________________
સુભટરૂપે આવેલા દેવે બંને રાજપુત્રને કરેલ પ્રતિબંધ.
[ ૧૭ ]
યુદ્ધનો ત્યાગ કરે. અથવા તે આ પ્રથમ સાધ્ય ભલે દૂર રહે, પરંતુ ઉચિત સ્થાનને વિષે જઈને ક્ષત્રિયના આચારવડે તમે યુદ્ધ કરે, અને આ લેકના સમૂહનો ત્યાગ કરો.” આ પ્રમાણે જયમંગલ રાજપુત્રે કહ્યું ત્યારે તે સુભટ કુવલયચંદ્રની સાથે લોકેના સમૂહથી નીકળીને બીજે સ્થાને રહીને યુદ્ધ કરવા લાગ્યા. આ અવસરે રાજાએ અંગરક્ષકોને કહ્યું કે-“અરે રે! એકલા જતા રાજપુત્રની પાછળ તમે કેમ નથી જતા ? શું આ સેવકને ધર્મ છે કે જેથી સંકટમાં પડેલા સ્વામીની ઉપેક્ષા કરે છે ? ” આ વખતે કોઈપણ (દેવના ગવડે રાજાએ વારંવાર કહ્યા છતાં પણ સર્વ સેવક વર્ગ ખંભિત જે થઈ ગયા ત્યારે મોટી દયાના સમૂહવડે ભરાયેલા મનવાળો તે જ જયમંગલ રાજપુત્ર ત્યાં કુવલયચંદ્રને સહાયકારક થયે, અને “તું ભય પામીશ નહીં ” એમ મોટા અવર્ણભવડે કહ્યું. પછી તે બન્નેનું મોટું યુદ્ધ પ્રવત્યું. તેમાં કુવલયચંદ્ર કાંઈક ખેદ પામે ત્યારે તેને પાછળ રાખીને જયમંગલ તેની સાથે યુદ્ધ કરવા પ્રાપ્ત થયું. તે વખતે એક ક્ષણમાં જ પરસ્પર નાંખેલા ભયંકર ઘાતવડે તેમના શરીર ઘુમવા લાગ્યા, કપાળતળ ઉપર ચડાવેલી ભયંકર ભૂકુટિવડે તેમના મુખ દુઃખે કરીને જોવા લાયક થયા, કોપના વશથી તેમના નેત્રે પહેળા અને સતા થયા, અને પ્રચંડ ભુજારૂપી દંડવડે ઉછાળેલા બાણના વરસાદવડે આકાશ ભરાઈ ગયું. આ પ્રમાણે તે બન્ને યુદ્ધ કરવાથી થાકી ગયા, તેથી ધનુષ્યના દંડને ટેકે કરીને વિશ્રામ લેવા લાગ્યા. તે વખતે કુવલયચંદ્ર વિચાર કર્યો કે-“અહો ! આ કઈ શ્રેષ્ઠ પુરુષ છે. કણ આ પ્રમાણે પોતાના જીવિતની અવગણના કરીને મારે માટે યત્ન કરે? તેની સાથે મારે ઓળખાણ નથી, પરસ્પર આદરસત્કાર પણ થયો નથી, તે પણ આ મહાત્મા મારા કાર્યને વિષે આ પ્રમાણે ઉદ્યમ કરે છે. મારા પિતાએ મને યુદ્ધની સહાય કરવા માટે અંગરક્ષકેને આજ્ઞા આપી, તે પણ નિરંતર તેઓના ઉપર ઉપકાર . કર્યા છતાં પણ તેઓ એક પગલું પણ ચાલ્યા નહીં. તે આમાં શું કારણ હશે ? કે આ મહાત્મા પિતાના જીવિતની પણ અપેક્ષા રાખ્યા વિના આ પ્રમાણે યુદ્ધમાં પ્રવર્યો? ઠીક, કાંઈક કારણ હોવું જોઈએ.” આ પ્રમાણે ઉહાપોહ(તર્કવિતર્ક)ના માર્ગમાં તેનું ચિત્ત જવાથી તે કુવલયચંદ્રને જાતિસ્મરણ ઉત્પન્ન થયું, અને મૂછવડે તેના નેત્રે મીંચાઈ ગયા. આ અવસરે શસ્ત્રાદિકના સમૂહને ત્યાગ કરી અને યુદ્ધના આડંબરને ઉપસંહાર (ત્યાગ) કરીને “હે કુવલયચંદ્ર! હે રાજપુત્ર જ્યમંગલ! હવે અમાંગલિક ચેષ્ટાવડે સર્યું, સર્યું, હમણું ઈચ્છિતની સિદ્ધિ થઈ” એમ બેલતે તે સુભટ જયમંગળને હાથમાં પકડીને કુવલયચંદ્રની પાસે ગયે. અને શીતળ વાયુ વિગેરે ઉપચાર કરવાવડે તેને ચેતના પ્રાપ્ત થઈ. ત્યારે તે સુભટે તેને ( કુવલયચંદ્રને) અને બીજાને (જયમંગળને) કહ્યું કે
હે પુત્રો ! પૂર્વજન્મમાં થયેલા વૃત્તાંતને તમે શું નથી સંભારતા? કે આનાથી પૂર્વના ભવમાં તમે અને મેં સાથે જ દીક્ષા ગ્રહણ કરી હતી, વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરી હતી, પ્રધાન સંયમવાળે દીર્ધ પર્યાય પાળ્યો હતો, આલેચના, ચાર શરણ અને