SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ (D . નિર્ભયપુરથી આવેલા પુરુષે દ્રોણને કહેલ તેના સ્વજનનું વૃત્તાંત. [ રર૭ ] પ્રતિબંધ(સ્નેહ ની બુદ્ધિને ત્યાગ કરીને દ્રોણે ગુરુની પાસે સાધુની ક્રિયા(દીક્ષા) અંગીકાર કરી. પિતાના શરીર ઉપર પણ પ્રતિબંધનો ત્યાગ કરીને દુષ્કર છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે વિશેષ પ્રકારના તપમાં પ્રવર્યો. તથા સાવધાન મનવાળો તે સિદ્ધાંતને અભ્યાસ કરવા લાગ્યું અને તેના અર્થને વિચારવા લાગ્યા. તથા બાલ, ગ્લાન વિગેરે કાર્યમાં પ્રવર્યો, અને ગુરુની સાથે ગામ, આકર વિગેરેમાં વિહાર કરવા લાગ્યું. પછી કઈક દિવસે ગુરુએ સિદ્ધાંતને અનુગ (વ્યાખ્યાન) શરૂ કર્યો, તેનું શ્રવણ કરવામાં ઉત્સુક થયેલ ભવ્યજનો આવ્યા, અને કૃતિકર્મ કરીને શ્રોતાજને બેઠા. તે વખતે નિર્ભયપુરમાંથી એક પુરુષ ત્યાં આવ્યું, અને સૂરિના પાદમાં પડીને(નમીને ) ઉચિત સ્થાને બેઠો. તેને સૂરિએ પૂછયું કે-“હે ભદ્ર! તું ક્યાંથી આવે છે ?ત્યારે તેણે કહ્યું કે “હે ભગવાન! નિર્ભયપુરથી હું આવ્યો છું.” તે વખતે સૂરિની પાસે રહેલા દ્રોણ મુનિએ તેને ઓળખીને કહ્યું કે “હે ભદ્ર! વ્યાખ્યાનની સમાપ્તિ થાય ત્યારે અહીં જ રહીને તું મને એક ક્ષણ વાર મળજે કે જેથી મારે તને મારા સંસારી જનની વાત પૂછવી છે.” ત્યારે તેણે તે અંગીકાર કર્યું. પહેલા પહેર(પારસી)ને છેડે વ્યાખ્યાન ઊઠયું (સમાપ્ત થયું, ત્યારે લેકે જેમ આવ્યા હતા તેમ ગયા, ત્યારે દ્રોણ સાધુએ તેને પૂછયું કે-“હે ભદ્ર! મારા સંસારી જન શી રીતે વર્તે છે? તે તું કહે.” ત્યારે તેણે કહ્યું કે “કહું છું. તમે ઘરથી નીકળ્યા ત્યારે તમારી સ્ત્રી પાછી ન ફરે તેવી શુળની વેદનાથી વ્યાસ થઈને બે ત્રણ દિવસ મોટા કઈથી રહીને મરણ પામી. પછી મોટે પુત્ર પણ અંકુશ રહિતપણાએ કરીને ઘતાદિકના વ્યસનવડે સમગ્ર ઘરના સાર(ધન )ને નાશ કરીને વાંછિત અર્થની પ્રાપ્તિ નહીં થવાથી ચોરી કરવા લાગ્યો. એક વખત આરક્ષકે તેને પકડ્યો અને બાંધીને રાજાને દેખાડ્યો. ત્યારે રાજાએ પૂછયું કે-“આ કોણ છે?” આરક્ષકોએ કહ્યું કે-“હે દેવ! તમે રાજ્યના કાર્ય માટે જે કોણ નામના પ્રધાન પુરુષને મોકલે છે, તેને આ મોટો પુત્ર છે.” ત્યારે રાજાએ કહ્યું કે “જે એમ છે, તે જયાં સુધી દ્રોણ આવે ત્યાં સુધી આને કેદખાનામાં ગુપ્ત કરીને રાખે. પછી જેમ ઉચિત લાગશે તેમ કરશું.” તે સાંભળીને કોણ મુનિએ વિચાર્યું કે-“અહે! કર્મની પરિણતિ કેવી છે? અહે! દેવ(કર્મ)ને પરિણામ અચિંત્ય છે કે જેથી પાપી કુટુંબને આવા પ્રકારને વિષમ દશાને વિપાક(ઉદય)પ્રાપ્ત થયે. હવે જે ગુરુ મને આજ્ઞા આપશે તે હું ત્યાં જઇને તે દુરાચારી પુત્રને પ્રતિબંધ કરીને મુનિધર્મમાં સ્થાપન કરું.” આ પ્રમાણે વિચાર કરીને તે ગુરુના ચરણમાં પડ્યો, અને તેણે પિતાને અભિપ્રાય કહ્યો. ત્યારે ગુરુએ કેટલાક સાધુ સહિત તેને રજા આપી, બાદ તે નિર્ભયપુરમાં ગયો. ત્યાં મેગ્ય સ્થાને રહો. તેનું આગમન જાણીને રાજા તેની પાસે આવ્યા. મુનિને વાંદીને ઉચિત સ્થાને તે બેઠા. મુનિએ તે કાળને ઉચિત ધર્મકથા કહી. પછી સમય પામીને રાજાએ પૂછયું કે-“હે ભગવાન! આ શો વૃત્તાંત છે?” ત્યારે ભગવાને કાપાલિકના વૃત્તાંત
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy