SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૨૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર?? પ્રસ્તાવ જ છે ? જેમાં પ્રથમ છે, ધૂર્તને વૃત્તાંત મધ્યમાં છે અને પૂર્વ ભવના ભાઈએ કહેલા જન્માંતરના સ્મરણથી ઉત્પન્ન થયેલ જાતિસ્મરણ અંતમાં છે, એવો પિતાને વૃત્તાંત કહ્યો. તે સાંભળીને સંગને પામેલે રાજા કહેવા લાગ્યો કે– “આ જગતમાં મલિન ચિત્તથી અંગીકાર કરેલા જે કાર્યો કરાય છે તે જિંપાકના ફળની જેમ છેવટે વિરસ થાય છે. પ્રાણીઓ પૂર્વે કરેલા કર્મ વડે સુખ અને દુખને પામે છે. અને તેનું ચિંતન કરવામાં તત્પર થયેલા તેઓ વૃથા આત્માને મલિન કરે છે. પોતાના કર્મની પ્રેરણાના વશથી સુખ કે અસુખની પ્રાપ્તિ વડે સુસ્થ કે દુર્થી થયેલા જીવોને પરમાર્થ પણે કોઈ પણ કર્તા કે અકર્તા નથી. માત્ર બીજી બીજી સંકિલg ક્રિયાના સમૂહરૂપી તંતુઓ વડે કેશિટાની જેમ જીવ પિતાના આત્માને બાંધે છે, તેથી હે દ્રોણ મુનીશ્વર ! તમે આ યંગ્ય કર્યું છે, કે જેથી સર્વ દુઃખેનો ક્ષય કરનારી આ પ્રવજ્યા તમે ગ્રહણ કરી. વળી અમારું પ્રયોજન પણ તમારા પ્રભાવથી જ સિદ્ધ થયું છે, કે જેથી તે જ દિવસથી તે રાજા મારા ઉપર વેરથી વિરામ પામ્યો છે. કુશળને ઈચ્છનાર મનુષ્ય શુભ માનવડે જ નિરંતર રહેવું, કેમકે કલેશ પામેલા મનુષ્ય બને ભાવમાં વિપત્તિઓને પામે છે. વળી હે ભગવાન! મારે ગ્ય જે કાર્ય હાય, તે કાર્ય સર્વ પ્રકારે મને કહેજે.” આ પ્રમાણે નમ્રતા સહિત કહીને તે રાજા જેવી રીતે આવ્યું હતું તેવી રીતે ગયે. ત્યારપછી ઉચિત સમયે લજજાવડે મીંચાયેલ નેત્રવાળો તેને નાનો પુત્ર ત્યાં આવ્યું, અને તેના ચરણને નમસ્કાર કર્યો. ત્યારે તે દ્રોણ સાધુએ તેને કહ્યું કે-“હે ભદ્ર! કેમ વર્તે છે?” ત્યારે અશ્રુજળવડે વ્યાપ્ત નેત્રવાળા તેણે પૂર્વે જણાવેલા પુરુષે કહેલા કુટુંબના વૃત્તાંતને સંવાદ કરનાર સર્વ વૃત્તાંત કહ્યો. ત્યારે સાધુએ મોટા વિસ્તારથી સમગ્ર કલ્યાણને કરનાર જિનધર્મ તેને કહો. તે સાંભળીને પ્રતિબંધ પામ્યો અને મિથ્યાત્વાદિક પાપસ્થાનનું પચ્ચખાણ કર્યું. પછી યોગ્ય સમયે તેને સાધુએ કહ્યું કે-“હે ભદ્ર! જે તારા માટે ભાઈ પ્રવજ્યા ગ્રહણ કરે, તે હું તેને કારાગૃહમાંથી છોડાવું.” ત્યારે તે નાના પુત્રે જઈને પિતાના મોટાભાઈને આ વાત જણાવી. તે સાંભળીને અત્યંત ગુપ્ત રીતે કારાગૃહમાં રહેવાથી ખેદ પામેલા તે મોટાભાઈએ તે વચનને અંગીકાર કર્યું. પછી કોણ મુનિએ તે મોટા પુત્રને રાજા પાસેથી છોડાવીને તેને દીક્ષા આપી. ત્યારપછી વિહાર કરીને તે ગુરુ પાસે આવ્યો. ચિરકાળ સુધી નિ:કલંક ચારિત્રનું પાલન કરીને છેવટ મરણ પામીને તે દ્રોણ મુનિ સૌધર્મ દેવલોકમાં મહર્તિક દેવ થયા. ત્યાં ચિરકાળ સુધી ભેગ ભેગવીને, ચવીને આ જ જંબદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં મગધ દેશમાં રાજગૃહ નગરમાં રાજાના અમાત્યને પુત્ર થઈને ઉત્પન્ન થયે. તેનું આર્યઘોષ નામ પાડયું. પૂર્વે આચરણ કરેલ પ્રવજ્યાના અનુરાગવાળા અને સંસારમાં ઉત્પન્ન થયેલા સમગ્ર પદાર્થોને વિષે વિરક્ત ચિત્તવાળે તે સ્ત્રીને પરિગ્રહ કર્યા વિના જ માતાપિતાના આગ્રહવડે કેટલાક લાંબા કાળ સુધી સારા સાધુની સેવામાં તત્પર રહીને હમણાં પ્રવજ્યા લેવાને
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy