SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારને ગુણશાલી તેમજ અતિકુશળ જાણીને રાજા કુલીશબાહુને વિચાર થયે કે-“કુમાર રાજ ચલાવવાને સંપૂર્ણ રીતે તૈયાર થયેલ હોવાથી મારે હવે મારા પૂર્વ પુરુષોએ આચરેલા ધર્મમાર્ગને સવીકાર કરવો જોઈએ. પુરુષોનું વૃદ્ધિ પામેલ છવિત અને મૃત્યુ પણ વખણાય છે તે મારે શા માટે પ્રમાદ કરવો જોઈએ ? હવે હું સંયમ માર્ગને પથિક બનું.” આ પ્રમાણે વિચારણું કરી તેમણે તે હકીકત કમાર કનકબાહુને જણાવી. ત્યારે તેણે ગદગદ સ્વરે પિતાને જણાવ્યું કે-તમારા પ્રસાદથી નિશ્ચિંત બનેલા મને ચિંતાવાળો શા માટે બનાવે છે ? મારા હૃદયમાં રહેલા દુઃખને હવે હું કાની પાસે કરીશ.? વિગેરે વચનવડે તેમણે પિતાને નમ્ર સ્વરે કહ્યું એટલે રાજવીએ તેમને કમળ વચનથી સમજાવ્યું. અને તેને મહેસવપૂર્વક રાજ્યાભિષેક કર્યો. બાદ રાજપાલનને અંગે યોગ્ય શિખામણ આપી રાજવી દુઃખી બનેલ પિતાની સુદર્શના રાણી પાસે આવી તેના સંતાપનું કારણ પૂછતાં રાણીએ કહ્યું કે તમે અકાળે જે ધર્મ પુરુષાર્થ આરંભ્યો છે તે જ મારા સંતાપનું કારણ છે; કારણ કે ધર્મ, અર્થ ને કામ એ ત્રણે પુરુષાર્થો યોગ્ય સમયે જ આદરવા યોગ્ય છે. રાજ સુદર્શનાને ધર્મને યોગ્ય કાળ કય છે ? તે સ્પષ્ટ રીતે સમજાવે છે અને વૃદ્ધાવસ્થા અને ઇદ્રની ચંચળતા વિગેરે વૈરાગ્યનાં કારણે ઘણી જ સુંદર રીતે અહિં રાજા જણાવે છે જે વાંચવા યે.ગ્ય છે. (પૃ. ૧૦૧). આ પ્રમાણે રાજાના સમજાવવાથી રાણીને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને તેથી તે તરત જ મૂછ પામે છે. દાસ-દાસીઓ આવી ચઢે છે અને શીતે પયારથી મૂછ દૂર થતાં રાજા રાણીને પૂછે છે કે મારા અનુચિત લવાથી શું તને દુઃખ થયું કે જેથી મૂછ આવી ? રાણીએ કહ્યું કે-ઉપદેશ સાંભળી પિતાને જાતિસ્મરણ જ્ઞાન થયું છે તેથી મને મૂર્છા આવી. આ સાંભળી રાજાને આશ્ચર્ય ઉદ્ભવતાં તેણે તેણીને પૂર્વભવ પૂછે એટલે સુદર્શનાએ પિતાને પૂર્વભવ જણાવતાં કહ્યું કેઆજથી પાંચમાં ભવે વસંતપુરમાં કુબેર શ્રેણીને હું વસંતસેન નામને પુત્ર હતો. પૂર્વના સંસ્કારથી તેને સ્ત્રી પરણવાની ઈચ્છા જ ન થતી. એકદા તેની માતાએ તેને પૂછયું કે-ભાર્યા વિના તારે નિર્વાહ કેમ થશે ? તેણે જણાવ્યું કે-જ્યાં સુધી તું જીવે ત્યાં સુધી તેમને તેમ નિર્વાહ કરીશ, પછી જોયું જશે. કાળયોગે તેની માતા સર્પદંશથી મરણ પામતાં સ્વજનોએ શ્રેષ્ઠીને પુનઃ પરણાવ્યો. ન માતા યુવતી હોવાથી તેણે કુબેર શ્રેણીનું મન વશ કરી લીધું અને તેના ઉદ્ધતપણાને લીધે ઘરના સર્વ નોકર પલાયન થઈ ગયા. મારી સાથે પણ તેણે વિરોધી વર્તન કરવા માંડયું તેથી એક દિવસ મધ્ય રાત્રિએ હું ચાલી નીકળ્યા. કોલાપુરમાં મુનિરાજના દર્શન થતાં મુનિરાજના પૂછવાથી મારે કાંચીપુરી જવું છે તેમ જણાવ્યું ત્યારે જ્ઞાની મુનિરાજે તેને કહ્યું કે-માતા તથા પિતાના અપમાનથી તું ચાલી નીકળ્યો છે, પણ તું અભિમાનને ત્યાગ કર અને પરમાર્થનો વિચાર કર. મુનિરાજના આ કથનથી વસંતસેન આશ્ચર્ય પામી બોલે કે-હે મુનિરાજ ! આ ગુપ્ત વાર્તા તમે શી રીતે જાણી ? મુનિરાજે કહ્યું કે-તપની લબ્ધિથી. પછી વસંતસેને મુનિરાજની શુશ્રષા શરુ કરી અને પ્રસંગ મળતાં વિજ્ઞપ્તિ કરી કે–મને દીક્ષા આપો. જ્ઞાની ગુરુ મહારાજે કહ્યું કે હજી તારે ભાગાવલી કર્મ બાકી છે વસંતસેને કહ્યું કે મારા માતા-પિતાએ ઘણો આગ્રહ કરવા છતાં હું સ્ત્રીના સંગથી દૂર રહ્યો છું, તે મારે ભોગાવલી કર્મ બાકી છે તે કેમ જાણી શકાય ? મુનિરાજે જણાવ્યું કે દેશકાળની અપેક્ષાથી જાણી શકાય છે. બાદ વસંતસેન સાથેની સાથે કાંચીપુરીની નજીકમાં આવે છે. - એવામાં રાજાનો પહરતી આલાન તંભ ઉખેડીને નાસે છે અને લોકોને ત્રાસ ઉપજાવતાં જયાં સાથે પડ્યો હતો તે દિશા તરફ આવે છે જેથી સાર્થવાહ જય પામીને પિતાના સ્વજનો સહિત નાશી
SR No.005760
Book TitleParshwanath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorDevbhadracharya
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages574
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy