________________
૨૨
ત્યાગ કરી રાજ જિનેશ્વર ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરે છે. સર્વ શાસ્ત્રનો અભ્યાસ કરી, ગુરુ આજ્ઞા લઈ, શરીરને શુષ્ક કરી, રાજા એકલવિહારી પ્રતિમાને ધારણ કરીને વિહાર કરે છે. દસ પ્રકારના મુનિધર્મનું પાલન કરતાં. પૃથ્વીપીઠ પર વિચારે છે. કેટલાક વખત પછી દુષ્કર તપને તપવાવડે, આકાશગામિની વિવા રાજાને પ્રાપ્ત થાય છે અને વિહાર કરતાં કરતાં મુનીશ્વર સુકરછ નામના દેશમાં આવે છે. આ સમયે પૂર્વે કહેલ કમઠને કવ પૂર્વભવે મરીને ધુમપ્રભા નામની નરકને વિષે સવાસો ધનુષ્યના પ્રમાણુવાળે સત્તર સાગરોપમના આયુષ્યવાળો નારકી થયે હતો. ત્યાં આયુષ્યના ક્ષયવડે નીકળીને અપકાય, અગ્નિકાય વગેરે એકેન્દ્રિય, જળચર, સ્થળચર વગેરેમાં લાંબા કાળ સુધી ઉત્પન થઈ તે જ સુક૭ વિજયને વિષે, જવલનગિરિ પર્વતની સમીપે મોટી ભયંકર અટવીમાં ભિલના કુળમાં કરેગક નામના વનચર પણે જન્મે છે, જ્યાં અનેક ના ઘાત કરવાવડે જીવન વ્યતીત કરવા લાગ્યો. કેટલાક દિવસ બાદ વજીના મુનીશ્વર અનેક ગામે વિહાર કરતા પ્રતિમાને ધારણ કરતાં તેજ મોટી અટવીમાં આવે છે અને તે ગિરિકંદરાના મધ્યમાં રહેલી એક ગુફામાં રહે છે. લાં. એક સમયે વલનગિરિ પાસે કાત્સર્ગ ધારણ કરીને રહેલાં છે, તેટલામાં સૂર્ય આથમે છે. રાત્રિ થાય છે તે પણ તે ભયંકર અટવીમાં જરાપણ ક્ષોભ પામ્યા સિવાય ધ્યાનમાં લીન થાય છે. અને એકાગ્ર ચિત્ત ધ્યાન કરતાં ત્યાં રાત્રિ વીતી જાય છે, એટલે રાજર્ષિ વજ્રનાભ શિધ્ર તે પ્રદેશથી નીકળી જાય છે. તે દરમ્યાન કુરંગ, તે મુનીને જુએ છે અને પૂર્વભવનાં અભ્યાસ કરેલા કેપના આવેગથી તે પાપીએ તીક્ષણ ધનુષ્યથકી મુકેલા બાણપ્રહારવડે તે મહાત્માને પાડી દે છે. તે મુનિશ્વર પંચ નમસ્કારનું સ્મરણ કરતાં ઉચિત સ્થાને મુની બેસી જાય છે અને કુરંગકને પિતાને ઉપકારી, સહાયકારી માની સર્વ પ્રાણીઓને ખમાવી, ચાર પ્રકારના આહારનું પચ્ચખાણ કરી, મધ્યમ રૈવેયકને વિષે લલિતાંગ નામે ઉત્તમ દેવ થાય છે. ત્યાં બધા પ્રકારના પાપરહિત રૈવેયકના પાંચ પ્રકારના અત્યંત સુખને અનુભવ કરે : છે. ગરુમહારાજ રાગાદિકથી રહિત જીવોને આ સ સારમાં જે સુખ છે તે નરેન્દ્રો, દેવ, દેવેન્દ્રોને પણ લંભ છે. જે સુખ વિષયિક ઉપચારવડે સાધવા લાયક છે તેને બદલે પિતાને આધીન પરમાનંદ રૂપને સુખ છે તે જ પ્રધાન છે.
ઉપરોકત બતાવેલ શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રને વિષે શ્રી કિરણગ, સ, વનચર અને વજ. નાભ રાજાના ચારિત્ર યુક્ત અને ધણા ભવના વિસ્તારવાળો આ બીજો પ્રસ્તાવ આચાર્ય મહારાજ અહિં પૂર્ણ કરે છે.
(પ્રસ્તાવ ત્રીજો પૃ. ૮ થી ૧૮૩ સુધી) કનકબાહુ ચાવર્તી તથા પરમાત્માની દીક્ષા પર્વતને વૃત્તાંત આ જંબદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં સુરપુર નગરને વિષે કુલીશબાહુ રાજવીને સુદર્શન નામની પત્ની હતી. વજુનાભના ભાવમાં પ્રાપ્ત કરેલ પુણય સમૂહના પ્રભાવથી સૈવેયકથી ઓવીને મ; જતિને જીવ ચૌદ સ્વથી સૂચિત થઈને સુદર્શનાની કુક્ષીએ અવતર્યો, જેથી ચક્રવર્તી પુત્રની સંભાવના જાણીને રાજાએ સ્વખપાઠકેને પાસેથી ફળનિર્ણય કર્યો. ચક્રવર્તી પુત્રરન થશે તેમ જાણું રાજારાણી અત્યંત પ્રમોદ પામે છે. પુત્રજન્મતાં સુમંગળા નામની દાસીએ રાજાને પુત્રજનમની વધામણી આવે છે. એ સમયે કનકબાહુ નામ સ્થાપન કરવામાં આવ્યું. અને કુમારપણાને પામી બહેતર કળાઓમાં કુમાર નિપુણ થશે. કુમારે રશ્વવિદ્યા તેમજ ગજ-વિદ્યામાં સંપૂર્ણ કુશળતા પ્રાપ્ત કરી.