SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ આ પચશૈલની દેવી ભયંકર છે. તે અત્રે આવેલા માનવીને મૃત્યુ પમાડે છે. જો તમારે બચવું હોય તે રાત્રે આવતા ભાર પક્ષીના પગને વળગી રહેજો. તે પ્રાતઃકાળ થતાં ઊડી જપ્ત તમને સામા કાંઠે પહેાંચાડી દેશે. ગભરાયેલ જિનદત્ત શ્રાવક તરતજ તેવા વૃક્ષ પર જઈ સંતાઇ રહ્યો અને રાત્રિએ આવેલા ભારડ પક્ષીના પગે વળગી ગયા. પ્રાતઃકાળે ઊડી, સામા કાંઠે જઇ ભાર'ડપક્ષીના પગેથી છૂટા પડતાં, નિરાંતના શ્વાસ લઇ જિનદત્ત શ્રાવકે “ નમો દિંતાળ ? એવા ઉચ્ચાર કર્યાં. આવા ઉચ્ચાર સાંભળતાં જ જિતશત્રુ રાજાને જીવ તે ભારડ પક્ષી થયેલા હેાવાથી તેને વિચાર થયા કે– આવું મે' કયાંક સાંભળ્યું છે. તે સંબધી ઊહાપેાહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને વસંતસેનાદિક પેાતાના પૂર્વભવે। જાણ્યા. પછી શુદ્ધ ધનુ' લખન સ્વીકારી, મૃત્યુ પામી, હે રાજન ! આ તમારી રાણી થઈ છે. અનુકૂળ ધર્મોપદેશ સાંભળવાથી મને મૂર્છા આવી હતી અને આપે મારા પર અત્યંત ઉપકાર કર્યાં. હવે આપણે સાથે જ દીક્ષા લઇએ. બંનેએ દળદબાપૂર્વક સમતભદ્ર નામના આચા પાસે સુદ'નાદેવી સાથે સ`વિરતિ સ્વીકારી, કનકબાહુ રાજવી વિધિપૂર્વક પ્રજાનું પાલન કરવા લાગ્યા. .. કાઇક વખત રયવાડીએ નીકળતાં વિપરીત શિક્ષાવાળા અશ્વને કારણે રાજવી ભયાનક અરણ્યમાં જઇ ચઢયો. તેવામાં કાઇએક સરોવરને જોઇને તૃષા શાન્ત કરી. પછી આગળ ચાલતાં એક તાપસાશ્રમ તેના જોવામાં આવ્યા. તપેવનમાં પ્રવેશતાં જ તેનું જમણુ` નેત્ર ફરકતાં શુભ શુકન માની તે આગળ વધે છે, તેવામાં તેર્ની નજરે લાવણ્યતી નદી જેવી એ મુનિ કન્યાએ પડી. લતાદિકને જળસિંચનાદિક કા કરતાં પરિશ્રમને અંગે એક કંઇક હીન કાંતિવાળી બની એટલે રાજાએ વિચાયું કે- મુનિકન્યા જણાતી નથી, કાષ્ટ રાજકન્યા હાવી જોઈએ. ગુપ્ત રીતે તે પરિચર્યાં જોવા લાગ્યા તેવામાં તે યુવાન કન્યાની સુગંધથી આકર્ષાયેલ ભમરા તેની આસપાસ ગુન્નરવ કરવા લાગ્યા એટલે ભય પામીને તે “ રક્ષા કરા, રક્ષા કરી ” એમ ખેલવા લાગી ત્યારે બીજી તાપસીએ તેને કહ્યું કે-“ કનકબાહુ રાજવી તારું રક્ષણ કરવા સમ` છે.” પેાતાનુ નામ સાંભળી રાજા આશ્ચય પામ્યા અને તરત જ પ્રગટ થયા. તેને જોઇ બને જણી વ્યાકુળ બની ગઇ, છતાં મેાટી તાપસીએ હિંમતપૂર્વક રાજાને નામ વિગેરે પૂછતાં રાજાએ જણાવ્યુ કે−હુ' કનકબાહુના પરિગ્રહમાં રહુ છુ'. આશ્રમજનના વિદ્યોતા નિવારણ અથે' અને યાગીઓના દર્શનાથે આવ્યેા છું. રાન્નના આવા વચન સાંભળી નાની બાળા સમજી ગઇ કે આ રાજા પોતે જ છે એટલે લજા પામી. બીજીને રાજાએ વૃત્તાંત પૂછતાં નિઃશ્વાસપૂર્ણાંક તેણીએ જણાવ્યું ૐ– રત્નપુરના વિદ્યાધરની પત્ની રત્નાવલીની આ પદ્મા નામની પુત્રી છે. પિતાના મૃત્યુબાદ ભાઇઓ સાથે પરસ્પર ક્લેશ થતાં માતા પુત્રીને લઇ તેના ભાઇ ગાલવ કુલપતિના આશ્રમમાં આવીને: રહી છે. પદ્મા આઠ વર્ષની થતાં રત્નાવલી તાપસી થઇ. કુલપતિએ તેને સર્વ કળા શિખવી. એક દિવસ અત્રે જ્ઞાની મુનિરાજ પધારતાં આ પદ્માનો પતિ ક્રાણુ થશે ? તેમ પૂછવાથી મુનિરાજે કહ્યું કે—અશ્રુથી હરણ કરાયેલ કનકબાજુ ચક્રવર્તી સ્વયં અત્રે આવીને તેને પરણશે. આ પ્રમાણે સાંભળતાં કનકબાહુ રાજા પોતે હર્ષિત બન્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે—મારા અત્રે આવવાને પરિશ્રમસળ થયા. ખાદ • કુલપતિ કયાં છે ? ” તેમ પૂછતાં તાપસીએ જણાવ્યું કે—તે મુનિરાજને વળાવવા ગયા છે તેવામાં તે એક તાપસી ત્યાં આવી કુલપતિના આગમનના સમાચાર આપે છે. આ બાજુ રાજાનુ સૈન્ય પણ આવી પહેાંચે છે. કુલપતિ પણુ સમગ્ર હકીકત જાણી અત્યંત આન૬ પામે છે અને મુનિરાજના જ્ઞાન–બળની પ્રશંસા કરે છે.
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy