—“ આ માશ જયસુંદરકુમાર રાજના લક્ષણવર્ડ વ્યાપ્ત શરીરવાળા હેાવાથી પૂર્વ પુરુષાનુ સ્થાન આપવાને લાયક છે, તેથી જો હુ કાઇ પણ પ્રકારે માટા સન્માનવડે તેને જોઉં, તેા અવશ્ય મારી ખીજી પત્નીએ પાત-પાતાના પુત્રને રાજ્યના અભાવની શંકા થવાથી કદાચ વિષાદિકના પ્રયાગથી મારી નાંખે. તેથી હુ તથાપ્રકારે કાંઇક કરું, કે જે પ્રકારે કેટલાક લાંબા વર્ષો સુધી અજ્ઞાન( ગુપ્ત ) ચર્યાવર્ડ ચેાતરમ્ ક્. આ પ્રમાણે વિચાર કરીને રાજાએ તે કુમાર ઉપર અપ્રસાદ કર્યાં, અને કાંઇક મિષ કહીને તેને આવવા માટે દ્વારનું નિવારણ કર્યું, તથા જીવિત( @ાજન )ના પણ નિષેધ કર્યાં. ત્યારે અત્યંત અપમાન પામેàા તે રાજપુત્ર નંદક મિત્ર સહિત મનમાં ખેદ પામીને રાત્રિને મધ્યે નીકળી ગયા અને પૂર્વ દેશની સન્મુખ ચાહ્યા. પાંચ ચેાજન ઉદધન કર્યા ત્યારે તેનુ શરીર પરિશ્રમને લીધે અત્યંત ગ્લાનિ પામવાથી કાઇ પણ પ્રકારે (.માટા કષ્ટથી ) એક ખેટક( ગામડા )માં પાંચ્યા. ત્યાં એક બ્રાહ્મણને ઘેર રહ્યો (ગયા ). તેને મનેાહર અને ઉદાર શરીરવાળા જોઇને તે બ્રાહ્મણે લેાજન આપ્યું. પછી ત્યાં ત્રણ રાત્રિ રહીને કાંઇક સારા શરીરવાળા થયા, ત્યારે તે રાજપુત્ર નંદકની સાથે ચાલ્યે. અનુક્રમે જતાં કુસુમપુરને એળંગી એ ગામની વચ્ચે હિમથી વ્યાપ્ત થયેલા શીતલ વાયુવડે હણાયેલા તે એક પગલું પશુ ચાલવાને અશક્ત થયા ત્યારે ન કે તેને કહ્યું —“ હે રાજપુત્ર ! અહીં સમીપે ઘણા પાંદડાના વિસ્તારથી શાભતા, મેાટા પ્રમાણુવાળા, p
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy