SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] શ્રી પાર્શ્વનાથ ચરિત્ર : પ્રતાવ જ છે : ખામણ સહિત અનશન વિધિ કરીને આપણે ત્રણે મરણ પામીને સૌધર્મ કલ્પને વિષે દેવ થયા. હું દીર્ઘ આયુષ્યવાળા થયે, અને તમે બે મધ્યમ આયુષ્યવાળા થયા. આપણે ત્રણે પરસ્પર મોટા સ્નેહના સારથી એકી સાથે જ વ્યાપાર કરતા હતા. કેઈક વખતે કેવલીએ તમને બેને કાંઈક દુર્લભ બધિવાળા કહ્યા, ત્યારે તમે પ્રેમ સહિત મને આ પ્રમાણે પ્રાર્થના કરી, કે-“તારે અહીંથી પ્રયાણ કર્યા પહેલાં અમને શ્રી વીતરાગના ધર્મને વિષે બોધ કરે. આ બાબતમાં તારે જરાપણુ પ્રમાદ કરવો નહીં ” આ તમારું વચન મેં અંગીકાર કર્યું. અને તમે કર્મના નવડે જૂદા જૂદા દૂર દેશમાં મોટા રાજાના ઘરમાં ઉત્પન્ન થયા. પછી હું જયમંગલ! તું તારા પિતાના અપમાનથી કેઈક રીતે અહીં પ્રાપ્ત થયો. અને કુવલયચંદ્ર પણ વસંત તુને ઉત્સવ જેવાને અહીં આવ્યું હતું તેથી બંધ કરવાને આ સમય છે” એમ જાણીને તમારા બંનેના એક સાથે બોધિલાભને માટે મેં અકસ્માત યુદ્ધને માટે વિસ્તાર તમને દેખાડ્યો.” આ પ્રમાણે સાંભળીને જયમંગળ પણ જાતિસમરણને પામીને પ્રતિબંધ પામે. આ પ્રમાણે તે બને રાજપુત્રે જિન ધર્મમાં નિશ્ચળ થયા. પછી તે દેવ પણ સુભટના રૂપને મૂકીને શ્રેષ્ઠ મુગટ અને કંડલના આભારણને ધારણ કરી તેમને ધર્મને ઉપદેશ આપીને ઈચ્છિત સ્થાને ગયા. ત્યારપછી “નથી બાણ, નથી ધનુષ્ય, નથી પ્રહાર અને નાથી શરીરને આયાસ (શ્રમ)” કેવળ પિતાને વ્યાકુળતા રહિત જ જોતા તે બન્ને રાજપુત્ર “અહો ! દેવેન શક્તિપ્રકર્ષ કેવો છે?” એમ વારંવાર વિચાર કરતા વિસ્મિત મનવાળા અને પૂર્વ જન્મના મોટા નેહાનુબંધવડે ચિત્તમાં વ્યાપ્ત થયેલા તે બન્ને પ્રેક્ષક રંગભૂમિમાં ગયા, અને વિનય સહિત પ્રણામ કરીને રાજાની સમીપે બેઠા. તે વખતે અહે! આ કથા મહાનુભાવની અપૂર્વ (અનુપમ-ઘણું) સત્યુગ ચેષ્ટા છે ? કે જેથી આ પ્રમાણે આદરસત્કાર નહીં કરાયા છતાં પણ આણે મારા પુત્ર ઉપર આ ઉપકાર કર્યો?” આ પ્રમાણે સ્નેહથી વિસ્વર થયેલા નેત્રવાળા કુવલયચંદ્રને પૂછયું, કે-“વત્સ! આ મહાનુભાવ કેણ છે ? કે કારણ વિના જ ઉપકાર કરનાર જે આ કલિકાળને પરાભવ કરીને આ પ્રમાણે વર્તે છે ? ” ત્યારે તે કુવલયચંદ્ર તેના કર્ણ પાસે રહીને પૂર્વ સર્વ વૃત્તાંત કહ્યો. તે સર્વ સાંભળીને માર્ગાનુસારી બેધ હોવાથી તત્કાળ જાતિસ્મરણને પામેલે રાજા પણ પૂર્વે અનુભવેલા વૃત્તાંતને કહેવા લાગ્યા કે-“હે વત્સ! વિધિ અનુકૂળ છે, કે જેથી તમારા આ પૂર્વ ભવના વૃત્તાંતને સાંભળવાથી મને પણ બેધિ પ્રાપ્ત થઈ. જે ગુરુકુળમાં વસતા તમોએ તપ અને સંયમનું અનુષ્ઠાન કર્યું હતું, ત્યાં જ મેં પણ પ્રવજ્યા ગ્રહણ કરી હતી. શું તમને નથી સાંભરતું કે હું દેવગુપ્ત નામનો મુનિ હતો ? ” ત્યારે રાજપુત્રોએ કહ્યું કે-“હે પિતા ! હમણાં અમને મરણ થયું.” આ અવસરે પ્રતિહારે આવીને રાજાને વિનંતિ કરી કે-“હે દેવ ભેજનને સમય થયો છે, તેથી પિતાને સ્થાને (ઘર) આવવા કૃપા કરે.” ત્યારે તે વસંતસેન
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy