SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ કાપાલિનુ સેનાપતિ દ્રોણને ક્રૂસાવવુ’. [ ૨૧૧ ] કુવલયના પત્ર જેવા સ્વચ્છ નેત્રને સભામાં વત્તા જના ઉપર નાંખે છે, તેટલામાં દ્રોણુ નામના ચેાધાઓના સમૂહના નાથે (સેનાપતિએ ) કહ્યુ` કે હે દેવ ! મને આજ્ઞા આપે. છ માસની અંદર હું તેના નિગ્રહ કરીશ, અથવા મારા આત્માના નિગ્રહ કરાવીશ. ” તે સાંભળીને તેના ઉપર સ્નેહવાળી ચક્ષુને નાંખતા રાજાએ તેને આદેશ આપ્યા, કે–“ તુ કાળના વિલંબ વિના તેવી રીતે કરજે, કે જે રીતે તે નાશ પામે. ” ત્યારે “ દેવની જેવી '' જ્ઞા * એમ ખેલતા અને રાજાએ પેાતાના હાથવરે આપેલા પાનના બીડાવડે વ્યાસ હાથવાળા તે દ્રોણુ રાજભવનથી બહાર નીકળ્યેા, અને પેાતાને ઘેર ગયા. પછી કુટુંબની સ્વસ્થતા કરીને શ્વેતપુર તરફ ચાલ્યા. માર્ગમાં જતા તેને એક કાપાલિક મળ્યા. તેને તે દ્રોણે નમસ્કાર કર્યો, અને પૂછ્યું કે- હું ભગવાન ! તમે ક્યાં જવાના છે ? ” કાપાલિકે કહ્યું કે—“શ્વેતપુરમાં જવું છે. ” દ્રોણે કહ્યું કે—“ હે ભગવાન ! ત્યાં શું પ્રયેાજન છે ? ” કાપાલિકે કહ્યું–“તે નગરના રાજા પુત્ર રહિત છે, તેથી પુત્રની ઉત્પત્તિને માટે તે મંત્ર, તંત્રાદિકને જાણનારા માણુસને ઉપચાર (આદર) કરે છે, એમ મેં સાંભળ્યું છે, અને તે સ ંબધી હું કાંઇક પણું દેવગુરુના ચરણકમળના પ્રસાદવડે જાણું છું. તેથી તે શ્વેતપુરના રાજાને હું જોવા ( મળવા ) ઇચ્છું છું. ” તે સાંભળીને દ્રોણે વિચાર્યું. – આની સેવકવૃત્તિ કરીને આની સાથે જ હું જાઉં તા ઠીક, કેમકે એમ કરવાથી રાજાના દર્શન અને વાંછિત અર્થ( કાર્ય )ની સિદ્ધિ થશે. ” એમ વિચારીને તે પેાતાના મનમાં હર્ષ પામ્યા. પછી વિશેષે કરીને વિનયના ઉપચાર કરવાપૂર્વક કાપાલિકની સાથે તે જવા લાગ્યા. અત્યંત વિનયથી નમ્ર, સ્નેહવાળા અને સમીપે રહેતા તે દ્રોણને જોઈને કાપાલિક આ પ્રમાણે આયેા કે— “ હે વત્સ ! તારું મન કયાં જવાનુ છે ? અને કયા કારણે જવુ છે? ” તેણે જવાબ આપ્યા કે “ તમારા દર્શન થવાથી મારાં સર્વ કાર્ય સમાપ્ત થયાં છે, તેથી ડે ભગવાન! તમે જ દેવની જેમ અને ગુરુની જેમ સેવવા લાયક છે. સમગ્ર કાર્યરૂપી સાગરને તરવામાં વહાણ સમાન તમે જ છે. ” કાપાલિકે પૂછ્યુ કે− હૈ ભદ્ર! તારા સ્વજને કાણુ છે ? ” તેણે કહ્યું કે-“તમારાં ચરણરૂપી એ કલ્પવૃક્ષ પ્રસન્ન હાવાથી મારે સ સ્વજના છે. ” તેને એકાગ્ર ચિત્તવાળા જાણીને કાપાલિકે પ્રેમ સહિત અંત:કરણમાં અકિલષ્ટ ચિત્તવાળા થઈને કહ્યું કે હું વત્સ ! શ ંકારહિતપણે તું મારી સાથે ચાલ, કે જેથી હું તારું' ઈચ્છિત સિદ્ધ કરીને મારું પેાતાનું કાર્ય સાધીને તત્કાળ તારે ઘેર જવાની હું રજા આપીશ. ” ત્યારે દ્રોણે કહ્યું કે હે પ્રભુ! શું તમારે પણ કાંઈ કાર્ય કરવાનું છે? કે જે સાધવાને તમે ઇચ્છે છે ? ” ત્યારે કાપાલિકે કહ્યુ કે–“ હું વત્સ ! સ માદરપૂર્વક તુ પૂછે છે, તેથી તને હું મારું કાર્ય કહું છું, તે તું સાંભળ. પરલેાકમાં જતી વખતે અમારા ગુરુએ ઉપદેશના સારભૂત આ પ્રમાણે કહ્યુ હતુ કે-કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ અક્ષત મૃતક(શમ)ના સાધવાવડે ખૂટે નહીં તેવાં સુવર્ણના કાઠારની પ્રાપ્તિ થવાથી
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy