SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જાય છે પણ તેની એકની એક પ્રિય પુત્રીને ભૂલી ગયો, તે પુત્રી તરફ હસ્તી આવતાં તે પણ ભયભીત બનીને પકાર કરવા લાગી. તેવામાં વસંતસેન તે પિકાર સાંભળી તેને જીવના જોખમે બચાવી લે છે. તેવામાં રાજાના પ્રતીહારીઓ ત્યાં આવતાં હસ્તી તેઓની સન્મુખ દોડે છે. માયાળુ સાર્થવાહ તપાસ કરતાં પોતાની પુત્રી ન મળતાં તે હસ્તી તરફ જતા હતા તેવામાં વસંતસેન તે સાર્થવાહને તેની પુત્રી સોંપે છે અને સાર્થવાહ સંતોષ પામે છે. સાર્થવાહની પુત્રી વસંતસેનને વારંવાર જોવાથી ઈહાપોહ થતાં તેણીને જાતિસ્મરણ જ્ઞાન થતાં મૂચ્છ પામતાં શીપચાર મૂર્છા વળવાથી તેના પિતાએ મૂર્છાનું કારણ પૂછતાં તેણે પિતાને જાતિસ્મરણ શાન વૃત્તાંત જણાવી પિતાને પૂર્વભવ જણાવ્યું. પૂર્વભવમાં હું આ મહાનુભાવની પત્ની હતી. તે ધર્મના દઢ અનુરાગી હતા અને હું ધર્મવાસનાથી ભ્રષ્ટ હતી. તેણે મને ધર્મની ઈર્ષ્યા ન કરવા યુક્તિપુરસ્સર સમજાવી પણ ફૂટેલા ઘડાની માફક મારામાં ધર્મબિંદુને પ્રવેશ થયો નહિં. ઘણુ સમયે મને કોઢને રોગ થયો તેથી હું અત્યંત પીડા પામી. મેં, આપઘાત કરવાનો નિર્ણય કર્યો, પરંતુ મારા પતિએ મને સમજાવતાં અને છેલ્લે નવકાર મંત્રના સ્મરણપૂર્વક મૃત્યુ પામી સ્વર્ગમાં ઉ૫જી ત્યાંથી આવી અહીં તમારી પુત્રી તરીકે જમી. આ પ્રમાણે સાંભળી વસંતસેનને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને તેઓ બંને જિનધર્મમાં રક્ત બન્યા અને ઘણું દ્રવ્ય ઉપાર્જન કર્યું. આ બાજુ વસંતપુરમાં કુબેરદત્તને આ સમાચાર મળ્યા. તેણે પિતાની વાત જણાવતાં તેણે વસંતસેનને બોલાવી લાવવા પિતાના પતિને આગ્રહ કર્યો. પિતાના આમથી વસંતસેન કાંચીપુરથી દેવીલાની સાથે નીકળે, સ્વગૃહે આવતાં નવી માતાએ કપટપૂર્વક તેનું બહુમાન કર્યું અને ધીમે ધીમે તેને વશ કરી લઈ તેનું સર્વ દ્રવ્ય પિતાને આધીન કરી લીધું. દેવીલા તેણીનું કપટ પારખી ગઈ. તેણે વસંતસેનને આ રહસ્ય જણાવ્યું. તેણે માતાને પૂછતાં ઉડાઉ જવાબ આપે. અપર માતાએ હવે તેને મારી નાખવા માટે વિષ મિશ્રિત એક મોદક બનાવ્યું પણ ભેજન અવસરે વ્યાકળ બની ભૂલથી પોતે જ તે મોદક ખાઈ જવાથી મૃત્યુ પામી. કુબેરદત્ત પણ પાછળ મૃત્યુ પામ્યો. વસંતસેન ચારિત્ર પાળી, દેવ થઈ, ત્યાંથી એવી જિતશત્રુ નામનો રાજા થશે અને તેની સપની માતા કાળક્રમે કૌશલદેશની મદનકંદલી નામની રાજપુત્રી થઈ. જિતશત્રને તે પરણાવવામાં આવી પરંતુ પૂર્વભવના વૈરના કારણથી તે રાજાનું અહિત ચિત્તવવા લાગી. તેવામાં રાજાને જવર આવ્યા એટલે વૈદ્યોએ લાંધણ કરવાનું અને ગુપ્તવાસમાં રહેવાનું સૂચન કર્યું. રાણીએ પણ કપટપૂર્વક કહ્યું કે-જયાં સુધી રાજ લઘન કરશે ત્યાં સુધી હું પણ અન્ન-પાન વિગેરેનો ત્યાગ કરી રહીશ. આ હકીકત જાણી રાજાએ વિચાર્યું કે-રાણીને મારા પર કે અપ્રતિમ પ્રેમ છે. મદનકંદલી તે રાત્રિએ ઇચ્છિત ભોજન કરી લેતી. ( ત્રીજાતિની માયા તે જુઓ !) અમુક દિવસે રાજાને સારું થતાં તેણે અન્ન ગ્રહણ કર્યું ત્યારે મદનકંદલીએ પણ તેની સાથે ભેજન લીધું. રાજાએ અત્યંત પ્રસન્ન થઈ તેને પટરાણી બનાવી. એક વખત તેણે રાજાને વિષમિશ્રિત પાનબીડું આપ્યું જે ખાવાથી રાજા તરત જ મૃત્યુ પામી, આર્તધ્યાનના વશથી પંચશૈલદ્વીપને વિષે ભારડ પક્ષી થયો. જુઓ પૂર્વ કર્મના ફલની પ્રબળતા ! હવે જિનદત્ત નામનો કોઈ એક શ્રાવક સમુદ્રમાં વહાણ ભાંગવાથી પાટિયાના આધારે તે દ્વીપમાં આવી ચઢયો. ત્યાં શૂળી પર ચઢેલા એક શખસને જોઈને તેનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy